24/05/2026
જય જય મચ્છેન્દ્ર સમર્થ
જય જય ચંડિકા
જય શ્રી રામ
પૂજ્ય શ્રી છોટેદાદાના પવિત્ર આદેશથી આદિનાથી સત્સંગ મંડળ તાપી દ્વારા દર શનિવારે વિવિધ સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ, સત્સંગ તથા ભજન-કીર્તનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
તા. 23/05/2026, શનિવારના રોજ સોનગઢ તાલુકાના ધમોડી ગામ ખાતે આવેલ ભવાની માતાના મંદિરે આદિનાથી સત્સંગ મંડળના સદસ્યો તેમજ ધમોડી ગામના ગ્રામજનોના સહયોગથી ભવ્ય મંદિર પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પવિત્ર પ્રસંગે સમગ્ર ગામમાં ભક્તિમય તથા ધાર્મિક માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન આરતી, સત્સંગ, હનુમાન ચાલીસાના પાઠ, ભજન-કીર્તન તથા મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગામના આગેવાનો, યુવાનો, વડીલો તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, શાંતિ અને આધ્યાત્મિક ઊર્જા સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
સાને દાદા કી જય
છોટે દાદા કી જય