28/02/2024
*પાંચમી માસિક "ધ્યાન અને ધમ્મ અભ્યાસ શિબિર" આણંદમાં યોજાઈ ગઈ:*
*ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ તથા સ્થાનિક બૌદ્ધ ઉપાસકોની મદદથી દર માસના ચોથા રવિવારે યોજાતિ "ધ્યાન અને ધમ્મ અભ્યાસ શિબિર"નું આયોજન 25મી ફેબ્રુઆરી 2024ના રોજ કરવામાં આવ્યું હતું.*
*બૌદ્ધ ઉપાસક આયુ. મનુભાઈ વાળા સાહેબના નિવાસ સ્થાન; સચ બંગલોઝ, આણંદ ખાતે વાળા પરિવારની દાન ભાવનાસર શક્ય બની હતી.*
*શિબિરની શરૂઆત પરંપરાગત ત્રિવિધ અર્પણ (દીપક, પુષ્પ અને ધૂપસળી)થી કરવામાં આવી હતી. ત્યાર બાદ ત્રિશરણ પંચશીલનું સંગાયન ધમ્મચારીની અનોમસૂરી દ્વારા કરવામાં આવ્યું હતું.*
*ઉપસ્થિત શિબિરાર્થીઓને "આનાપાનસતી" ધ્યાન ભાવના વિષે માહિતી આપ્યા બાદ ધ્યાનનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ધમ્મચારી આનંદશાકય જી એ "બોધિસત્ત્વને નવો (ધમ્મ) આવિષ્કાર શોધવાની જરૂર કેમ પડી?" એ વિષય પર ધમ્મ પ્રવચન આપ્યું હતું.*
*ભોજન બાદના સેશનમાં આજના વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત દરેકે શિબિરના અનુભવ વિશે 'મનોગત' કર્યું હતું. છેલ્લે પ્રશ્નોત્તરી અને ધમ્મમિત્ર કુમારજય જી એ શિબિર ને સફળ બનાવવા મદદગાર દરેકનું પુણ્યાનુમોદન કર્યું હતું. પરંપરાગત ધમ્મ પાલન ગાથાનું સંગાયન કરી શિબિર સમાપન કરવામાં આવી હતી.*
*આ શિબિરને સફળ બનાવવા ધમ્મમિત્ર કુમારજય, ધમ્મમિત્ર રમણભાઈ (વડોદરા), ધમ્મ સહાયક નૈતિકકુમાર બૌદ્ધ (ખંભાત) એડવોકેટ આયુ. મનુભાઈ વાળા સાહેબ તેમના ધમ્મસંગીની આયુ. રમીલા બહેન અને પરિવાર, એડવોકેટ આયુ. કે.ડી. વાઘેલા સાહેબ, આયુ. અનિતાબહેન ગૌતમ (શિક્ષિકા), આયુ. વિશાલ ઈશ્વરભાઈ મહેરિયા (કૃષિ યુની.) આયુ. ભગવતીદાસ પ્રજાપતિ (LIC) વિગેરે એ જહેમત ઉઠાવી હતી.*
*જયભીમ નમોબુદ્ધાય*
*અહેવાલ:*
*ધમ્મમિત્ર કુમારજય*