25/08/2026
🔱 પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારની પાવન સેવા 🔱
🐂 ગૌકુળ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે કર્મવીર સમિતિ, સુરત દ્વારા શિવજીના પ્રિય વાહન નંદી મહારાજને ખોળ તથા ગોળ અર્પણ કરી ગૌસેવાનો પવિત્ર લાભ લેવામાં આવ્યો. 🙏🐂
આ પવિત્ર પ્રસંગે સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સંદીપભાઈ વેકરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના હસ્તે નંદી મહારાજને ખોળ તથા ગોળ ખવડાવી નંદી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. 🙏
શ્રાવણ માસના આ પવિત્ર દિવસે ગૌસેવા અને નંદીસેવાના માધ્યમથી શ્રદ્ધા, સેવા અને સંસ્કૃતિનો સુંદર સંગમ જોવા મળ્યો.
🙏 નંદી મહારાજના આશીર્વાદ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના.
🐄 જય ગૌમાતા
🐂 જય નંદી મહારાજ
🔱 હર હર મહાદેવ 🔱
#ગૌકુળચેરીટેબલટ્રસ્ટ #કર્મવીરસમિતિ #સંદીપભાઈવેકરીયા #નંદીમહારાજ #ગૌસેવા #શ્રાવણસોમવાર #જયગૌમાતા #હરહરમહાદેવ #નંદીસેવા #સુરત