07/03/2026
આ પારસ મારા પોતાના......
▪️પ્રતિષ્ઠા વખતે જે પાર્શ્વનાથ નું નામ લેવાય છે તે ભગવાન?
*જ. જીરાવલા પાર્શ્વનાથ*
▪️ખર અને દુષણે ભરાવેલા ભગવાન?
જ. અંતરિક્ષ પાર્શ્વનાથ
▪️પાર્શ્વનાથ પ્રભુની હાથીએ પૂજા કરી એ ભગવાન?
જ. કલિકુંડ પાર્શ્વનાથ
▪️વેલું થી બનેલી પ્રતિમા જેમાં મંદોદરી એ નવકાર ગણી પ્રાણ પૂર્યા?
જ. રાવણ પાર્શ્વનાથ
▪️સંગ્રામ સોની એ ભરાવેલી પ્રતિમા?
જ. મક્ષિજી પાર્શ્વનાથ
▪️જળ થી ભરેલા ટાંકા માંથી બહાર કાઢતા આ નામ પડ્યું?
જ. ટાંકલા પાર્શ્વનાથ
▪️કપિલ કેવલી એ પ્રતિષ્ઠિત કરેલા પ્રભુ?
જ.ભદ્રેશ્વર પાર્શ્વનાથ
▪️આ પાર્શ્વનાથની આરાધના શંખેશ્વર પાર્શ્વનાથ ની સમાન ગણાય છે?
જ. કોકા પાર્શ્વનાથ
▪️આ પ્રભુ ની પ્રતિમા અંધ શિલ્પી એ બનાવેલી છે?
જ. શેરીસા પાર્શ્વનાથ
*▪️આ પ્રતિમા જીવતા સર્પ થી વિંટાયેલી ભૂગર્ભ માંથી મળી હતી?*
*જ. ઉવસગ્ગહરં પાર્શ્વનાથ*
*▪️વર્ષો સુધી કુવામાં રહેવા છતાં એક પણ કણ ખર્યો નહિ અને પ્રભુ લોખંડ જેવા બની ગયા ?*
*જ. લોઢણ પાર્શ્વનાથ*
*▪️અમદાવાદ પાંજરાપોળના આ પરમાત્માની પ્રતિમાના કોઈ વ્યક્તિ સતત છ મહિના સુધી દર્શન કરી શકતું નથી?*
*જ. મુલેવા પાર્શ્વનાથ*
*▪️પ્રતિમા માં નવ સાંધા દેખાય છે માટે આ નામ પડ્યું?*
*જ. નવખંડા પાર્શ્વનાથ*
*▪️આગળ અને પાછળ થી એક સરખા નામ બોલાય તે પ્રભુ ?*
*જ. દાદા / ભાભા પાર્શ્વનાથ*
*▪️ઘી ના ગાડવા માં પ્રભુ ને રાખવા થી ઘી ખુટ્યું નહિ તેથી આ નામ પડ્યું?*
*જ. ધ્રુતકલ્લોલ પાર્શ્વનાથ*
*▪️૧૪૪૪ થાંભલા વાળા તીર્થ ના પ્રભુ નું નામ?*
*જ. રાણકપુરા પાર્શ્વનાથ*
*▪️આ પરમાત્મા ના હાથ માં નાગ અને નાગણી નું જોડું ચિત્રાવેલું દેખાય છે ?*
*જ. અલૌકિક પાર્શ્વનાથ*
*▪️આ પાર્શ્વનાથ પ્રભુ નો ઉલ્લેખ જગચિંતામણી સૂત્ર માં થયેલો છે?*
*જ. મુહરી પાર્શ્વનાથ*
*▪️નવાંગી ટીકાકાર અભયદેવસુરીજી ના કોઢ રોગ ને દૂર કરનાર પ્રભુ?*
*જ. સ્તંભન પાર્શ્વનાથ*
*▪️કલ્યાણ પાર્શ્વનાથ નું પ્રથમ નું નામ કયું હતું?*
*જ. કલ્હારા પાર્શ્વનાથ*
*▪️આ જિનાલય માં યાત્રિકો આવવાના હોય તો આજે પણ ધજા ધ્વજ દંડ ને વિન્ટાળાઈ જાય છે?*
*જ. પોશીના પાર્શ્વનાથ*
*▪️રાજા ઓ પણ રાજા એવા.......... પાર્શ્વનાથ?*
*જ. સુલતાન પાર્શ્વનાથ*
*▪️આ પ્રભુ ચાર સ્વરૂપ બદલે છે?*
*જ. ચારૂપ પાર્શ્વનાથ*
*▪️કેશરવર્ણ ની પ્રતિમા નું નામ?*
*જ. અજાહારા પાર્શ્વનાથ*
*▪️પ્રતિમા માં નવ અંગ ના તિલક ના સ્થાને નવ યંત્ર ખોદી તેમાં મંત્રો લખવામાં આવ્યા હોવા થી આ નામ પડ્યું?*
*જ. નવલખા પાર્શ્વનાથ*
*▪️ભૂલા પડેલા યાત્રિકો ને આશ્ચર્ય જનક રીતે રસ્તા મળી જાય છે આ પ્રભુ ની પ્રતિમા મરકત માની ની બનેલી છે?*
*જ. નાગેશ્વર પાર્શ્વનાથ*
*▪️મથુરા માં કુબેરસેના ગણિકા એ આ જિનાલય બંધાવ્યું હોવાનું કહેવાય છે?*
*જ. કલ્પદ્રુમ પાર્શ્વનાથ*
*▪️કલ્યાણ મંદિર સ્તોત્ર ની રચના વખતે આ પ્રભુ પ્રગટ થયાં?*
*જ. અવંતી પાર્શ્વનાથ*
*▪️પ્રતિષ્ઠા સમયે 51 ઇંચ ના પ્રભુ ચાર કુમારિકા દ્વારા ફૂલ ની જેમ ઊંચકાઈ ગયા?*
*જ. કેસરિયા પાર્શ્વનાથ*