Iskcon Mayapurtv Gujarati

Iskcon Mayapurtv Gujarati Gujarati and Hindi language spiritual inspiration from Sri Dham Mayapur.

28/03/2026
21/02/2025

KIRTAN MELA MAYAPUR 2025 । HH Jayapataka Swami
Please don't miss this opportunity to join Kirtan Mela 2025 in Sri Dham Mayapur.

Also broadcasting live on www.mayapur.tv or the "Mayapur TV" channels on Youtube and Facebook.



festival,mayapur festival,gaura purnima festival,kirtan festival,international kirtan festival,iskcon mayapur gaurpurnima festival kirtanmela,devotional,mangal arati,devotional songs,mayapur mangal arati,musical instruments,international kirtan,aarti,bhakti,divine

21/02/2025

KIRTAN MELA MAYAPUR 2025 । HG Shyama Gauri Devi Dasi
Please don't miss this opportunity to join Kirtan Mela 2025 in Sri Dham Mayapur.

Also broadcasting live on www.mayapur.tv or the "Mayapur TV" channels on Youtube and Facebook.



festival,mayapur festival,gaura purnima festival,kirtan festival,international kirtan festival,iskcon mayapur gaurpurnima festival kirtanmela,devotional,mangal arati,devotional songs,mayapur mangal arati,musical instruments,international kirtan,aarti,bhakti,divine

18/02/2025

KIRTAN MELA MAYAPUR 2025 । HG Braja Vilas Das.
Please don't miss this opportunity to join Kirtan Mela 2025 in Sri Dham Mayapur.

Also broadcasting live on www.mayapur.tv or the "Mayapur TV" channels on Youtube and Facebook.



festival,mayapur festival,gaura purnima festival,kirtan festival,international kirtan festival,iskcon mayapur gaurpurnima festival kirtanmela,devotional,mangal arati,devotional songs,mayapur mangal arati,musical instruments,international kirtan,aarti,bhakti,divine

, , ,healing,chanting,w.bengal, ,live kirtan,meditation,bhakti yoga, , ,mayapur arati,sandhya arati,heart-melting

17/02/2025

KIRTAN MELA MAYAPUR 2025 । HG Gourangi Gandharvika Devi Dasi
Please don't miss this opportunity to join Kirtan Mela 2025 in Sri Dham Mayapur.

Also broadcasting live on www.mayapur.tv or the "Mayapur TV" channels on Youtube and Facebook.

Arrival Lecture -- Dallas, March 3, 1975તો હું ખુબજ પ્રસન્ન છું અહીના વાતાવરણને જોઇને, શિક્ષા એટલે કે કૃષ્ણ ભાવનામૃત. તે...
23/06/2022

Arrival Lecture -- Dallas, March 3, 1975

તો હું ખુબજ પ્રસન્ન છું અહીના વાતાવરણને જોઇને, શિક્ષા એટલે કે કૃષ્ણ ભાવનામૃત. તે શિક્ષા છે. જો ફક્ત આપણે તે સમજીએ કે, "કૃષ્ણ પરમ પુરુષ છે. તેઓ મહાન છે અને આપણે બધા તેમને આધીન છીએ. તો આપણું કર્તવ્ય કૃષ્ણની સેવા કરવું છે." આ બે વાક્ય, જો આપણે સમજી જઈશું, ત્યારે આપણું જીવન સાર્થક છે. જો આપણે બસ એમ શિખીએ કે કેવી રીતે કૃષ્ણની પૂજા કરવી, કેવી રીતે તેમને પ્રસન્ન કરવા, કેવી રીતે તેમનો શૃંગાર કરવો, કેવી રીતે તેમને સરસ ભોજન અર્પણ કરવું, કેવી રીતે તેમને સરસ પુષ્પ અને આભુષણથી સજાવવા, અને કેવી રીતે તેમને આપણા આદરયુક્ત પ્રણામ અર્પણ કરવા, કેવી રીતે તેમના નામનો જપ કરવો, આ રીતે, જો ફક્ત આપણે વિચારીએ, આ કહેવાતી શિક્ષા વગર પણ આપણે આ બ્રહ્માણ્ડમાં સિદ્ધ પુરુષ બની જશું. આ કૃષ્ણ ભાવનામૃત છે. તેને અ-બ-ક-ઘ ની શિક્ષાની જરૂરત નથી. તેના માટે ફક્ત ચેતનાનું બદલાવું જરૂરી છે. તો જો આ બાળકોને તેમના જીવનના પ્રારંભથી શિક્ષા અપાય છે... અમારા પાસે અવસર હતો અમારા માતા-પિતા પાસેથી આવું પ્રશિક્ષણ મેળવવા માટે.

ઘણા બધા સાધુ પુરુષો મારા પિતાના ઘેર આવતા હતા. મારા પિતા એક વૈષ્ણવ હતા. તેઓ વૈષ્ણવ હતા, અને તેમની ઈચ્છા હતી કે હું પણ વૈષ્ણવ બનું. જ્યારે પણ કોઈ સાધુ પુરુષ આવતા, તેઓ તેમને પૂછતા, "કૃપા કરીને મારા પુત્રને આશીર્વાદ આપજો કે તે રાધારાણીનો સેવક બને." તે તેમની પ્રાર્થના હતી. તે બીજું કઈ પ્રાર્થના કરતા ન હતા. અને તેમણે મને શિક્ષા આપી કેવી રીતે મૃદંગ વગાડવું. મારા માતા વિરોધમાં હતા. બે શિક્ષક હતા - એક મને અ-બ-ક-ખ શીખવાડવા માટે, અને બીજા મને મૃદંગ શીખવાડવા માટે. તો એક શિક્ષક રાહ જોઈ રહ્યા હતા અને બીજા શિક્ષક મને શીખડાવી રહ્યા હતા કેવી રીતે મૃદંગ વગાડવું. તો મારી માતા ક્રોધિત થતા કે "આ શું છે? તમે મૃદંગ શીખવાડો છો?" આ મૃદંગથી તે શું કરશે?" પણ કદાચ મારા પિતાની ઈચ્છા હતી કે હું ભવિષ્યમાં મહાન મૃદંગવાદ્ય બનું. (હાસ્ય) તેથી હું મારા પિતાનો ખુબજ ઋણી છું, અને મે મારી પુસ્તક, કૃષ્ણ, તેમને સમર્પિત કરી છે. તેમને તે જોઈતું હતું. તેમને મને ભાગવત, શ્રીમદ-ભાગવતમનો પ્રચારક બનાવવો હતો, અને મૃદંગનો વાદ્ય અને રાધારાણીનો દાસ.

તો બધા માત-પિતાઓને આમ વિચારવું જોઈએ; નહીતો, કોઈને પણ પિતા અને માતા ન બનવું જોઈએ. તે શાસ્ત્રનું કથન છે. તે શ્રીમદ ભાગવતના કહેલું છે, પાંચમા સ્કંધમાં, પિતા ન સ સ્યાજ જનની ન સ સ્યાદ ગુરુર ન સ સ્યાત સ્વજનો ન સ સ્યાત. આ રીતે, સારાંશ છે કે, ન મોચયેદ ય: સમુપેત મૃત્યુમ. જો વ્યક્તિ તેના શિષ્યની રક્ષા કરી શકતો નથી, મૃત્યુના નિકટવર્તી સંકટથી, તેણે ગુરુ ન બનવું જોઈએ. વ્યક્તિએ માતા કે પિતા પણ ન બનવું જોઈએ, જો તે તેમ નથી કરી શકતો. આ રીતે, કોઈ મિત્ર, કોઈ બંધુ, કોઈ પિતા, કોઈ..., જો વ્યક્તિ બીજાને શીખડાવી ન શકે કેવી રીતે મૃત્યુના ચંગુલથી બચવું. તો સમસ્ત દુનિયામાં આ શિક્ષાની જરૂર છે. અને સરળ વસ્તુ છે કે વ્યક્તિ બચી શકે છે આ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગના ચક્રથી માત્ર કૃષ્ણ ભાવનાભાવિત બનીને.

Lecture on SB 1.8.18 -- Chicago, July 4, 1974પ્રભુપાદ: આરાધિતો યદિ હરિસ તપસા: તતઃ કિમ. જો તમે કૃષ્ણની આરાધના કરી શક્યા છ...
21/06/2022

Lecture on SB 1.8.18 -- Chicago, July 4, 1974

પ્રભુપાદ: આરાધિતો યદિ હરિસ તપસા: તતઃ કિમ. જો તમે કૃષ્ણની આરાધના કરી શક્યા છો, તો કોઈ વધારે તપસ્યાની જરૂર નથી... કારણ કે આત્મ-સાક્ષાત્કાર માટે કે ભગવાનને જાણવા માટે ઘણી બધી વિધિઓ, તપસ્યાઓ છે. કોઈક વાર આપણે જંગલમાં જઈએ, જંગલમાં જોવા માટે કે ભગવાન ક્યાં છે, ક્યાં... વિવિધ પ્રકારના વિધિ છે, પણ શાસ્ત્ર કહે છે કે જો વાસ્તવમાં તમે કૃષ્ણની આરાધના કરો છો, આરાધિતો યદિ હરીસ તપસા તતઃ કિમ, ત્યારે તમારે કઠોર તપસ્યા કરવાની કોઈ આવશ્યકતા નથી. અને નારાધીતો, નારાધીતો યદિ હરીસ તપસાહ તતઃ કિમ, અને અંતમાં કઠોર તપસ્યા કરવા પછી.., કઠોર તપસ્યા કર્યા પછી પણ, જો, જો તમે કૃષ્ણને જાણો નહીં, તો તેનો શું લાભ છે? તે વ્યર્થ છે. નારાધીતો યદિ હરીસ તપસાહ તતઃ કિમ, અંતર બહિર યદિ હરીસ તપસા તતઃ કિમ. તેવી જ રીતે, જો તમે કૃષ્ણને ચોવીસ કલાક અંદર અને બહાર જોઈ શકો, ત્યારે તે બધા તપસ્યાનું લક્ષ્ય છે.

તો અહી કૃષ્ણ ફરી કહે છે, કુંતી કહે છે, કે "જો કે કૃષ્ણ અંદર અને બહાર છે, કારણકે આપણી પાસે આંખો નથી તેમને જોવા માટે," અલક્ષ્યમ, "અદૃશ્ય." જેમ કે અહી કૃષ્ણ કુરુક્ષેત્રના યુદ્ધસ્થળ પર ઉપસ્થિત હતા, માત્ર પાંચ પાંડવો, અને તેમની માતા કુંતી, તેઓ સમજી શક્યા હતા કે કૃષ્ણ પૂર્ણ પુરષોત્તમ ભગવાન છે. અને થોડા બીજા લોકો. તો જો કે કૃષ્ણ ઉપસ્થિત હતા, કોઈએ તેમને સાધારણ માણસની જેમ સમજ્યા. અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમ આશ્રીતમ. કારણકે તેઓ માનવ સમાજ પ્રતિ ખુબજ દયાળુ છે, તેઓ સ્વયમ અવતરિત થયા. છતાં, કારણ કે તેમની પાસે ભગવાનને જોવા માટે કોઈ આંખો ન હતી, તેઓ જોઈ ન શક્યા. તેથી કુંતી કહે છે, અલક્ષ્યમ, "તમે અદૃશ્ય છો, જો કે તમે અંતર બહિ:, સર્વ ભુતાનામ." એવું નથી માત્ર ભક્તનાં જ અંતર-બહિ: - દરેકના. બધાના હ્રદયમાં કૃષ્ણ સ્થિત છે, ઈશ્વર: સર્વ ભૂતાનામ હ્રદેષુ. એમ બતાવે છે, હ્રદેષુ, કે અહી હ્રદયમાં, કૃષ્ણ છે. હવે, તેથી, ધ્યાન, યોગ પદ્ધતિ છે કે કેવી રીતે કૃષ્ણને હ્રદયમાં શોધવા. તેને ધ્યાન કેહવાય છે.

તો કૃષ્ણની સ્થિતિ હમેશા દિવ્ય છે. જો આપણે આ દિવ્ય પદ્ધતિ, કૃષ્ણ ભાવનામૃતનો સ્વીકાર કરીશું, નિયમોનું, અને પાપમય જીવનથી મુક્ત થવાનો પ્રયત્ન કરીશું. કારણકે જ્યારે તમે બધા પાપમય કાર્ય કરો છો, તમે કૃષ્ણને જોઈ નથી શકતા, કે કૃષ્ણને સમજી નથી શકતા. ત્યારે તે શક્ય નથી. ન મામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમા: જે લોકો દુષ્કૃતિ છે... કૃતિ એટલે કે કૃતિ એટલે કે યોગ્યતા, લાયકાત; પણ દુષ્કૃતિ, તે યોગ્યતા પાપમય કાર્યો માટે ઉપયોગ કરવામાં આવે છે. તો, તેથી અમે વિનંતી કરીએ છીએ કે... અમે વિનંતી નથી કરતા, એટલે કે, આ અમારા નિયમો છે, કે વ્યક્તિએ પાપમય કાર્યથી મુક્ત થવું જ પડે. પાપમય કાર્ય, પાપમય જીવનના ચાર સ્તંભ,અવૈધ યૌન સંબંધ, માંસાહાર, નશો અને જુગાર. તો અમારા વિદ્યાર્થિઓને સલાહ આપવામાં આવે છે, સલાહ નહીં, તેમણે પાલન કરવું જ પડશે, નહીતો તેમનું પતન થશે. કારણકે એક પાપી માણસ ભગવાનને સમજી નથી શકતો. એક બાજુ આપણે બધા નિયમોનું પાલન કરવું જોઈએ અને ભક્તિ માર્ગ, બીજી બાજુ આપણે પાપમય કાર્યથી બચવું જોઈએ, ત્યારે કૃષ્ણ ઉપસ્થિત છે, અને તમે કૃષ્ણ સાથે વાત કરી શકો છો, અને કૃષ્ણ સાથે રહી શકો છો. કૃષ્ણ એટલા દયાળુ છે, જેમ કે કુંતી કૃષ્ણ સાથે તેમના ભત્રીજાની જેમ વાતો કરે છે, તેવી જ રીતે તમે પણ કૃષ્ણ સાથે તમારા પુત્ર, તમારા પતિની જેમ વાત કરી શકો છો, તમારા પ્રેમીની જેમ, તમારા મિત્રની જેમ, તમારા સ્વામીની જેમ, જેમ તમે ઈચ્છો.

તો હું ખુબજ પ્રસન્ન છું, આ શિકાગો મંદિરને જોઇને, તમે ખુબજ સારી રીતે કરી રહ્યા છો, અને સભાખંડ પણ બહુ સરસ છે. તો આ તમારા સેવાભાવથી આગળ વધો અને કૃષ્ણનો સાક્ષાત્કાર કરો. ત્યારે તમારું જીવન સફળ થશે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય! હરિબોલ!

Northeastern University Lecture -- Boston, April 30, 1969મારા પ્રિય છોકરાઓ અને છોકરીઓ, હું તમને ખુબ ખુબ ધન્યવાદ આપું છું...
20/06/2022

Northeastern University Lecture -- Boston, April 30, 1969

મારા પ્રિય છોકરાઓ અને છોકરીઓ, હું તમને ખુબ ખુબ ધન્યવાદ આપું છું આ સભામાં આવવા માટે. આપણે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પ્રચાર કરી રહ્યા છીએ કારણકે આ આંદોલનની ખુબજ જરૂર છે સમસ્ત દુનિયામાં, અને વિધિ ખુબજ સરળ છે. આ લાભ છે. સૌથી પેહલા, તમે સમજવાનો પ્રયત્ન કરો કે દિવ્ય સ્તર શું છે. જ્યાં સુધી આપણી જીવન સ્થિતિનો પ્રશ્ન છે, આપણે જુદા જુદા સ્તર ઉપર છીએ. તો સૌથી પેહલા આપણે દિવ્ય સ્તર ઉપર સ્થિત થવું પડશે. પછી દિવ્ય ધ્યાનનો પ્રશ્ન થઇ શકે. ભગવદ ગીતામાં, ત્રીજા અધ્યાયમાં, તમને મળશે કે આપણને બદ્ધ જીવનના વિવિધ સ્તર છે. પહેલો છે ઇન્દ્રિયાણી પરાણી આહુર... (ભ.ગી. ૩.૪૨). સંસ્કૃત, ઇંદ્રિયાણી. પહેલી વસ્તુ છે જીવનનો શારીરિક ખ્યાલ. આ ભૌતિક જગતમાં, આપણે બધા જીવનના શારીરિક ખ્યાલ હેઠળ છીએ. હું એમ વિચારું છું, "હું ભારતીય છું" તમે વિચારો છો કે તમે અમેરિકી છો. કોઈ વિચારે છે, "હું રશિયન છું." કોઈ વિચારે છે, "હું કોઈ બીજો છું." તો દરેક વ્યક્તિ એવું વિચારે છે કે "હું આ શરીર છું." આ એક સ્તર છે, કે એક મંચ. આ સ્તરને ઇન્દ્રિય સ્તર કેહવાય છે, કારણ કે જ્યા સુધી આપણને જીવનનો શારીરક ખ્યાલ હશે, આપણે વિચારીએ છીએ કે સુખ એટલે કે ઇન્દ્રિય તૃપ્તિ. બસ. સુખ મતલબ ઇન્દ્રિય તૃપ્તિ કારણકે શરીર મતલબ ઇન્દ્રિયો.

તો ઇંદ્રિયાણી પરાણી આહુર ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ (ભ.ગી. ૩.૪૨). ભગવાન કૃષ્ણ કહે છે કે આ ભૌતિક વિચારધારાના જીવનમાં, કે જીવનના શારીરિક ખ્યાલમાં, આપણી ઇન્દ્રિયો ખુબજ પ્રમુખ છે. આ વર્તમાન સમયે ચાલી રહ્યું છે. વર્તમાન સમયમાં જ નહીં, પણ આ ભૌતિક જગતની રચનાના આરંભથી. આ છે રોગ, કે "હું આ શરીર છું." શ્રીમદ ભાગવત કહે છે કે યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુકે સ્વધી: કલાત્રાદીષુ ભૌમ ઈજ્યધી: (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩), કે "જેને પણ આ શારીરિક સમજનો ખ્યાલ છે, કે 'હું આ દેહ છું...' " આત્મ-બુદ્ધિ કુણપે ત્રિધાતુ. આત્મ બુદ્ધિ મતલબ પોતાને ચામડી અને હાડકાંના કોથળા તરીક સમજવું. આ એક કોથળો છે. આ શરીર ચામડી, હાડકાં, રક્ત, મળ અને મૂત્ર અને કેટલી બધી સરસ વસ્તુઓ, તમે જોયું? પણ આપણે એમ વિચારીએ છીએ કે "હું આ હાડકા, ચામડી, મળ, મૂત્રનો કોથળો છું. તે આપણી સુંદરતા છે. તે આપણું બધું છે."

કેટલી બધા સરસ કથાઓ છે.. બેશક, આપણો સમય ખુબજ ઓછો છે. છતાં, હું તમને એક નાની કથા સંભળાવવા માંગુ છું. કે એક માણસ, એક છોકરો, એક સુંદર છોકરીથી આકર્ષિત થયો. તો તે છોકરી માની નહીં, પણ છોકરો ખુબજ જિદ્દી હતો. તો ભારતમાં, બેશક, છોકરીઓ, પોતાનું ચારિત્ર ખૂબ જ નિષ્ઠાથી સાચવે છે. તો આ છોકરી માની રહી ન હતી. તો તેણે કહ્યું, "ઠીક છે, હું માનું છું. એક સપ્તાહ પછી તું આવ." તેણે કહ્યું, "આ અને આ સમયે, તું આવજે." તો છોકરો ખુબજ પ્રસન્ન થઇ ગયો. અને છોકરીએ સાત દિવસ સુધી કોઈ રેચક દવા લીધી, અને તે દિવસ અને રાત, મળ કાઢી રહી હતી અને ઉલટી કરી રહી હતી, અને આ ઉલટી અને મળ તેણે એક સરસ વાસણમાં રાખી દીધું. તો જ્યારે નિર્ણિત સમય આવ્યો, ત્યારે તે છોકરો આવ્યો, અને છોકરી દરવાજા ઉપર બેઠી હતી. છોકરાએ પૂછ્યું, "ક્યા છે તે છોકરી?" તેણે કહ્યું, "હું જ છું તે છોકરી." "ના, ના. તું તે નથી. તું કેટલી કદરૂપી છે. તે કેટલી સુંદર હતી. તું તે છોકરી નથી." "ના, હું તે છોકરીજ છું, પણ હવે મેં મારી સુંદરતા એક અલગ વાસણમાં રાખી દીધી છે." "તે શું છે?" તેણે બતાવ્યું: "આ છે સુંદરતા, આ મળ અને ઉલટી. આ છે તેના ઘટકો." વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિ ખુબજ શક્તિશાળી કે ખુબજ સુંદર હોઈ શકે છે - પણ જો તે ત્રણ કે ચાર વાર મળ કાઢે છે, તો બધું તરતજ બદલાઈ જાય છે. તો મારો કહેવાનું તાત્પર્ય છે કે, જેમ શ્રીમદ ભાગવતમમાં કહેલું છે, કે આ જીવનનો શારીરિક ખ્યાલ બહુ આશાસ્પદ નથી. યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુકે (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩).

Room Conversation with Svarupa Damodara -- February 28, 1975, Atlantaપ્રભુપાદ: આપણે કહીએ છીએ કે જ્યારે જીવન, આત્મા, શુક્...
17/06/2022

Room Conversation with Svarupa Damodara -- February 28, 1975, Atlanta

પ્રભુપાદ: આપણે કહીએ છીએ કે જ્યારે જીવન, આત્મા, શુક્રાણુમાં હોય છે અને તેને નારીના ગર્ભમાં રાખવામા આવે છે, ત્યારે શરીર વિકસિત થાય છે. આ જીવનની શરૂઆત છે. આ વ્યવહારીક છે. અને આ જીવન પરમ જીવનનો અભિન્ન અંશ છે. તેથી શરૂઆત ભગવાન છે. જન્માદિ અસ્ય યતઃ (શ્રી.ભા. ૧.૧.૧).અથાતો બ્રહ્મ જીજ્ઞાસા. તો આપણે આ ગેરમાર્ગે દોરવાયેલા જગતમાં આ સિદ્ધાંત પ્રસ્થાપિત કરવાનો છે... અને તેના સિવાય, કેમ તેઓ જીવનને જડ પદાર્થમાથી ઉત્પન્ન નથી કરી શકતા? તેમના વાક્યનું શું મહત્વ છે? તેઓ તે હજી સુધી કરી નથી શક્યા. શું સાબિતી છે કે જીવન જડ પદાર્થમાથી આવે છે? તમે કરી બતાવો.

સ્વરૂપ દામોદર: એ સાબિતી હજુ ચકાસણી હેઠળ છે.

પ્રભુપાદ: એહ? તે બકવાસ છે. તે અર્થહીન છે. આ સાબિતી, કે જીવનમાથી જીવન આવે છે, સાબિતી છે, કેટલા બધા પ્રમાણ. એક માણસ, પશુ, વૃક્ષ - બધું જીવનમાથી આવે છે. હજી સુધી, કોઈએ પણ એવું જોયું નથી કે એક માણસ પથ્થરમાથી જન્મ્યો હોય. કોઈએ પણ જોયું નથી. કોઈક વાર તેને વૃશ્ચિક-તાંદૂલ-ન્યાય કેહવાય છે. તમને તેની ખબર છે? વૃશ્ચિક-તાંદુલ-ન્યાય. વૃશ્ચિક મતલબ વીંછી, અને તાંદુલ મતલબ ભાત. કોઈક વાર આપણે જોઈએ છીએ કે ભાતના ઢગલામાંથી, વીંછી નીકળે છે. પણ તેનો મતલબ તે નથી કે ચોખાએ વીંછીને જન્મ આપ્યો છે. તમે તમારા દેશમાં જોયું નથી? અમે જોયું છે. ચોખા, ચોખાના ઢગલામાંથી, એક વીંછી, નાનો વીંછી, આવે છે. હકીકત છે કે તે વીંછીના માતા-પિતા, તે તેમના ઈંડા ચોખામાં રાખે છે, અને આથો આવવાથી, વીંછી બહાર આવે છે, એવું નથી કે ચોખામાથી વીંછી બાહર આવે છે. તેથી તેને કહેવાય છે વૃશ્ચિક-તાંદુલ ન્યાય. વૃશ્ચિક મતલબ વીંછી અને તાંદુલ મતલબ ચોખા. તો "જીવન પદાર્થમાથી આવે છે" - તેને વૃશ્ચિક-તાંદુલ-ન્યાય કહેવાય છે. જીવન પદાર્થમાથી આવી શકે નહીં. તેના કરતાં... જેમ કે જ્યારે જીવન છે, જીવ, શરીર વિકસિત થાય છે, શરીર બદલે છે કે વિકસિત થાય છે, જેવુ તમે કહો. પણ જો બાળક મરેલો છે કે મરેલો બહાર નીકળે છે, ત્યારે શરીર વિકસિત થતું નથી. ત્યારે પદાર્થ જીવન ઉપર વિકસિત થાય છે.

Lecture on SB 2.1.5 -- Delhi, November 8, 1973તો આપણે પણ પ્રકૃતિ છીએ. આપણે પણ ભગવાનની શક્તિ છીએ. અને કારણકે આપણે આ ભૌતિક...
07/04/2022

Lecture on SB 2.1.5 -- Delhi, November 8, 1973

તો આપણે પણ પ્રકૃતિ છીએ. આપણે પણ ભગવાનની શક્તિ છીએ. અને કારણકે આપણે આ ભૌતિક પદાર્થોનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તેથી આ ભૌતિક વસ્તુઓની કિંમત છે. નહીતો, તેની કોઈ પણ કિંમત નથી, શૂન્ય. પણ આપણું કાર્ય છે કે.. તે અહી બતાવેલ છે, કે કારણકે અત્યારે આપણે આ જડ વસ્તુમાં બદ્ધ છીએ.. આ જડ વસ્તુ આપણું કાર્ય નથી. આપણું એક જ કામ છે કેવી રીતે આ જડ વસ્તુથી બાહર નીકળવું. તે આપણું સાચું કાર્ય છે. જો તમારે તે કાર્ય કરવું છે, તો તેની શિક્ષા અહી છે. તે શું છે? શ્રોતવ્ય: કિર્તીતવ્યશ ચ જ્યા સુધી તમે સાંભળો નહીં, ત્યાં સુધી તમે તમારી સ્થિતિને કેવી રીતે સમજી શકો? જ્યારે તમે ભગવાન કૃષ્ણને સમજશો, અને તે સમજશો કે તમે અંશ છો ભગવાનના, અથવા કૃષ્ણના, ત્યારે તમે તમારી સ્થિતિને સમજી શકશો: "ઓહ, આપણે ભગવાનના અંશમાત્ર છીએ." કૃષ્ણ પૂર્ણ પુરુષ છે, ષડ ઐશ્વ્યર્ય પૂર્ણમ, બધા ઐશ્વર્યોથી સંપન્ન. જેમ કે એક ગાંડો દીકરો શેરીમાં ભટકી રહ્યો હતો, જ્યારે તે સારી બુદ્ધિથી સમજશે કે, "મારા પિતા આટલા ધનવાન છે, આટલા શક્તિશાળી છે, અને કેમ હું શેરીમાં ગાંડા વ્યક્તિની જેમ ભટકી રહ્યો છું? મારી પાસે કોઈ આહાર નથી, કોઈ શરણ નથી. હું બારણે બારણે જાઉં છું અને ભીખ માગું છું," ત્યારે તે તેની ચેતનામાં આવે છે. તેને કેહવાય છે બ્રહ્મભૂત (ભ.ગી. ૧૮.૫૪) સ્તર. "ઓહ, હું, હું આ જડ પદાર્થ નથી. હું આત્મા છું, ભગવાનનો અભિન્ન અંશ છું, ઓહ." તે ચેતના છે.

તે ચેતનાને અમે જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. લોકો માટે આ શ્રેષ્ટ કલ્યાણકારી સેવા છે, તેની ખોવાઈ ગયેલી ચેતનાને ફરી જાગૃત કરવી. તે મૂર્ખતામાં એમ વિચારે છે કે "હું આ ભૌતિક પદાર્થનું ઉત્પાદન છું, અને મારે આ ભૌતિક જગતમાં મારી વસ્તુઓને વ્યવસ્થિત રાખવી જ પડશે." આ મૂર્ખતા છે. સાચી બુદ્ધિ છે બ્રહ્મભૂત, અહમ બ્રહ્માસ્મિ. અહં બ્રહ્માસ્મિ "હું ભગવાનનો અભિન્ન અંશ છું. ભગવાન પરમ બ્રહ્મ છે. હું અંશમાત્ર હોવાથી.." જેમ કે સોનાનો અંશ, સોનાની ખાણ, તે નાની કાનની બુટ્ટી હોઈ શકે છે, પણ તે પણ સોનું છે. તેવી જ રીતે, સમુદ્રજળનું નાનું બુંદ પણ તેજ ગુણનું છે, ખારું. તેવી જ રીતે, આપણે ભગવાનના અંશ હોવાથી, આપણે પણ તેજ ગુણ છે. ગુણાત્મક રીતે, આપણે એક જ છીએ. આપણે પ્રેમ કરવા પાછળ આટલા કેમ દોડી રહ્યા છીએ? કારણકે કૃષ્ણમાં પ્રેમ છે. આપણે અહી રાધાકૃષ્ણની અર્ચના કરી રહ્યા છીએ. મૂળ રૂપે પ્રેમ છે. તેથી, આપણે ભગવાનના અંશ હોવાથી, આપણે પણ પ્રેમ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એક પુરુષ બીજી સ્ત્રીને પ્રેમ કરવાનો પ્રયત્ન કરે છે, અને સ્ત્રી બીજા પુરુષને પ્રેમ કરવાનો પ્રયત્ન કરે છે. તે સ્વાભાવિક છે. તે કૃત્રિમ નથી. પણ તે આ ભૌતિક આવરણથી વિકૃત છે. તે ખામી છે. જ્યારે આપણે આ ભૌતિક આવરણથી મુક્ત થઈ જશું, ત્યારે આપણે ગુણાત્મક રીતે આનંદમયો અભ્યાસાત (વેદાંત સૂત્ર ૧.૧૧.૨), તેવા જ આનંદમય...જેમ કૃષ્ણ હમેશા નૃત્ય કરે છે... કૃષ્ણ તમને ક્યારેય જોવા નહીં મળે... તમે કૃષ્ણનું ચિત્ર જોયું હશે. તે કાલીયા નાગ સાથે લડતા હતા. તેઓ નૃત્ય કરે છે. તે નાગથી ભયભીત નથી. તેઓ નાચે છે. જે પ્રકારથી તેઓ રાસલીલામાં નાચે છે, તેવી જ રીતે, તેઓ નાગ સાથે નૃત્ય કરે છે. કારણ કે તેઓ આનન્દમયો અભ્યાસાત છે. તેઓ આનંદમય છે, સદૈવ આનંદમાં. હમેશા. તમે કૃષ્ણને જોશો.. કૃષ્ણ.. જેમ કે કુરુક્ષેત્રમાં યુદ્ધ ચાલી રહ્યું છે. કૃષ્ણ આનંદમાં છે. અર્જુન એટલે ઉદાસ છે કારણ કે તે જીવ છે, પણ તેઓ ઉદાસ નથી. તેઓ આનંદમાં છે. તે ભગવાનનો સ્વભાવ છે. આનંદમય અભ્યાસાત. બ્રહ્મસૂત્રમાં આ સૂત્ર છે, કે "ભગવાન આનંદમય છે, હમેશ માટે આનંદમાં, હમેશા પ્રસન્ન. તો તમે પણ પ્રસન્ન બની શકો છો જ્યારે તમે ભગવદ ધામ જાઓ. તે આપણી સમસ્યા છે.

તેથી આપણે ત્યાં કેવી રીતે જઈ શકશું? પેહલી વાત છે કે આપણે સંભાળવું જોઈએ. શ્રોતવ્ય: બસ સાંભળવાનો પ્રયત્ન કરો કે ભગવાન શું છે, તેમનું રાજ્ય શું છે, કેવી રીતે તેઓ કાર્ય કરે છે, કેવી રીતે તેઓ પ્રસન્ન છે. આ વસ્તુઓને સંભાળવાની જરૂર છે. શ્રવણમ. ત્યારે જેવુ તમે આશ્વસ્ત થશો, "ઓહ, ભગવાન કેટલા સરસ છે," ત્યારે તમે આ સંદેશને આખી દુનિયામાં પ્રચાર કરવા માટે આતુર થશો. આ કીર્તનમ છે. આ કીર્તનમ છે.

Address

Mayapur TV Office, 4th Floor Isodhyan Building, ISKCON Headquarters
Mayapur
WESTBENGAL741313

Alerts

Be the first to know and let us send you an email when Iskcon Mayapurtv Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share