16/03/2026
🙏જય શ્રી દરિયાલાલ🙏
હિન્દુઓ ની રક્ષા કાજે રઘુકુળમાં જન્મ ધારણ કરનાર પિતાશ્રી રત્નરાય અને માતાશ્રી દેવકીના પુત્રરત્ન અને સમગ્ર રઘુવંશીઓના ઈષ્ટદેવ શ્રી દરીયાલાલ દાદાનો ૯૬૫મો જન્મોત્સવ વિ.સં.૨૦૮૨ ની ચૈત્ર સુદ બીજ તા.૨૦/૦૩/૨૦૨૬ ને શુક્રવાર ના રોજ શ્રી દરિયાલાલ મંદિર-જાર(ભાડુકા) મુકામે ઉજવવામા આવશે.
બીજ નિમિત્તે વરુણ યજ્ઞનું આયોજન કરેલ છે.
વરુણ યજ્ઞના યજમાન શ્રી આકાશ હિમ્મતલાલ પુજારા, મોરબી ના છે.
આ શુભ પ્રસંગે રઘુવંશી સમાજના સર્વે ભાવિક ભક્તજનોને શ્રી દરીયાલા દાદા ના દર્શન, વરુણ યજ્ઞ અને મહાપ્રસાદ નો લાભ લેવા સહ પરિવાર પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે
માંગલિક પ્રસંગો:-
વિ.સં.૨૦૮૨ ચૈત્ર સુદ બીજ, શુક્રવાર, તા:૨૦/૦૩/૨૦૨૬
* વરુણ યજ્ઞ પ્રારંભ સવારે ૮=૦૦ કલાકે
* શ્રીફળ હોમ બપોરે ૧૧=૩૦ કલાકે
* પાલખી યાત્રા સવારે ૧૦=૩૦ કલાકે
* આરતી અને થાળ સવારે ૧૧=૩૦ કલાકે
* પ્રસાદ બપોરે ૧૨=૩૦ થી ૩=૦૦ સુધી
જય શ્રી દરીયાલાલ..🙏
નિમંત્રક:-
શ્રી દરીયાલાલ સેવા સમિતિ -જાર(ભાડુકા)
શ્રી દરીયાલાલ મંદિર, પો: ચોરવીરા,
તા: સાયલા, જી: સુરેન્દ્રનગર
ખાસ નોંધ: પહેલા દાદાના મંદિરે ભાડુકા ગામ થઈ ને જવાતુ હતું. એટલે લોકો જાર ભાડુકા તરીકે ઓળખે છે. અત્યારે સબુરી નદી પર ડેમ બનતા ભાડુકા થઈ ને નથી જવાતું. NH 8 પર ડોળીયા બાઉન્ડ્રી થી ચોટીલા તરફ જતા, આયા ગામના બોર્ડેથી જવાય છે (8km).
અમદાવાદ, ધોળકા, બાવળા, રાજકોટ, મોરબી, વાંકાનેર, ચોટીલા તરફથી જવાવાળાએ આયા બોર્ડથી ડાબી બાજુએ વળી આયા, કાનપર થઈ ને પહોચવું.
https://maps.app.goo.gl/QCPMZwPx27yB27mH7
સુરેન્દ્રનગર, વિરમગામ, પાટડી, માંડલ, બેચરાજી તરફથી જવાવાળાએ સુરેન્દ્રનગર થી , મુળી, સોમાસર પછી ધર્મેન્દ્રગઢના બોર્ડેથી જમણી બાજુએ વળી જઈ ધર્મેન્દ્રગઢ, ઉમરડા થઈ દરીયાલાલ મંદિરે પહોંચવું..
https://maps.app.goo.gl/4hz4gUCYXhv5YfZQA