સદગુરુ ગુલાબ સાહેબની જગ્યા - વઢવાણ

સદગુરુ ગુલાબ સાહેબની જગ્યા - વઢવાણ ભક્તિનું સાચું સ્થાન
સદગુરુ ગુલાબ સાહેબ
વઢવાણ | સત્સંગ | શાંતિ

24/04/2026

ભૂમિ પૂજન સમારોહ

સંત શ્રી ગુલાબસાહેબ ગુરૂ શ્રી નરભે સાહેબ

રાધાકૃષ્ણ મંદિર સંત શ્રી ગુલાબસાહેબની જગ્યા

વઢવાણ સીટી

श्री..

આથી સર્વે શિષ્ય સમુદાય તથા ગતગંગાને સહર્ષ જણાવવાનું કે સંત શ્રી ગુલાબસાહેબની જગ્યા - વઢવાણ રાધાકૃષ્ણ મંદિરનું નવનિર્માણના ભૂમિ પૂજન કાર્ય સવંત ર૦૮ર વૈશાખ સુદ ૮ ને શુક્રવાર તા. ૨૪/૦૪/૨૦૨૬ ના શુભ દિવસે રાખેલ છે. તો આ શુભ પ્રસંગે આપ સૌને આ કાર્યક્રમમાં પધારી પ્રસંગને સફળ બનાવવા ભાવભીનું આમંત્રણ છે.

:: પધારનાર મુખ્ય સંતો ::

મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી દિલીપગીરીબાપુ-જગન્નાથ મંદિર(અમદાવાદ)

જગદ્ગુરૂ શ્રી કનીરામબાપુ-શ્રી વડવાળા મંદિર (દુધરેજ)

મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી શંભુનાથબાપુ - સંત શ્રી સવૈયાનાથની જગ્યા (ઝાંઝરકા)

મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી દુર્ગાદાસબાપુ-લાલજી મહારાજની જગ્યા (સાયલા)

મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી જાનકીદાસબાપુ-ભાણ સાહેબ સમાધી સ્થાન (કમીજળા)

મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી લલીતકિશોરચરણદાસ બાપુ-મોટા મંદિર (લીંબડી)

દિપક પુજારી મહારાજ દ્વારકાધીશ મંદિર- (દેવભુમી દ્વારકા)

સંતશ્રી હિરસાગરબાપાની જગ્યા ગુરુદ્વાર (રાજકોટ)

પ.પૂ. મનસુખગીરીબાપુ-ચામુંડા માતાજી મંદિર(ચોટીલા)

સેવકશ્રી મુખી મહારાજ(પીપળીધામ)

કોષાધ્યક્ષ મહંતશ્રી લાભુગીરી બાપુ રામરણુજા ધામ (વઢવાણ)

૫.પુ. મહંત શ્રી રામાશ્રય બાપુ -ફાટસર ગણપતિ મંદિર(વઢવાણ)

ભુમી પૂજનના મુખ્ય યજમાન શ્રી વિરજીભાઈ ભીખાભાઈ રાઠોડ

સંતોના સામૈયા

તા. ર૪-૪-૨૦૨૬ ને શુક્રવાર

સમયઃ

સવારે ૮:૦૦ કલાકે

ભુમી પૂજન

તા. ર૪-૪-૨૦૨૬ ને શુક્રવાર

સમયઃ

સવારે ૯:૩૦ કલાકે

મહાપ્રસાદ

તા. ૨૪-૪-૨૦૨૬ ને શુક્રવાર

સમયઃ

બપોરે ૧૨:૩૦ કલાકે

: સ્થળ :

શ્રી ગુલાબસાહેબની જગ્યા, રાધાકૃષ્ણ મંદિર, નવા દરવાજા બહાર,વઢવાણસીટી

-:: નિમંત્રક ::-

લી.મહંતશ્રી કલ્યાણદાસબાપુ તથા ડુંગરદાસ બાપુ પરિવાર, જદુરામબાપુ પરિવાર

સમસ્ત વઢવાણ પંચ

🙏 જય ગુલાબ સાહેબ 🙏અમારા માટે અત્યંત આનંદ અને ગૌરવની વાત છે કે સદગુરુ ગુલાબ સાહેબની કૃપાથી હવે જૂના મંદિરને નવી ભવ્ય અને ...
23/04/2026

🙏 જય ગુલાબ સાહેબ 🙏
અમારા માટે અત્યંત આનંદ અને ગૌરવની વાત છે કે સદગુરુ ગુલાબ સાહેબની કૃપાથી હવે જૂના મંદિરને નવી ભવ્ય અને સુંદર મંદિર રૂપે નિર્માણ કરવાનો પવિત્ર સંકલ્પ લેવામાં આવ્યો છે.
આ મંદિર માત્ર એક ઈમારત નહીં, પરંતુ ભક્તિ, શ્રદ્ધા અને સેવા નું પ્રતિક રહેશે. નવા મંદિરના નિર્માણ દ્વારા ભક્તોને વધુ સારા સુવિધા સાથે સત્સંગ, ભજન અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો લાભ મળશે.
આ પવિત્ર કાર્યમાં આપ સૌ ભક્તોનો સહયોગ, આશીર્વાદ અને ભાગીદારી અમૂલ્ય છે. આપના યોગદાનથી આ સપનું સાકાર બનશે.
ચાલો, આપણે સૌ મળી આ પવિત્ર કાર્યમાં જોડાઈએ અને સદગુરુ ગુલાબ સાહેબના આશીર્વાદથી આ મંદિરને ભવ્ય સ્વરૂપ આપીએ. 🙏
જય ગુલાબ સાહેબ 🌸 #સદગુરુગુલાબસાહેબ #જયગુલાબસાહેબ #વઢવાણ #ભક્તિ #સેવા

23/04/2026

સદગુરુ ગુલાબ સાહેબની પવિત્ર જગ્યા, વઢવાણમાં સ્થિત એક આધ્યાત્મિક ધામ છે, જ્યાં ભક્તોને શાંતિ, ભક્તિ અને સકારાત્મક ઊર્જાનો અનુભવ થાય છે. અહીં નિયમિત સત્સંગ, ભજન અને સેવા પ્રવૃત્તિઓ યોજાય છે.

Address

Radha Krishna Temple Nava Darwaja Bahar
Surendranagar District
363030

Website

Alerts

Be the first to know and let us send you an email when સદગુરુ ગુલાબ સાહેબની જગ્યા - વઢવાણ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category