Gauri Dham - Chandrumana

Gauri Dham - Chandrumana This adorable and peaceful Fourth temple was reconstructed on 2004. Online Funds:
Bank of Baroda , Patan
A/C- 01480100023318
IFSC- BARBO PATANX

1 ) ચંદ્રુમાણા (ચંદ્રભાણ) ગામ તથા શ્રી ગૌરી માતાજી નો ઇતિહાસ....


ચંદ્રુમાણા ગામનો તથા વ્યાસ બ્રાહ્મણો ઇતિહાસ ઘણો રસપ્રદ અને ગૌરવવંતો છે. વિક્રમ સંવત ૯ર૪ને કારતક સુદ પુનમ ને ગુરૂવાર કૃતિકા નક્ષત્રમાં રાજા મુળરાજ સોલંકીએ સિઘ્ઘપુર (શ્રી સ્થળ) જી. પાટણમાં સરસ્વતી નદીના કીનારે રૂદ્રમહાલયની સ્થાપના કરવા માટે ઉત્તર દિશામાંથી ૧૦૩૭ વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણોને તેડાવેલા જેથી તે તમામ બ્રાહ્મણો ઔદિચ્ય સ

હસ્ત્ર બ્રાહ્મણો તરીકે ઓળખાય છે. ત્યારબાદ રૂદ્રમહાલયની સ્થાપના વિઘિ સંપૂર્ણ થયા બાદ બ્રાહ્મણો ને રાજા મૂળરાજ સોલંકીએ ૧૭૧ ગામો ભેટ (દાન) માં આપવામાં આવેલા હતા. તે પૈકી એક ગામ ચંદ્રભાણ (ચંદ્રુમાણા) બે બ્રાહ્મણોને ભેટમાં તામ્રપત્રે લેખ લખી આપેલ તે સમયાંતરે ચંદ્રુમાણા ગામ તરીકે ઓળખાવા લાગ્યુ. ચંદ્રભાણ નો અર્થ ચંદ્ર અને ભાણ એટલે સૂર્યનો વિશાળ અર્થ થાય છે. આમ સૂર્ય, ચંદ્રની સાક્ષીએ બ્રાહ્મણોને આ ગામ દાનમાં મળેલ. તે સમયે આ ગામમાં મોર, બલાત, વેરાત, અને મદાત પટેલો પણ હતા. આજે પણ કચ્છ, કાઠીયાવાડ તથા સમ્રગ રાજ્યમાંથી પાટીદાર પરીવારો માતાજીના દર્શનાર્થે પધારે છે. તે તમામની કુળદેવી શ્રી ગૌરી માતાજી છે. ત્યારબાદ મુસ્લીમ શાસન ઇ.સ.૧૪૦૭ આવતાં ચંદ્રુમાણા ગામ કાજીઓના વહીવટમાં મુકાતાં બ્રાહ્મણો પાસે કરવેરાની માંગણી કરતાં સંઘર્ષ થયેલો અને ધણા વર્ષો સુધી બ્રાહ્મણો બાજુમાં આવેલા ગોવના ગામમાં રહી બહારવટુ ખેલી ખેલી મુસ્લીમો સામે જંગ કરેલ આખરે મુસ્લીમો સાથે સમાધાન થતાં એક બ્રાહ્મણ તે ભોટુરામ વ્યાસ ગામમાં પરત રહેવા આવ્યા. જ્યારે તેમના સગા ભાઇ કાર્તિકીય વ્યાસ સમાધાનમાં સમંત થયેલ નહી અને ઘોડો લઇ ને ચાલી નીકળેલ અને તેઓ સૌરાષ્ટ્રમાં સ્થિર થયેલા તેમના પરિવાર અત્યારે સમ્રગ ભારતમાંથી દર્શનાર્થે આવે છે. ગુજરાતમાં અનેક જગ્યાએ વ્યાસકૂળના પૂર્વજોએ હિન્દુધર્મ, ગાયો અને બહેન-દીકરીઓની રક્ષા કાજે બલીદાન આપેલ છે. તેમના પાળીયા આજે પણ મહેસાણા ખાતે ભયા વ્યાસ સૌરાષ્ટ્રમાં ખંડેરા જિ. જામનગરમાં સોમેશ્વર વ્યાસ, પીઠડ જિ. જામનગરમાં આત્મારામદાદા, ઓઢવ, તા. કડીમાં ચકા વ્યાસ, આમ અનેક જગ્યાએ તેમની ખાંભીઓ (પાળીયા) પુજાય છે.
ગૌતમ ગોત્રી વ્યાસ પરિવાર જે પ્રમાણે કર્મ કર્યા તે પ્રમાણે ભટ્ટ, ત્રિવેદી, પંડ્યા, શુક્લ, પાઠક, જોષી વગેરે પેટા અટકથી પણ ઓળખાય છે.
ચંદ્રુમાણીયા વ્યાસની કુળદેવી શ્રી ગૌરી માતાજી, ગૌત્ર-ગૌત્તમ, ઇષ્ટદેવ- દૂધેશ્વર મહાદેવ, મહાકાલ ભૈરવ, બહુરૂપ ગણપતિ, મધ્યાંદીની શાખા, યર્જુવેદ, ત્રિપ્રવર ( ગૌત્તમ, અંગીરશ, આયશ્ય ) તથા વિષ્ણુશર્મ છે.
ચંદ્રુમાણા ગામમાં વર્ષો જુનુ શિવાલય આવેલુ છે. તે શિવાલય કેટલા વર્ષો જુનુ છે. તેનો કોઇ જ આધાર મળી આવતો નથી જે દૂધેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે. તે શિવાલયમાં શ્રી ગૌરી માતાજીની એક અતિ પ્રાચિન મૂર્તિ શ્યામ આરસની આવેલ છે. જે મૂર્તિના ચરણ નીચે એક લેખ લખાયેલ છે. કે ‘‘ સવંત ૧૩૭૦ ને આસોસુદ બીજ ને ગુરૂવારે રાજપૂત્ર દિનાકીનશ્વિય ના પૂણ્ય અર્થે મૂર્તિ ની રચના કરી ’’ આમ આ મૂર્તિ પ્રાચીન છે. તેનાથી પણ અતિ પ્રાચીન મૂર્તિ શિવાલયમાં આવેલ છે. જે સફેદ આરસની છે. તેને વિધર્મીઓએ ખંડિત કરેલ છે. પરંતુ તે કેટલી પ્રાચીન છે તેના કોઇ પુરાવા મળેલ નથી. પાટણની પ્રચલિત ‘‘ રાણકી વાવ ’’ માં પણ શ્રી ગૌરી માતાજી ( મહિષાસુર મર્દિની) ની મૂર્તિના દર્શન થાય છે.
શ્રી ગૌરી માતાજી ના સાનિધ્યમાં આવેલ તળાવ હાલમાં દેવી તળાવ તરીકે ઓળખાય છે. જ્યા વિક્રમ સવંત ર૦૦૭ પહેલા ઇંટોના રોડા પડેલા હતા જેથી લોકો ‘‘ રૂવડમાતા ’’ તરીકે ઓળખતા અને પૂજન કરતા હતા. વિક્રમ સવંત ર૦૦૭ માં માતાજીનાં આદ્ય પુજારી શ્રી રામકૃષ્ણ દવેજી ને સ્વપ્ન દ્વારા શ્રી ગૌરી માતાજી નો સંકેત મળતાં ત્યાં ગામનાં કંદોરીયાઓ એ શુભ મુહુર્ત જોવડાવીને સવંત ર૦૧૧ ને વૈશાખ સુદ આઠમ ને શુક્રવારના દિવસે ખોદકામ કરતાં એક પ્રાચીન પત્થરનો પાયો મળી આવેલ જે સાડા ચાર ફુટના માપનો હતો. પત્થરના પાયા ઉપર જ મંદિર બનાવી ત્યાં નવીન આરસની હાલની મૂર્તિ લાવી પ્રાણપ્રતિષ્ઠા કરી. ત્યારબાદ જેમજેમ માતાજીની જાગૃતિ આવતી જઇ તેમ તેમ સમ્રગ ભારત એટલે કચ્છ, કાઠીયાવાડ, મધ્યગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આસામ, પશ્વિમબંગાળ વિગેરે સ્થળોમાંથી માં ગૌરીના અસંખ્ય કંદોરીયા દર્શનાર્થે આવતા થયેલા છે.
છેલ્લે માતાજીની ખૂબ જ મોટી સંખ્યામાં તેના કંદોરીયા આવતા થયા ભવ્ય મંદિર બનવાની ભાવના પ્રગટ થતા આજનું આ ભવ્ય મંદિર બનાવી સંવત ર૦૬૦ ને વૈશાખ સુદ અગીયારસ ને શનિવાર તા. ૦૧-૦૫-ર૦૦૪ ના રોજ શ્રી ગૌરી માતાજીની ભવ્ય પુન:પ્રાણ પ્રતિષ્ઠા માતાજીના તે જ સ્થાન ઉપર માતાજીની રજા લઇ કરવામાં આવેલ છે.
હજુ પણ પટેલ ભાઇઓના અને બારોટોના ચોપડે એવા આધાર છે કે શ્રી ગૌરી માતાજીની ભવ્ય વાવ અને માતાજીની સોનાની મૂર્તિ જમીનમાં દટાયેલ છે. અગાઉ દેવી તળાવના ખોદકામ કરતાં અનેક જુની અને આખી ને આખી ઇંટોની દિવાલ મળી આવેલ જે તેના પ્રતેક્ષ્ય પુરાવા છે. પરંતુ કોઇ નક્કર જગ્યા નક્કી થતી નથી જે મા ગૌરી ની કૃપાને આધિન છે. આ સિવાય પણ અનન્ય ગૌરવવંતો ઇતિહાસ જમીનમાં ધરબાયેલ છે.
~સંપાદક - જનકભાઈ બી.વ્યાસ (ચંદ્રુમાણા)

वैशाख शुक्ल पूर्णिमा दिनांक १/०५/२०२६ तथा शुक्रवार के दर्शन।
01/05/2026

वैशाख शुक्ल पूर्णिमा दिनांक १/०५/२०२६ तथा शुक्रवार के दर्शन।

🔴 LIVE દર્શન – આજે ખાસ પ્રસંગ! 🙏૨૧મો વાર્ષિક પાટોત્સવ નિમિત્તેશ્રી ગૌરી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ – ચંદ્રમાણા તરફથીઆપ સૌને ...
27/04/2026

🔴 LIVE દર્શન – આજે ખાસ પ્રસંગ! 🙏

૨૧મો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે
શ્રી ગૌરી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ – ચંદ્રમાણા તરફથી
આપ સૌને LIVE દર્શનમાં હાર્દિક આમંત્રણ 🌸

📅 તારીખ: ૨૭/૦૪/૨૦૨૬, સોમવાર
📍 સ્થળ: શ્રી ગૌરી માતાજી મંદિર, ચંદ્રમાણા

🔴 LIVE જોવા માટે અહીં ક્લિક કરો:
👉 https://youtube.com/live/Kwx4TPB8Y90?feature=share

🙏 આજે માતાજીના આશીર્વાદ મેળવો,
📿 પૂજા, આરતી અને ભક્તિમય કાર્યક્રમનો સીધો પ્રસારણ

👨‍👩‍👧‍👦 પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો

#ગૌરીમાતા

🔴 LIVE | ૨૧મો વાર્ષિક પાટોત્સવ | શ્રી ગૌરી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ, ચંદ્રમાણા | 2026

विक्रम संवत २०८२ वैशाख शुक्ल एकादशी दिनांक २७/०४/२०२६ सोमवार (२१ वे वार्षिक पाटोत्सव) के दर्शन।
27/04/2026

विक्रम संवत २०८२ वैशाख शुक्ल एकादशी दिनांक २७/०४/२०२६ सोमवार (२१ वे वार्षिक पाटोत्सव) के दर्शन।

માઁ ગૌરી વાર્ષિક પાટોત્સવ ૨૭/૦૪/૨૦૨૬ નું સર્વે ભાવિક ભક્તો ને આમંત્રણ...
11/04/2026

માઁ ગૌરી વાર્ષિક પાટોત્સવ ૨૭/૦૪/૨૦૨૬ નું સર્વે ભાવિક ભક્તો ને આમંત્રણ...

चैत्र शुक्ल पूर्णिमा दिनांक २/४/२०२६ तथा गुरुवार के दर्शन।
02/04/2026

चैत्र शुक्ल पूर्णिमा दिनांक २/४/२०२६ तथा गुरुवार के दर्शन।

चैत्र शुक्ल अष्टमी/नवमी दिनांक २६/०३/२०२६ तथा गुरुवार के दर्शन।
26/03/2026

चैत्र शुक्ल अष्टमी/नवमी दिनांक २६/०३/२०२६ तथा गुरुवार के दर्शन।

चैत्र शुक्ल सप्तमी दिनांक २५/०३/२०२५ तथा बुधवार के दर्शन।
25/03/2026

चैत्र शुक्ल सप्तमी दिनांक २५/०३/२०२५ तथा बुधवार के दर्शन।

चैत्र शुक्ल षष्ठी दिनांक २४/०३/२०२५ तथा मंगलवार के दर्शन।
24/03/2026

चैत्र शुक्ल षष्ठी दिनांक २४/०३/२०२५ तथा मंगलवार के दर्शन।

चैत्र शुक्ल पंचमी दिनांक २३/०३/२०२६ तथा सोमवार के दर्शन।
23/03/2026

चैत्र शुक्ल पंचमी दिनांक २३/०३/२०२६ तथा सोमवार के दर्शन।

चैत्र शुक्ल चतुर्थी दिनांक २२/०३/२०२६ तथा रविवार के दर्शन।
22/03/2026

चैत्र शुक्ल चतुर्थी दिनांक २२/०३/२०२६ तथा रविवार के दर्शन।

चैत्र शुक्ल तृतीया दिनांक २१/०३/२०२६ तथा शनिवार के दर्शन।
21/03/2026

चैत्र शुक्ल तृतीया दिनांक २१/०३/२०२६ तथा शनिवार के दर्शन।

Address

Gauri Maiya Temple Road, Chandrumana
Patan
384255

Opening Hours

Monday 7am - 7pm
Tuesday 7am - 7pm
Wednesday 7am - 7pm
Thursday 7am - 7pm
Friday 7am - 7pm
Saturday 7am - 7pm
Sunday 7am - 7pm

Telephone

+919428957889

Website

Alerts

Be the first to know and let us send you an email when Gauri Dham - Chandrumana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Gauri Dham - Chandrumana:

Share

Category