12/03/2026
જય રામદેવપીર મહારાજ
સંતશ્રી સવૈયાનાથ નાં ચરણોમાં કોટી કોટી વંદન.
"સરોવર, તરુવર, સંતજન અને વરસે મેઘ
પરમાર્થ નેં કારણે ચારે ધર્યો દેહ"
સુરેન્દ્રનગર જીલ્લા માં આવતાં ઝાઝરકા ગામે સંતશ્રી સવૈયાનાથનો જન્મ થયેલ અને એમની કર્મ ભૂમિ પણ ઝાઝરકા અને એમની શિતળતા તો વિશ્વવ્યાપી છે, મારું માનવું છે કે જીવનમાં એક વખત ચોક્કસ સંતશ્રી સવૈયાનાથ ની પરમ ચેતનાકારી સમાધી એ માથું ટેકવવા જવું જોઈએ અને એ પાવનકારી ભુમી ની ચેતના માણતાં આનંદ થાય.
સર્વે સત્સંગીજનો મીત્રો ને મારાં જય ગુરુદેવ
જય સંત શ્રી હીરસાગરબાપા.... જયહો.
જય સંતશ્રી સવૈયાનાથ... જયહો.
પરમ પૂજય સંતશ્રી સવૈયાનાથ બાપાનાં પ્રાગટ્ય દીવસ નાં શુભ અવસરે સર્વે સત્સંગી જનોને મારાં જય ગુરુદેવ સાથે ચાલો સંતશ્રી સવૈયાનાથનુ સ્મરણ કરીએ, વંદના કરીએ... જયહો.
ઝાઝરકા રૂડું ગોકુળિયું ગામ છે
જ્યાં બેઠા સંત સવૈયાનાથ રે
ચાલોને સજ્જનો ઝાઝરકા ધામ રે...(૨)
ગુરુ તુલસીનાથ નાં પડ્યાં પાવનકારી પગલાં
જ્યાં ભજન ભોજન સેવાનો ત્રિવેણી ઘાટ રે
ચાલોને સજ્જનો ઝાઝરકા ધામ રે...(૨)
નાની ઉંમરે બાપા ગુરુ પ્રસાદી પામ્યા રે
હતી સેવા દાતારી જેનાં રંગે રંગમાં રે
. ચાલોને સજ્જનો ઝાઝરકા ધામ રે (૨)
દાદા દીન દુઃખીયા નાં છે બેલી રે
એની ચરણ રજ આપણે માણયે રે
ચાલોને સજ્જનો ઝાઝરકા ધામ રે (૨)
ભક્તજનોના આસ્થાનો સહારો રે
જ્યાં નિર્ભયતા શિતળતા મળે રે
ચાલોને સજ્જનો ઝાઝરકા ધામ રે (૨)
સંત સવૈયાનાથની વરસે છે કૃપા રે
"નરેન્દ્ર"માણી લે તું આ દેહમાં રે.
ચાલોને સજ્જનો ઝાઝરકા ધામ રે....
**********
નરેન્દ્ર સાહેબ ગુરુ શ્રી દેવજી બાપા નાં ચરણોમાં કોટી કોટી વંદન....જય સવૈયાનાથ... જયહો...જય ગુરુદેવ.