04/06/2026
॥ જગન્નાથઃ સ્વામી નયનપથગામી ભવતુ મે ॥
વૈદિક સનાતન ધર્મની પરંપરામાં ભારતભરમાં યોજાતી ભવ્ય રથયાત્રાઓમાં અણહિલપુર પાટણની આ પાવન રથયાત્રા ગૌરવવંતું તૃતીય સ્થાન ધરાવે છે, જે સમગ્ર પાટણવાસીઓ માટે પરમ સૌભાગ્ય અને અસ્મિતાનો વિષય છે.
ચાલુ વર્ષે પ્રભુ જગન્નાથજીની ૧૪૪મી ઐતિહાસિક નગરચર્યાનું ભવ્યાતિભવ્ય આયોજન થઈ રહ્યું છે. વર્તમાન સમયની અર્થવ્યવસ્થા અને મોંઘવારીના પરિપ્રેક્ષ્યમાં, આ વિરાટ ધાર્મિક ઉત્સવ, મહાપ્રસાદ અને વિવિધ સામાજિક-ધાર્મિક પ્રકલ્પોના સુચારુ સંચાલન માટે વિશાળ ભંડોળની આવશ્યકતા રહે છે.
શાસ્ત્રોક્ત વચન છે કે "યજ્ઞો દાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ્" અર્થાત દાન એ મનુષ્યના જીવનને પવિત્ર કરનારો પરમ ધર્મ છે.
આથી, તમામ ધર્મપ્રેમી નગરજનો, શ્રેષ્ઠીઓ અને ઉદારમના દાતાશ્રીઓને નમ્ર અપીલ છે કે લોકમંગલના આ દિવ્ય સેવા-યજ્ઞને અવિરત રાખવા માટે આપની યથાશક્તિ અનુસાર ઉદાર હાથે આર્થિક સહયોગ અર્પણ કરો. આપનું પ્રત્યેક યોગદાન સનાતન સંસ્કૃતિના સંવર્ધનમાં સહભાગી બનશે.
સાદર,
આચાર્ય પીયૂષ (મુખ્ય ટ્રસ્ટી)
શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટ, પાટણ
સંપર્ક: ૯૩૭૫૧ ૧૯૦૦૦
॥ જય જગન્નાથ ॥