09/11/2020
🌧🌩⛈ બૂરાનપુરમાં વરસાદ કર્યો 🌧🌩⛈
એક વર્ષે એમ બન્યું કે, બુરાનપુરમાં વરસાદ જ ના થયો. અને અષાઢ માસ સુદ્ધાં કોરો ગયો. એ સમયે ત્યાં શ્ર્ર્રૃંગેરી મઠના શંકરાચાર્ય આવેલા હતા. ત્યાંના રાજાએ પૂછ્યું, “આ વર્ષે વરસાદ થશે કે કેમ ?”
શંકરાચાર્યને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ખૂબ જ દ્વેષ હુતો, એટલે એણે રાજાને સવાલ કર્યો, “તમારા રાજ્યમાં કોઈ નવો પંથ છે ?”
રાજા કહે, “હા ! અમારે ત્યાં સ્વામિનારાયણ પંથ છે !”
શંકરાચાર્યએ કીધું, “તેથી જ, તમારા રાજ્યમાં વરસાદ નથી થાતો !”
આ કારણ થી રાજાએ બધા જ સત્સંગી ભક્તોને કેદ કરી લીધા. અને ચેતવણી આપી, “ક્યાં તો આ ડોકમાંથી સ્વામિનારાયણની કંઠી કાઢી નોંખો; અથવા તો ૮ જ દિવસમાં વરસાદ વરસાવો ! નઈતર બધાયને, ડામ દઈને પરગણા બહાર કાઢી નોંખીશું !”
જેલમાં હરિભક્તોએ મહારાજને પ્રાર્થના, સ્તુતિ કરી. ગઢપુરમાં અંતર્યામી શ્રીહરિ આ જાણીને ખૂબ ઉદાસ થઈ ગયા. વાળુ પણ ભાવ્યું નહીં, અને ઊંઘ પણ ના આવી, શુકસ્વામીએ પૂછ્યું, “શું થયું મહારાજ ? છેક બપોરથી તમે ખૂબ જ ઉદાસ દેખાવ છો ?”
મહારાજે બુરાનપુરની વાત જણાવીને સ્વામીને કીધું, “સ્વામી ! તમે એમને કાગળ લખો !”
શુકસ્વામી કહે, “મહારાજ ! હમણાં તમે આરામ કરો, સવારે કાગળ લખીશું !”
શ્રીજી મહારાજ કહે, “ના સવારે નહિ, સ્વામી ! અત્યારે જ કાગળ લખવો છે”
અને શુકસ્વામી કાગળ લખવા બેઠા. ત્યાં તો દીવામાં તેલ પૂરું થઈ ગયું અને એના લીધે દીવો ઓલવાઈ ગયો. અંધારામાં લખવું કેમ !
એટલામાં તો શ્રીહરિએ પોતાના જમણા પગના અંગૂઠા માંથી તેજ રશ્મિઓ પાથરી દીધી. જેમ આપણે અંધારા માં કાઈંક ગોતવા કે દેખવા માટે, બેટરૂ જલાવી પ્રકાશ કરીએ ને એમ. એનાથી ય સરસ મજાનું તેજ પથરાયું, અને પત્ર પૂરો કરાવ્યો. આ લીલા ખરેખર પ્રિસિદ્ધ છે !
એ તેજના પ્રકાશમાં, ભક્તોની ધીરજના આખ્યાન લખાવ્યા જે, “ત્રીજા દિવસથી ૮ દિવસ સુધી ખૂબ જ સરસ વરસાદ થશે !”
શુકસ્વામી પૂછે, “હવે આ પત્ર કોની સાથે મોકલીએ ?”
તો મહારાજે કીધું, “ગોવિંદરામ ભટ્ટને મોકલીએ !”
ભટજીને આદેશ આપ્યો, “ તમે જલદીથી બુરાનપુર જાવ, અને રસ્તામાં કયાંય પણ રોકાશો નહિ !” પત્ર લઈને ભટ્ટજી ચાલ્યા બૂરાનપુર તરફ ! અંધારી રાત હતી, તેથી ઘેલા કાઠે શિવની દેરીએ સુતા સૂતા વિચાર્યુ કે, ૪ વાગ્યે ચાલીશ ! અને સવારે જાગ્યા, ત્યાં તો પોતાને બુરાનપુરનો દરવાજે, તાપી નદી પાસે જોયા. અને ત્યાં કેદખાને જઈ ને ભક્તોને કાગળ આપ્યો ત્યારે ભકતોને શાંતિ થઇ.
ભટ્ટ કહે, હવે હું નાહીને આવું ! એમ કહી, પૂજા કપડાં કિનારે મુકી તાપીમાં ડુબકી મારી તો, ગઢપુરે ઘેલા નદી માંથી નિકળ્યા.
મહારાજના વચને બૂરાનપૂરમાં વરસાદ થયો. એ જોઈને રાજાએ બધા હરિભક્તોને મુક્ત કર્યા. રાજા કહે, “ભગવાન પણ ખરા; અને તમે પણ ખરા !”
ખૂબ જ વરસાદમાં દ્રેષી શંકરાચાર્યનો મઠ સુદ્ધાં તણાઈ ગયો, અને એમને ખૂબ જ નુકશાન થયું. આમ, મહારાજે વરસાદ વરસાવીને બુરાનપુરના ભકતોની રાજાથી રક્ષા કરી.
જય શ્રી સ્વામિનારાયણ ..
🌧🌩⛈🌧🌩⛈🌧🌩⛈🌧🌩⛈