27/08/2026
☀️🌄🧡🕉️🚩🕉️🧡🌄☀️
*_🙏🏻સંત શિરોમણી બજરંગદાસ બાપાને કોટીકોટી વંદન.🙏🏻_*
*_🙏🏻|| બાપા સિતારામ ||🙏🏻_*
*_🏠 બાપાના વડવાઓ-1 🏠_*
*_તુલસી ઐસે કહું કછુ,_*
*_ધન્ય ઘરનિ બહુ સંત ;_*
*_પર કાજે પરમારથી,_*
*_પ્રીતિ લીએ નિબહંત._*
*_બાપાના વડવાઓ મૂળે મેવાડનાં વતની હતાં, મેવાડની ભૂમિમાં બીજું ઘણું હશે ! રાણા પ્રતાપ મેવાડના હતા, હલદીઘાટ જ્યાં "શૂરા બાવીસ હજાર" માભોમ માટે વધેરાઈ ગયેલા, આવું બધું મેવાડમાં ખરું, પણ મેવાડમાં પાણી.... માનવીમાં પાણી ઘણું, પરંતુ પીવાના પાણીની ભારે ખેંચ ! આથી બજરંગદાસ બાપાની પાંચમી પેઢીના દાદા શ્રી. આરતીદાસજી જેઓ રામાનંદી સાધુ હતા તેમને મેવાડ છોડેલું._*
*_"રામાનંદી સાધુ" એ જગતગુરુ સ્વામી રામાનંદજીએ આજથી લગભગ સાતસો વર્ષ પહેલા સ્થાપિત કરેલા સંપ્રદાયના અનુયાયીઓ છે._*
*_શ્રી રામાનંદજીનો જન્મ અગત્સ્ય સંહિતા અનુસાર વિક્રમ સંવત. ૧૩૫૬ (ઈ.સ. ૧૨૯૯ ) માં ભારતના તીર્થરાજ પ્રયાગમાં કાન્યકુબ્જ બ્રાહ્મણમાં થયેલ, પિતાનું નામ પુણ્યસદન અને માતાનું નામ સુશીલા હતું._*
*_એ સમયગાળામાં આપણા દેશમાં પરદેશી શાશને તે સમયના મહાન સંતો અંગેની આધારભૂત નોંધો લેવાયેલ નહિ.અંગ્રેજોના શાસન દરમિયાન એની સિવિલ સર્વિસમાં કેટલાક પુરાતત્વ અને સાંસ્કૃતિક સંશોધનોમાં રસ ધરાવનાર વિદ્વાનો આવ્યા. તેમણે સંશોધન હાથ ધરી આવા મહાપુરુષો વિશે આધારભૂત માહિતીઓ શોધી કાઢી અને પ્રજા સમક્ષ મૂકી._*
*_રામાનંદજીનો જન્મ થયો તે પછી જન્માક્ષર બનાવનાર કુળ જ્યોતિષીએ એવું કહેલું કે આ બાળક અલ્પાયુષી યોગવાળો હોઈ તેને ત્રણ વર્ષનો થાય ત્યાં સુધી દૂધ પર રાખવાનો ઘરની બહાર ન કાઢવાનો અને અરીસામાં મો ન બતાવવાની સૂચના આપેલ. આ સૂચનાનો અમલ માતા-પિતા ચુસ્તપણે કરેલ._*
*_એવું કહેવાય છે કે જનોઈ આપ્યા પછી રામાનંદજીને અભ્યાસ અર્થે કાશી મોકલેલ._*
*_એક વખત પોતાના પિતા વાલ્મિકી રામાયણનું ગાન કરી રહ્યા હતા તે સાંભળતા એ આખા અધ્યાયનું મધુર સ્વરૂપે ગાન કરતા પિતા અને શ્રોતાઓને આશ્ચર્ય થયેલ આ નાના કિશોરે આખો અધ્યાય મોઢે ક્યારે કર્યો હશે ? કિશોર વયે ઘણી વખત તેઓ શાસ્ત્રોના ગુઢ મર્મો ઉચ્ચારતાં ત્યારે પણ સાંભળનારા મંત્રમુગ્ધ બની રહેતા. છતાં વધુ અભ્યાસ અર્થે તેમને વારાણસી મોકલેલ ત્યાં એમણે કોઈ વેદાંતી પાસે શ્રીમદ આધ શંકરાચાર્યજીના અદ્વૈત વેદાંતનો અભ્યાસ શરુ કરેલ._*
*_એક વખત અચાનક તેઓ શ્રીમદ રામાનુજાચાર્યની ગાદી પર બિરાજતા શ્રીરાઘવાનંદ પાસે ગયા,પ્રણામ કર્યા. રાઘવાનંદજીએ સામે જોઈ કહ્યું ; વત્સલ તારા આયુષ્યના હવે માત્ર ત્રણ જ દિવસ બાકી રહ્યા છે. રામાનંદજી આ સાંભળીને થોડા ક્ષુબ્ધ થયા.પોતાના વેદાંતી ગુરુ પાસે જઈ આ વાત કરી ગુરુએ કહ્યું ; રાઘવાનંદજી સમર્થ યોગી છે એની પાસે જા બચવાનો હોય તો એ જ બચાવી શકશે રામાનંદજી તુરત રાઘવાનંદજીને શરણે ગયા અને જે સમયે મૃત્યુનો યોગ હતો તે સમયે રામાનંદજીને સમાધિસ્થિત કરી દઈ મૃત્યુના મુખમાંથી ઉગારી લીધા._*
*_કૃતજ્ઞતા વશ થઈ શ્રી રાઘવાનંદજી પાસે દીક્ષા લીધી. આમ રામાનુજાચાર્યજી પછી પોણા બસોએક વર્ષે એમની શિષ્ય પરંપરામાં રામાનંદજીનો પ્રવેશ થયેલ._*
*_માતાપિતા તરફથી આવેલી લગ્ન કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાની દરખાસ્તનો અસ્વીકાર તો આ અગાઉ એમણે કરી જ દીધો હતો. દીક્ષા પછી ગંગાકિનારે પર્ણકુટિમાં રહી ઉગ્ર તપ આરંભ્યું અનેક લોકો તેમના દર્શને આવવા લાગ્યા. તેમની પાસે મુસ્લિમ,જૈન,બૌદ્ધ ,વેદાન્તી શાસ્ત્રજ્ઞ, શૈવ,શાક્ત, દરેક સંપ્રદાયના પંડિતો અને જ્ઞાનીઓ તેમની પાસે શંકાઓ લઈ આવવા લાગ્યા અને તેનુ યોગ્ય સમાધાન લઈ આનંદપૂર્વક પાછા ફરતા.તેમાંના કોઈએ સુબાઓના ત્રાસની વાત કરતા શ્રી રામાનંદજી તઘલક ગ્યાસુદીનને મળ્યા અને એમને અલ્લાહ - ઈશ્વર જુદા ન હોવાનું તથા બધા ધર્મના મૂળ ઉપદેશ અને હેતુ એક સરખા હોવાનું તર્કબદ્ધ રીતે ગળે ઉતરાવતાં તેણે સુબાઓને કનડગત ન કરવાના આદેશો આપ્યા._*
*_તઘલખના ત્રાસથી ત્રસ્ત બની અયોધ્યાના રાજવી ગાદી છોડીને ચાલ્યા ગયેલા. રામાનંદજીએ એના ભાઈને હિંમત આપી ગાદી પર બેસાડ્યો. ફૈઝાબાદના મુસ્લિમ સુબેદારે થોડા હિન્દુઓને બળજબરીથી મુસલમાન બનાવેલ તેને શ્રી રામાનંદજીએ ફરી હિન્દુ બનાવેલ. કહેવાય છે કે તે વખતે તેમણે એવો ચમત્કાર બતાવેલકે બધાના ગળામાં તુલસીની માળા, જીભ ઉપર લખાયેલ રામનું નામ અને કપાળમાં સફેદ-લાલ તિલક આપોઆપ પ્રગટ થયેલાં._*
*_આ સમય દરમ્યાન રામાનુજાચાર્ય સંપ્રદાયમાં ખાવા-પીવાના અને અન્ય જાતજાતના ભેદ દાખલ થઈ ગયા હતા શ્રી રામાનંદજીને એ ગમતા નહોતા તેમણે જુદો સંપ્રદાય સ્થાપ્યો. રામાનુજ સંપ્રદાયમાં વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા હતી. રામાનંદે પોતાના સંપ્રદાયમાં સીતા-રામની ભક્તિને મુખ્ય બનાવી અને ધર્મની તત્વચર્ચા માટે સંસ્કૃતને બદલે હિન્દી ભાષાની પસંદગી કરી. આથી તેમના અનુયાયીઓની સંખ્યા ઘણી બહોળી થઈ શ્રી રામાનંદજી સાક્ષાત્કાર સંત તો હતા જ. ઉપરાંત ક્રાંતિકારી સમાજસુધારક પણ હતા. મધ્યકાલીન યુગમાં અધ્યાત્મ અને ધર્મના ક્ષેત્રે એમનું મોટુ પ્રદાન રહ્યું હતું._*
*_એમણે સમજાવ્યું કે શ્રી સીતારામની ભક્તિથી જ જીવ ઈશ્વરની પ્રાપ્તિ કરવાનો અધિકાર બને છે. તેમના મતે જીવ અને ઈશ્વર એક ન હતા._*
*_તુલસીદાસ પણ રામકથામાં પ્રશ્ન ઉઠાવે છે કે "જીવ કી ઈશ સમાન હોઈ શકે ? તુલસીજી પર શ્રી રામાનંદજીની અસરનો આ પુરાવો મનાય._*
*_શ્રી રામાનુજાચાર્યની_*
*_વિશિષ્ટં ચ વિશિષ્ટે ચ, વિશિષ્ટયો: અદ્વૈત વિશિષ્ટાદ્વૈતમ્ |"._*
*_એવી વિશિષ્ટાદ્વૈતની વ્યાખ્યાને બાજુ પર રાખીને શ્રી રામાનંદજીએ નિર્ગુણ- સગુણ અને જ્ઞાન-ભક્તિનો સમન્વય કરી નવો ચીલો પાડેલ. ઉચ્ચ- નીચના ભેદભાવ તો એમના મનમાં હતા જ નહીં. એમની વિચારધારા સંકુચિત નહોતી. વૈષ્ણવ-માતાબ્જ ભાસ્કરમાં એમણે લખ્યું છે:_*
*_"સર્વે પ્રપત્તેધિકારિણ: સદા અશકતા સત્તા અપિ નિત્યરંગિણ:|_*
*_અપેક્ષ્યતે તત્ર કુલં બલં ચ નો ની ચાપિ કાલો ન હિ શુદ્ધતા ચ ||_*
*_ભગવાનના ચરણોમાં અતૂટ અનુરાગવાળા બધા લોકો-ભલે તે સમર્થ હોય કે અસમર્થ સૌ ભગવત્ શરણાગતિના નિત્ય અધિકારી છે. ભગવત્ શરણાગતિ માટે ન તો શ્રેષ્ઠ કુળની આવશ્યકતા છે, ન તો કોઈ પ્રકારના બળની. ત્યાં ન ઉત્તમ સમયની જરૂર છે કે ન કોઈ પ્રકારની શુદ્ધિ અપેક્ષિત છે. બધો જ સમય અને શુચિ-અશુચિ, બધી જ પરિસ્થિતિમાં જીવ પરમાત્માનું શરણ ગ્રહી શકે છે_*
*_એમને આવી ઉદારતા અને વિચારસરણીના કારણે એમના શિષ્યોમાં સમાજના બધા જ વર્ગના લોકો હતા એમાંના મુખ્ય શિષ્યોમાં આટલા નામ જાણીતા છે: પીપાજી, સધના, સેન, રઈદાસ, કબીર અને સુરસુરાનંદ આ નામાવલી ભિન્ન ભિન્ન કોમોની છે. એમાં ક્ષત્રિય, ચમાર, વૈશ્ય, જાટ, વાળંદ,જુલાહા અને બ્રાહ્મણો પણ છે._*
*_આમના પીપાજી માળવાના ગેંગરીનગઢના રાજવી હતા તે દંપતિ રામાનંદજી પ્રેરિત ભક્તિથી રંગાઈને રાજ્ય છોડી જુના ભાવનગર રાજ્યના વિક્ટર બંદર પાસે વસેલા ત્યાં આવેલું પીપાવાવ ધામ એમના નામ સાથે જોડાયેલું છે અને પીપાજીએ ત્યાં મંદિર સ્થાપેલું._*
*_સધના કસાઈ હતા. એવા મસ્ત ભક્ત હતા કે તોળવાના ત્રાજવામાં વજનીયાને સ્થાને શાલીગ્રામનો ઉપયોગ કરતા. એક વૈષ્ણવથી આ જોયું ન ગયું તેથી શાલીગ્રામ માગીને લઈ ગયા, પરંતુ રાતમાં એને સ્વપ્નમાં શાલીગ્રામ આવ્યા અને કહ્યું કે ભાઈ ! તે મને બહુ દુઃખી કર્યો, મારા ભક્તની દુકાને હું ત્રાજવામાં જુલ્યા કરતો હતો, તે મને એ સુખથી વંચિત કર્યો, ભલુ ઈચ્છતો હો તો મને પાછો મારા સ્થાને પહોંચાડી દે અને એ વૈષ્ણવ બીજા દિવસે શાલીગ્રામ સધનાને આપી આવ્યા._*
*_ધન્ના જાટ હતા અને સેન નાઈ હતા. રાજાની સેવા કરવા એ રોજ જતા એક દિવસ અતિથિ સાધુઓની સેવામાં એટલા લીન થઈ ગયા કે સમયસર રાજાની સેવામાં જઈ શક્યા નહીં ત્યારે, ભગવાન પોતે સેનનું રૂપ ધારણ કરીને રાજાની સેવા કરવા પહોંચી ગયેલા._*
*_રઈદાસ કાશીના ચમાર હતા. એક સંતે એમને પારસમણિ ઉપયોગ કરવા આપેલ, પરંતુ એ પારસમણિ સાધુ જ્યાં છાપરામાં ભરાવીને ગયા હતા ત્યાં બાર વર્ષે પાછા આવ્યાં ત્યારે પણ ત્યા જોયો ! રઈદાસે પારસમણીની સામુ પણ જોઈલ નહિ._*
*_રામાનંદજી જે હંમેશા સૂર્યોદય પહેલા ગંગાસ્નાન માટે જતા એક વખત અંધારી રાતના ગંગાનદી તરફ જતા માર્ગ પર સુતેલી એક વ્યક્તિ ઉપર એમનો પગ મુકાઈ ગયો, તત્કાળ પગ ઉઠાવી લીધો, સાથે મોંમાંથી કરૂણાભર્યા સ્વરે... રામ...! રામ..!..રામ...! બોલાઈ ગયું, નીચે સૂતેલા માણસેએ શબ્દોને ગુરુ મંત્ર તરીકે પકડી લીધા અને રામાનંદજી તેના ગુરુ બન્યા. અને તે શિષ્ય ભારતના ખ્યાતનામ સંત કબીર. કબીર વિશે તો શું કહેવું ? "હાથમાં કામ અને મનમાં રામ"નો આદર્શ તેઓ આપણને આપતા ગયા છે._*
*_સુરસુરાનંદ બ્રાહ્મણ હતા. ખાન-પાન અંગે તે ઉધાર દ્રષ્ટિવાળા સમાજસુધારક હતા. ભક્ત માળમાં ઉલ્લેખ છે કે એમના મોઢામાં મલેચ્છે આપેલ રોટી પણ તુલસીપત્ર બની બની જતી હતી._*
*_શ્રી રામાનંદજીની ખ્યાતિ ખૂબ ફેલાયેલ ભારતનું પરિભ્રમણ કરતા તેઓ આપણા પ્રદેશ ગુજરાતમાં પધારેલા આબુ અને ગિરનાર પર એમના ચરણો છે._*
*_ભારતમાં પરિભ્રમણ દરમિયાન તેમણે રામાનુજાચાર્યની પરંપરામાં દીક્ષિત હોવા છતાં પોતે પોતાના આત્માના અવાજને અનુસરીને અલગ પંથનું નિર્માણ કરેલ. શ્રીકૃષ્ણ ભક્તિથી ભિન્ન શ્રીરામ ભક્તિનો નવો માર્ગ અપનાવેલ, પદયાત્રા દરમિયાન ગામોગામ ફરીને,સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા,વહેમ,દૂર કરી, દરેક મનુષ્ય સમાન છે,ઈશ્વરને પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર છે. તથા રામજીમંદિરના નિર્માણ સંકલ્પ લેવડાવતા તથા શ્રી રામના પરાક્રમોના ઉપદેશ દ્વારા હિન્દુઓને ભય મુક્ત કરતા,હિન્દુ ધર્મ છોડી ગયેલા પુ:ન ધર્મમાં શુદ્ધિકરણ કરી પાછા લાવતા. સમગ્ર ભારત વર્ષમાં રામ નામનો મંત્ર જાગૃત કરી દીધો તેના દ્વારા ભારત વર્ષમાં ભક્તિ આંદોલનની શરૂઆત થઈ સંહારક અને અત્યાચારી તાકાતો સામે ભક્તિ અને કર્મથી નવું બળ મળ્યું. અને લોકોમાં ધાર્મિક સંસ્કારો અને નીતિમત્તાનો સંચાર થયો.રામાનંદાચાર્યના જ્ઞાનની અસર સાધુ-સંતો અને સમાજ ઉપર એટલી બધી હતી કે સમાજમાં જ્ઞાતિ-જાતિના અને સંપ્રદાયના વડાઓ ઢીલા પડવા લાગ્યા. સમાજમાં વૈમનસ્ય ઓછું થવા લાગ્યું. ગુરુનાનક દેવે પણ તેમના ઉપદેશનો સમાવેશ ગુરુ ગ્રંથ સાહેબની "ગુરુવાણી" માં કર્યો છે._*
*_તેમણે પોતાની વિચારધારામાં ભક્તિ,યોગ અને વેદાંતને અનુપમ ત્રિવેણી સંગમ રચેલ છે. ડાકોરમાંથી "સિદ્ધાંત પટલ" નામનું એક નાનકડું પુસ્તક પ્રકાશિત થયેલ છે જે રામાનંદજીએ લખેલ છે. તેમાં સત્ય નિરંજન, વિભૂતિ પલટન,લંગોટી આડબંધ, તુલસી,તારક્, રામબીજ વગેરે કંઈ એક બાબતોના મંત્રો છે એની ભાષા સાધુકડી કહી શકાય એવી હિન્દી છે, વિભૂતિ ,ધૂની ઝોલી,જેવા શબ્દોની સાથે સાથે તેમાં શાલિગ્રામ, તુલસી,આદી શબ્દોનો આદર કરાયો છે આમાંનો એક અહીં જોઈએ:_*
*_ૐ અર્ધનામ અખંડ છાયા,_*
*_પ્રાણ પુરુષ આવે ન જાયા._*
*_મરે ન પિંડ થકે ન કાય,_*
*_સદગુરુ પ્રતાપ હૃદય સમાય._*
*_શબ્દસ્વરૂપી શ્રી ગુરુ રાઘવાનંદજીને શ્રી રામનંદજી કૂં સુનાયા._*
*_ભરે ભંડાર કાયા બાઢે ત્રિકુટી અસ્થાન જહા બસે શ્રી શાલીગ્રામ._*
*_ૐ કાર હાહાકાર સુનતી સુનતી સંસે મિટે ઈતિ અમર બીજ મંત્ર._*
*_આમાં યોગીની ત્રિકુટીમાં વૈષ્ણવ શાલીગ્રામ બિરાજમાન છે આથી એટલું સ્પષ્ટ માની શકાય કે ; એમણે પોતાના શિષ્યોને વૈષ્ણવ ધર્મ ઉપરાંત યોગની વાત પણ કરી છે. બીજ શબ્દોમાં કહીએ તો એમણે વૈષ્ણવ ભક્તિ અને યોગનો પોતાની વિચારધારા છે સમન્વય કરેલ છે. રામાનંદી સંપ્રદાયના અનુયાયીઓ શ્રી રામાનંદજીને મહાયોગી પણ માને છે."_*
*_શ્રી રામાનંદજીના બીજા બે ગ્રંથો 'રામાર્ચન પદ્ધતિ' અને 'વૈષ્ણવ માતામ્જ ભાસ્કર' છે "આનંદભાષ્ય"નામનું વેદાંત સૂત્ર પરનું એમનું એક ભાષ્ય પણ છે. એમણે હિન્દી પદો પણ રચ્યાં હોય તેવું દેખાય છે. એમનું એક પદ અહીં જોઈએ :_*
*_હરિ બિન જન્મ વૃથા ખોયો રે._*
*_કહા ભયો અતિ માન બડાઈ, ધન મદ અંધ મતિ સોયા રે._*
*_અતિ ઉતંગ તરુ દેખિ સુહાયો,_*
*_સૈવલ કુસુમ સુવા સોયો રે ;_*
*_સોઈ ફલ પુત્ર- કલત્ર વિષૈ સુખ,_*
*_અંતિ સીસ ધૂની ધૂની શેયોરે._*
*_સુમિરન ભજન સાધકી,*
*અંતરિ મન મેલ ન ધોયો રે._*
*_રામાનંદ રતન જમ ત્રાસે,_*
*_શ્રીપતિ પદ કાહે ન જોયો રે._*
*_આવા સમર્થ ગુરુ રામાનંદજી એક માન્યતા અનુસાર ૧૧૦ વર્ષ અને બીજી માન્યતા અનુસાર ૧૪૮ વર્ષ આ ધરા પર રહેલા રહેલા.(ક્રમશ:)_* 🚩
🙏🏻 *_જય સિયારામ_* 🙏🏻
‼ *_બાપા સિતારામ_*‼🚩
*_‼🙏🏻 સુરેશભાઈ. એન. નિમાવત (ગાંધીનગર) નાં સૌને બાપા સિતારામ.🙏🏻‼_*
*_‼🙏🏻 પરમ પૂજ્ય બજરંગદાસ બાપા જીવન જ્યોત પહેલી આવૃત્તિ તા-૨૬-૦૧-૧૯૮૯ માંથી. બાપા સિતારામ.🙏🏻‼_*