SHREE Mahalaxmi Mandir THAN

SHREE Mahalaxmi Mandir THAN Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SHREE Mahalaxmi Mandir THAN, Religious organisation, Thangadh.

31/05/2026
અગાઉ જોયેલા બ્રહ્મસૂત્ર ના પ્રથમ અધ્યાયના પ્રથમ પદ ના પહેલા ચાર સૂત્રો કે જેને ચતુઃસૂત્રી કહેવામાં આવે છે તેમાં મહર્ષિ વ...
31/05/2026

અગાઉ જોયેલા બ્રહ્મસૂત્ર ના પ્રથમ અધ્યાયના પ્રથમ પદ ના પહેલા ચાર સૂત્રો કે જેને ચતુઃસૂત્રી કહેવામાં આવે છે તેમાં મહર્ષિ વેદ વ્યાસજી ખૂબ જ સરળ શબ્દોમાં આપણને પરમ સત્ય આપ્યું છે કે હવે પરમ બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કરીએ, સમગ્ર સૃષ્ટિ નું સર્જન સ્થિતિ અને વિસર્જન કરે છે તે બ્રહ્મ છે, વૈદિક શાસ્ત્રોનું પ્રમાણ આપેલું છે તથા વૈદિક ગ્રંથોમાં કહેવાયેલી વાતોનો અંતિમ નિષ્કર્ષ એ જ છે પરબ્રહ્મ પરમાત્મા સમગ્ર બ્રહ્માંડમાં સર્વત્ર વ્યાપ્ત છે અને તે જ જગતનો મૂળ આધાર છે.

ભારતીય સંસ્કૃતિમાં વૈદિક શાસ્ત્ર આધારિત છ દર્શન એટલે કે ફિલોસોફી છે 1.ન્યાય દર્શન 2.વૈશેષિક દર્શન 3.સાંખ્ય દર્શન 4.યોગ દર્શન 5.મીમાંસા દર્શન 6.વેદાંત દર્શન
આપણા ગુજરાત માટે અત્યંત ગૌરવ ની વાત છે કે સાંખ્ય દર્શનના રચયિતા મહર્ષિ કપિલજી સિધ્ધપુર પાટણ તથા વૈશેષિક દર્શન ના રચયિતા મહર્ષિ કણાદજી સોમનાથ ના છે એટલે કે સાંખ્ય દર્શન અને વૈશેષિક દર્શન નો ઉછેર અને માવજત ગુજરાતમાં થયેલો છે.

# બ્રહ્મસૂત્ર1.1.5 ઈક્ષતેર્નાશબ્દમ્ ॥(ઈક્ષતેઃ ન અશબ્દમ્)
સાંખ્ય દર્શનમાં મહર્ષિ કપિલજી જણાવ્યું હતું કે સૃષ્ટિની ઉત્પત્તિ માટે જડ પ્રકૃતિ કારણભૂત છે જેનું ખંડન કરવા માટે આ પાંચમું સૂત્ર મહર્ષિ વેદ વ્યાસજી રચે છે જેમાં છાંદોગ્ય ઉપનિષદ "તદૈક્ષત બહુ સ્યાં પ્રજાયેયેતિ" (એટલે કે તેમણે સંકલ્પ કર્યો કે હું એકમાંથી અનેક થઈ જાઉં અને પ્રજા રૂપે ઉત્પન્ન થાઉં) આ સ્તોત્ર ને આધાર લઈને મહર્ષિ વેદ વ્યાસજી જણાવે છે કે સંકલ્પ/ ઈચ્છા/ વિચાર તો માત્ર ચેતન કરી શકે કોઈ જડ પ્રકૃતિ સંકલ્પ કરી શકે નહીં આથી સૃષ્ટિની ઉત્પત્તિ ચૈતન્ય સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા એ જ કરી છે

#બ્રહ્મસૂત્ર1.1.6 ગૌણશ્ચેન્નાત્મશબ્દાત્
સાંખ્ય દર્શનમાં વળી પાછું કહેવામાં આવ્યું કે ઈક્ષતે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે રૂપક તરીકે પ્રકૃતિ માટે જ પ્રયોજવામાં આવ્યો હતો પરંતુ મહર્ષિ વેદ વ્યાસજીએ શ્રુતિ નો આધાર લઈને સ્પષ્ટ કહ્યું કે જગતના મૂળ આધાર તરીકે કહેવામાં આવેલ'સત' તે જ ચેતન બ્રહ્મ છે તથા ગૌણ અર્થમાં પણ 'પ્રકૃતિ' માટે નથી કારણ કે આગળ જતાં શ્રુતિમાં તે કારણ માટે આત્મા શબ્દનો સ્પષ્ટ પ્રયોગ કરવામાં આવ્યો છે. અને આત્મા એ કોઈ જડ વસ્તુ ન હોઈ શકે

આમ આ બંને સૂત્રમાં મહર્ષિ વેદ વ્યાસજી એ વેદ અને ઉપનિષદો નો આધાર લઈને સાંખ્ય દર્શનમાં કહેવામાં આવેલ "પ્રકૃતિ એ સૃષ્ટિનું સર્જન કર્યું છે" તેનું ખંડન કર્યું છે

🚩 શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર થાનગઢ તા થાનગઢ જી સુરેન્દ્રનગર

અગાઉ આપણે બ્રહ્મસૂત્રના પ્રથમ અધ્યાયના પ્રથમ પાદના બે સૂત્રો જોયા જેમાં કહેવામાં આવ્યું કે શુદ્ધ હૃદય અને શાંત ચિત્તે બ્...
24/05/2026

અગાઉ આપણે બ્રહ્મસૂત્રના પ્રથમ અધ્યાયના પ્રથમ પાદના બે સૂત્રો જોયા જેમાં કહેવામાં આવ્યું કે શુદ્ધ હૃદય અને શાંત ચિત્તે બ્રહ્મને જાણવાની ઈચ્છા કરવી જોઈએ તથા જેનાથી જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા પ્રલય થાય છે તે જ બ્રહ્મા છે.

હવે આજે પ્રથમ અધ્યાયના પ્રથમ પાદ ના સૂત્ર નંબર ત્રણ અને સૂત્ર નંબર ચાર પ્રસ્તુત છે

# બ્રહ્મસૂત્ર 1.1.3 શાસ્ત્રયોનિત્વાત્ (અર્થાત શાસ્ત્ર જ બ્રહ્મને જાણવાનું એકમાત્ર સાધન છે )
બ્રહ્મસૂત્ર મુખ્યત્વે વૈદિક વિચારધારા નું સિંચન અને જતન કરતો ગ્રંથ છે માટે જ વેદ તથા ઉપનિષદો બ્રહ્મસૂત્ર માટે દિશા સૂચક ગ્રંથો બની રહ્યા છે અને આપણને સતત વેદ, ઉપનિષદો તથા ગીતાજીની હાજરી વર્તાય છે. માટે જ મહર્ષિ વેદ વ્યાસજી કહ્યું છે કે આપણા વૈદિક શાસ્ત્રો દ્વારા બ્રહ્મને જાણી શકાય છે.

# બ્રહ્મસૂત્ર 1.1.4 તત્તુ સમન્વયાત્( અર્થાત તે પરમ બ્રહ્મ સમગ્ર બ્રહ્માંડમાં સર્વત્ર વ્યાપ્ત હોવાના કારણે જગત નો મૂળ આધાર છે)
આ સૂત્ર ને સમન્વય સૂત્ર કહેવામાં આવે છે જેનો અર્થ એવો થાય છે કે અલગ અલગ રીતે વૈદિક ગ્રંથોમાં કહેવાયેલી વાતોનો અંતિમ નિષ્કર્ષ એક જ હોવો.

બોલે તેના બોર વેચાય તથા ન બોલ્યા માં નવ ગુણ આવી અલગ અલગ વિચારધારા ધરાવતી જ્યારે કહેવતો આપણા સાંભળવામાં આવે છે ત્યારે બંનેની સત્યાર્થતા પર શંકા અને દ્વિધા ઉદભવે છે પરંતુ વાસ્તવમાં સમય સ્થળ અને સંજોગોને આધીન આ બંને કહેવતો નો ગુઢાર્થ એક જ છે કે સમય સ્થળ અને સંજોગોને આધીન વર્તન કરવું. ભગવાન શ્રી કૃષ્ણએ પણ જ્યારે શિશુપાલ તેમને રાજસભામાં અપમાન કરી રહ્યો હતો ત્યારે તેને ગીતાજીનો ઉપદેશ નથી આપતા પરંતુ કુરુક્ષેત્રમાં યુદ્ધના મેદાનમાં અર્જુનને ગીતાજી નો ઉપદેશ આપે છે

આવી જ રીતે આપણા સનાતન ધર્મમાં એકમાત્ર પરમબ્રહ્મ પરમાત્મા વિશે જે છે અલગ અલગ માન્યતાઓ અને વિચારધારા પ્રવર્તે છે જેને કારણે પરમબ્રહ્મના વિશે જે શંકા અને દ્વિધા છે તેને બ્રહ્મસૂત્ર ના પ્રથમ અધ્યાય (સમન્વય અધ્યાય)માં વૈદિક વિચારધારા થકી ખૂબ જ સરળ અને સચોટ રીતે એક તાંતણે પરોવી શકાય તેવા સુત્રોમાં પરોવી આપી છે તથા સાબિત કરી આપ્યું છે કે આ બધાનો અંતિમ અર્થ પરમબ્રહ્મ છે.

બ્રહ્મસૂત્ર રૂપી આ માળા ફેરવવાનું સદભાગ્ય આપણને સૌને મળે એવી પરમબ્રહ્મ પરમાત્માને પ્રાર્થના
🙏 શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર થાનગઢ તા થાનગઢ જી સુરેન્દ્રનગર🙏

17/05/2026

પરાશર ઋષિના પુત્ર અને મહાભારતના રચયિતા મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન બાદરાયણ કે જેમને આપણે મહર્ષિ વેદ વ્યાસજી ના નામે ઓળખીએ છીએ તેમણે જ ઉપનિષદોના અમૃત ફળને સરળ અને સહજ રીતે સમજાવવા માટે ખૂબ જ ટૂંકા સૂત્રોની એટલે કે બ્રહ્મસૂત્રની રચના કરી છે. બ્રહ્મસૂત્રમાં મુખ્યત્વે ચાર અધ્યાયો છે જેમાં મુખ્યત્વે તે પરબ્રહ્મ પરમાત્મા નું સ્વરૂપ, તેમની ઉપાસના અને મોક્ષ પ્રાપ્તિના સુત્રો આપેલા છે .
જ્યારે આપણું હૃદય નિર્મોહી અને ચિત શાંત થાય છે ત્યારે પ્રથમ અધ્યાયના પ્રથમ સૂત્ર માં કહેવામાં આવ્યું છે કે "અથાતો બ્રહ્મજિજ્ઞાસા અર્થાત હવે બ્રહ્મને જાણવાની ઈચ્છા કરવી જોઈએ."
ઉપરના ચિત્ર માં આપેલું સૂત્ર એ બ્રહ્મસૂત્ર નું બીજું સૂત્ર છે જે સામાન્યત ભગવત ગીતામાં આવેલા અધ્યાય 10 ના 20 મા શ્લોકમાં આવેલા "અહમાદિશ્ચ મધ્યં ચ ભૂતાનામન્ત એવ ચ અર્થાત હું જ પ્રાણીઓનો આદિ મધ્ય તથા અંત પણ છું". તથા તૈત્તિરીય ઉપનિષદના "યતો વા ઇમાનિ ભૂતાનિ જાયન્તે |યેન જાતાનિ જીવન્તિ યત્પ્રયન્ત્યભિસંવિશન્તિ |તદ્વિજિજ્ઞાસસ્વ | તદ્બ્રહ્મેતિ અર્થાત જેમાંથી આ બધા જીવો જન્મે છે, જન્મ્યા પછી જેના દ્વારા જીવે છે અને અંતે જેમાં જઈને વિલીન થઈ જાય છે, તે જ પરમાત્મા કે 'બ્રહ્મ' છે."" નો જયઘોષ ,ધ્વનીઘોષ તથા વાણી ઘોષ છે
🚩 શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર, થાનગઢ, તા થાનગઢ ,જી સુરેન્દ્રનગર

09/05/2026

हर हर महादेव

Address

Thangadh
363530

Opening Hours

Monday 6am - 8pm
Tuesday 6am - 8pm
Wednesday 6am - 8pm
Thursday 6am - 8pm
Friday 6am - 8pm
Saturday 6am - 8pm
Sunday 6am - 8pm

Telephone

9426491701

Website

Alerts

Be the first to know and let us send you an email when SHREE Mahalaxmi Mandir THAN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to SHREE Mahalaxmi Mandir THAN:

Share