Sant Hirsager Bapa Sanidhya

Sant Hirsager Bapa Sanidhya Religionsly

જય રામદેવપીર મહારાજ સંતશ્રી સવૈયાનાથ નાં ચરણોમાં કોટી કોટી વંદન.  "સરોવર, તરુવર, સંતજન અને વરસે મેઘ પરમાર્થ નેં કારણે ચા...
12/03/2026

જય રામદેવપીર મહારાજ
સંતશ્રી સવૈયાનાથ નાં ચરણોમાં કોટી કોટી વંદન.
"સરોવર, તરુવર, સંતજન અને વરસે મેઘ
પરમાર્થ નેં કારણે ચારે ધર્યો દેહ"
સુરેન્દ્રનગર જીલ્લા માં આવતાં ઝાઝરકા ગામે સંતશ્રી સવૈયાનાથનો જન્મ થયેલ અને એમની કર્મ ભૂમિ પણ ઝાઝરકા અને એમની શિતળતા તો વિશ્વવ્યાપી છે, મારું માનવું છે કે જીવનમાં એક વખત ચોક્કસ સંતશ્રી સવૈયાનાથ ની પરમ ચેતનાકારી સમાધી એ માથું ટેકવવા જવું જોઈએ અને એ પાવનકારી ભુમી ની ચેતના માણતાં આનંદ થાય.
સર્વે સત્સંગીજનો મીત્રો ને મારાં જય ગુરુદેવ
જય સંત શ્રી હીરસાગરબાપા.... જયહો.
જય સંતશ્રી સવૈયાનાથ... જયહો.
પરમ પૂજય સંતશ્રી સવૈયાનાથ બાપાનાં પ્રાગટ્ય દીવસ નાં શુભ અવસરે સર્વે સત્સંગી જનોને મારાં જય ગુરુદેવ સાથે ચાલો સંતશ્રી સવૈયાનાથનુ સ્મરણ કરીએ, વંદના કરીએ... જયહો.

ઝાઝરકા રૂડું ગોકુળિયું ગામ છે
જ્યાં બેઠા સંત સવૈયાનાથ રે
ચાલોને સજ્જનો ઝાઝરકા ધામ રે...(૨)

ગુરુ તુલસીનાથ નાં પડ્યાં પાવનકારી પગલાં
જ્યાં ભજન ભોજન સેવાનો ત્રિવેણી ઘાટ રે
ચાલોને સજ્જનો ઝાઝરકા ધામ રે...(૨)

નાની ઉંમરે બાપા ગુરુ પ્રસાદી પામ્યા રે
હતી સેવા દાતારી જેનાં રંગે રંગમાં રે
‌. ચાલોને સજ્જનો ઝાઝરકા ધામ રે (૨)

દાદા દીન દુઃખીયા નાં છે બેલી રે
એની ચરણ રજ આપણે માણયે રે
ચાલોને સજ્જનો ઝાઝરકા ધામ રે (૨)

ભક્તજનોના આસ્થાનો સહારો રે
જ્યાં નિર્ભયતા શિતળતા મળે રે
ચાલોને સજ્જનો ઝાઝરકા ધામ રે (૨)

સંત સવૈયાનાથની વરસે છે કૃપા રે
"નરેન્દ્ર"માણી લે તું આ દેહમાં રે.
ચાલોને સજ્જનો ઝાઝરકા ધામ રે....
**********
નરેન્દ્ર સાહેબ ગુરુ શ્રી દેવજી બાપા નાં ચરણોમાં કોટી કોટી વંદન....જય સવૈયાનાથ... જયહો...જય ગુરુદેવ.

જય રામદેવપીર મહારાજ *********** જાગતાં નર સેવીએ ***********સંતો કહે છે જાગતાં નર સેવીએ એટલે "નર"શબ્દ જીવ માટે લીધો છે નર...
22/08/2025

જય રામદેવપીર મહારાજ
*********** જાગતાં નર સેવીએ ***********
સંતો કહે છે જાગતાં નર સેવીએ એટલે "નર"શબ્દ જીવ માટે લીધો છે નર અને માદાની વાત નથી એને એમની સાથે કોઈ લેવાદેવા નથી એ ભેદ એમણે ઘણાં વર્ષો પહેલાં છોડી દીધો હોય તોજ એ સંતની પદવી પામ્યાં હોય એતો આપણે માણસ તરીકે દરેક સમજી શકે.
છતાં કહે છે જાગતાં નર સેવીએ એટલે મને થયું સંતો એ આવું કહ્યું તો શું કહ્યું એ મારે સમજવું પડે તો મનોમંથન કરતાં જે વિચાર થયો જે જવાબ મળ્યો એ હું અહીં મુકું છું, બધાને ખબર છે પણ હું ફરી તાજું કરૂં છું.
જગતમાં નર એટલે દરેક સજીવ જેનો વિકાસ થાય છે, જે પ્રકૃતી માં આનંદનો વધારો કરે છે જેમ કે તમે કુંડા માં એક છોડ રોપ્યો એની તમે માવજત કરી એટલે સેવા કરી અને તમને એ છોડ કેટલો આનંદ આપે છે.
બે ગલુડીયા રમતાં હોય એને જોઈ ને તમને કેટલો આનંદ મળે છે એ તમે દરેક પ્રાણીમાં અંનુભવો,એક માનવ બાળ રમતું હોય તો એને જોઈ ને તમારૂં હ્રદય પ્રફુલ્લિત થતુ હોય તો એ દરેક માટે મારાં પણું છોડી કુદરત નેં માણો આ કુદરતની દેન છે, ઘણાં ને બાળકો નથી હોતા તો ઘણી જગ્યાએ એ ચક્કર મારતાં હોય છે પણ અન્ય બાળક માં પરમાત્મા નાં દર્શન કરો, વૃક્ષ છોડ એને સેવો કે જે જાગતાં છે અને તમને કંઈક આપતાં પણ છે.
આ જગતમાં ઘણા બધાં ધર્મ છે એમની પ્રાર્થનાની પધ્ધતિ અલગ હોય છે એમનાં અનુયાયીઓ કંયાય નેં કંયાય માથું ટેકવતા હોય છે અને આ સત્ય છે.
પણ જાગતાં નર એટલે જગતના કલ્યાણ માટે કાર્ય કરતાં દરેક નર અને નારી (આત્મા) એવાં નેં સેવવા મતલબ એનું આદર સત્કાર કરવું તેમનાં વિચારો ને વેગ આપવો,એ કામ ચિધે એ કરવું અને એ કહે એમ કરવું, જે જાગતાં મહાનુભાવો, સંતો આજે આ ધરતી પર નથી પરંતુ એ જે કાર્ય કરી ગયાં જે વાત કહી ગયાં એ કરવું અને એમનું જે કાર્ય પેઢી દર પેઢી ચાલું છે એ સતત ચાલુ રહે એમાં સહભાગી થવું ન થાય તો આડે પગે નાં આવવું.
એટલે એ જાગતું કાર્ય સતત ઝરણાં જેમ વહેતું રહે અને વહેતું ઝરણું દરેકની તૃષા તૃપ્ત કરતું રહે......" જાગતાં નર સેવીએ"
જય ગુરુદેવ....... જયહો.
# નરેન્દ્ર સાહેબ.તા.૨૧/૦૮/૨૦૨૧.

જય રામદેવપીર મહારાજ ઘણા લોકો નાં આરાધ્ય ઈષ્ટ દેવ શ્રી રામદેવપીર મહારાજ એમનાં ઘણાં પરચા આપણે વાંચ્યા, સાંભળ્યા છે ભજનનો સ...
31/05/2025

જય રામદેવપીર મહારાજ
ઘણા લોકો નાં આરાધ્ય ઈષ્ટ દેવ શ્રી રામદેવપીર મહારાજ એમનાં ઘણાં પરચા આપણે વાંચ્યા, સાંભળ્યા છે ભજનનો સંતસંગ દ્વારા અને અનુભવ્યાં પણ છે, છતાં એક પ્રશ્ર્ન થાય રામદેવપીર મોટી શક્તિ હોવાં છતાં રામદેવપીર નું કાર્ય ક્ષેત્ર મરું ભુમી જેસલમેર નજીક રાખ્યું એમનું કારણ વિચારતા મને એવું લાગ્યું કે તેમણે ભટકતી માલધારી જાતીઓ આર્થિક રીતે પછાતવર્ગ,જાતી વ્યવસ્થા થી થાકેલા માનવો નાં જીવન માં પ્રેરણા રૂપ થવા તેમની તકલીફો દુર કરવાં માટે ખાસ તેમણે તેમનું કાર્ય ક્ષેત્ર રણભૂમિ પંસંદ કર્યું એવાં આરાધ્ય દેવ શ્રી રામદેવપીર મહારાજ ની ચેતનાને મારાં લાખો કરોડો પ્રણામ.
અઢારેય આલમ ડાલીબાઈ સાથે રામદેવપીર મહારાજ ભાઈ બહેન નાં દર્શને આવે છે શિતળતા અનુભવે છે એજ શિતળતા કાયમી પોતાનાં આચરણ માં રાખી ને દરેક એક બીજા નાં સહકાર રૂપે રહીં નેં શિતળતા માણે એવી સદબુદ્ધિ કાયમી રહે એવાં આપના આશીર્વાદ મારી સાથે તમામ નેં આપજો...જય રામદેવપીર.
રામદેવપીર મહારાજ અને ડાલીબાઈ ને માનવા વાળા દરેક નાં રામદેવપીર ઈષ્ટદેવ છે બાપ છે અને આપણાં બાપને કોઈ જાતી, સ્ત્રી પુરુષ નો ભેદ નાં, ગરીબ તવંગર નો ભેદભાવ નાં હોઈ, કોઈ ધર્મ નો ભેદભાવ નાં હોઈ તો આપણે રામદેવપીર નેં માનીએ છે તો આપણે રામદેવપીર નાં સંતાન છે અને સંતાનો એ બાપ નાં સિદ્ધાંતનું આચરણ કરવું જોઈએ કે નહીં.....?
સર્વે ભાવિક ભક્તો, સત્સંગીજનો મીત્રો ને મારાં જય ગુરુદેવ..... જય રામદેવપીર મહારાજ

08/02/2025

જય રામદેવપીર મહારાજ
ઘણાં સમયથી સંતશ્રી ત્રિકમ સાહેબ ની સમાધિ એ માથું ટેકવી ને એ પરમ ચેતના નેં માણવાની ઇચ્છા હતી અને એમની કૃપા થતાં તા.૦૪/૦૨/૨૦૨૫ નાં રોજ એ પરમ ચેતનાની સમાધી એ એમનું સાનિધ્ય માણવા મળ્યું સાથે સાથે બે આદરણીય મિત્રો વડીલો શ્રી કરશન બાપા પરમાર અને શ્રી આંબા બાપા પરમાર મોરબી નાં સંગાથે ત્રિકમ સાહેબની સાહેબી માણી અને અન્ય કુદરતી સૌંદર્ય પ્રધાન સ્થળો નેં માણ્યાં સાથે રહેલાં વડીલો નાં જ્ઞાન અને જીવન નાં અનુભવો નું રસપાન કરવા મળ્યું એ જે આનંદ માણ્યો છે એ આનંદ આપની સાથે શેર કરતાં આનંદ થાય છે સંતશ્રી ત્રિકમ સાહેબ નેં સર્વે જાણે છે છતાં વિશાળ દેશ માં કોઈ જાણતું નાં હોય એવું પણ બને અને એ સ્વાભાવિક છે પરંતુ ત્રિકમ સાહેબનું જીવન કવન એમની સેવા એમને થયેલા જગત નાં અનુભવો ઓખા - હારંભડા થી બેટ દ્વારકાની ખાડી બારુ એ એક કપડ નાં અંચળા ઉપર પાર કરેલ એ સર્વે જાણે છે અને એમાંથી ખુમારી સાથેની એમનું સ્મરણ અને સદગુરુ શ્રી ખીમ સાહેબ સાથે નું સમર્પણ અનુભવવા જેવું મનોમંથન કરવાં જેવું છે.
સર્વે સત્સંગીજનો મીત્રો ને મારાં જય ગુરુદેવ.

જય રામદેવપીર મહારાજ જય સંત શ્રી હીરસાગરબાપા... જયહો.            બે વર્ષ પહેલાં મકરસંક્રાંતિના દિવસે હું ઘરે ટીવી જોઈ રહ્...
27/12/2024

જય રામદેવપીર મહારાજ
જય સંત શ્રી હીરસાગરબાપા... જયહો.
બે વર્ષ પહેલાં મકરસંક્રાંતિના દિવસે હું ઘરે ટીવી જોઈ રહ્યો હતો અને તહેવાર નિમિત્તે ટીવી ચેનલ વાળા એક મંદિર માં પતંગો દ્વારા શણગારવામાં આવેલ મંદિર નો શણગાર બતાવી રહ્યાં હતાં વળી પતંગ રસિયાઓને પતંગ ચગાવતાં હર્ષોલ્લાસ માણતાં બતાવી રહ્યાં હતાં વળી ઘવાયેલા પક્ષીઓને બચાવવા ડ્રેસિંગ કરતાં જીવદયા પ્રેમીઓને બતાવી રહ્યાં હતાં હું દ્રવિત થયો અને મનોમંથન કરવાં લાગ્યો આ વસુંધરા ઉપર કેવાં માનવીઓ વસે છે માનવનાં અલગ અલગ મિજાજ છે,એ બધું મનોમંથન કરતાં મેં નોટબુક પેન લીધી અને ગુરુ મહારાજ નાં આદેશ મુજબ કે કૃપા મુજબ જે ગણીએ એ મુજબ એક પ્રભાતિયાં ની રચના થય એ તમારી સાથે શેર કરું છું, તહેવાર આવી રહ્યો છે આનંદ લેજો પરંતુ સાથે તમારી અને અન્યની સંભાળ રાખજો જય ગુરુદેવ, તહેવાર આવી રહ્યો છે,એ તહેવાર નિમિત્તે બધાં સંત્સગીજનો અને મિત્રો ને એડવાન્સ માં હાર્દિક શુભેચ્છાઓ ખુબ સ્વસ્થ રહો, અને માનવતા સ્વસ્થ રહે એવાં આપણાં આચરણ રાખશો કોઈ સલાહ નાં સમજતા પરંતુ એકલાં હાથે તાળી નાં પડે આપણે બધાં સાથે છે...જય ગુરુદેવ.
પ્રભાતિયું:
********
પ્રેમ નાં ધાગે મેંતો પતંગ રે ચગાવી
વસુંધરા માથે ફેલાણી રે
સદગુરુ મારાં સમર્થ સ્વામી...

સદગુરુ એતો કળા રે શિખવાડી
તાર સંધાયો કુદરતે રે
સદગુરુ મારાં સમર્થ સ્વામી..

પ્રેમ ભરી મેંતો રંગત રે જમાવી
પ્રપંચ નાં પેચ મેં છોડ્યાં રે
સદગુરુ મારાં સમર્થ સ્વામી...

હરખ ઉલ્લાસનો આનંદ રે સર્જાયો
વહેંચ્યા પ્રેમ કરૂણા નાં લાડુ રે
સદગુરુ મારાં સમર્થ સ્વામી...

ગુરુ કૃપા થાય તો લાડ રે લડાવે
કીરતાર આખાં જગતમાં રે
સદગુરુ મારાં સમર્થ સ્વામી..

" નરેન્દ્ર" નાં રે ગુરુ દેવજી બાપા
મોહ,ભય મુક્તિ નાં દાંતા રે
સદગુરુ મારાં સમર્થ સ્વામી...
***********
નરેન્દ્ર સાહેબ ગુરુ શ્રી દેવજી બાપા નાં ચરણોમાં કોટી કોટી વંદન સહ અર્પણ....જય ગુરુદેવ.

જય સંત શ્રી હીરસાગરબાપા.... જયહો.             સંસાર નાં તમાંમ જીવો માં વધુ બૌધ્ધિક શક્તિ શક્તિની ભેંટ કુદરતે માનવીને આપી...
24/12/2023

જય સંત શ્રી હીરસાગરબાપા.... જયહો.
સંસાર નાં તમાંમ જીવો માં વધુ બૌધ્ધિક શક્તિ શક્તિની ભેંટ કુદરતે માનવીને આપી છે જેનો ઉપકાર અન્ય જીવો કરતાં આપણાં ઉપર વધુ છે અને કદાચ મને તમને જો કહેવા આવે કે હેં માનવ અન્ય કરતાં મેં તારાં ઉપર વધું ઉપકાર કર્યો છે એવું થાય તો પણ આપણું કામ થય જાય સાક્ષાત દર્શન થય જાય પરંતુ એવું કોઈ સજ્જન અને સંત નાં જીવન માં બનતું હશે, આપણે તો જોજનો દૂર ક્દાચ હોય શકીએ તો એ રાહ મળી જાય તો એ દિશા માં ચાલવા પ્રયત્ન કરીએ.
આજ કાલ બાહરીય દેખાવ માટે વિવિધ પ્રકાર નાં પ્રયોગો, પ્રયત્ન થતાં રહે છે પરંતુ ત્યાંના ત્યાં થોડા સમયનો એ દેખાવ,પરંતુ જેમને ભીંતર ની સુંદરતા ભેંટ મળી છે, કે જેમણે જ્ઞાન દ્વારા સંસ્કાર નેં સુયોગ્ય સુંદર બનાવ્યા છે એમને એ ભીતરીય સુંદરતા જાળવવા માટે કોઈ આર્થિક ખર્ચ કરવો પડતો નથી બસ એ માણસોની વચ્ચે આવે એટલે એનાં શિસ્ત,સમજણ અને કાર્ય અને વર્તન દ્વારા એની ભીતરીય સુંદરતાનું અન્ય એમનાં જેવાં વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ ને એમની હાજરીની નોંધ આપી જાય છે.
બાહરીય સુંદરતા કાયમી નથી એ કોઈ પણ સમયે કોઈ પણ બહાને માનવનાં જીવતાં જાગતાં નષ્ટ પામે છે પરંતુ ભીતરીય સુંદરતા એ માનવ નેં દેહ નાં અંત સુધી સાથ આપે છે અને કોઈ પરમ ચેતના ને એમનાં દેહાંત પછી પણ પહેલાં કરતાં વધું સાથ આપે છે અને આ સરળતાથી સમજી શકાય છે આપણાં ઘરો માં સંતો નાં ફોટા હોય છે એ શું બતાવે છે...?જેનાં આપણે છાંયડે છે વધુ આગળ આપણને શોધવાં જવાની પણ જરૂર રહેવા દીધી નથી માટે ભીંતર ની સુંદરતા વધારવી અને માણવી... જય ગુરુદેવ.... જયહો.
**************
નરેન્દ્ર સાહેબ ગુરુ શ્રી દેવજી બાપા નાં ચરણોમાં કોટી કોટી વંદન સહ અર્પણ.

જય સંત શ્રી હીરસાગરબાપા... જયહો.            દરેક માણસને બધી સગવડતાઓ પ્રાપ્ત થતી નથી છતાં મહેનત કશ માનવીઓ એ જે કાંઈ કામ જ...
22/12/2023

જય સંત શ્રી હીરસાગરબાપા... જયહો.
દરેક માણસને બધી સગવડતાઓ પ્રાપ્ત થતી નથી છતાં મહેનત કશ માનવીઓ એ જે કાંઈ કામ જાણે છે એ કાર્ય કરી ને એમનો જીવન નિર્વાહ કરે છે અને એમાં એ ખુશ છે અને એ ખુદ્દારી સાથે જીવે છે તમે મહેલ બનાવ્યો કે મંદીર કે મસ્જિદ કે શાળા કોલેજો કે હોસ્પિટલ દરેક માં આ શ્રમજીવી નો પરસેવો પડ્યો હોય છે આ ખુબ મોટી વાત છે જો સમજવાં માં આવે તો માટે તમારી આજુબાજુ માં એ મહીનો બે મહિના રહેવા માંગે તો રહેવા દેજો એ લોકો કામ ધંધા અર્થે ફરતાં રહેતાં હોય છે કોઈ બીમારી માં સપડાય તો ખ્યાલ આવે તો મદદરૂપ થવું આ સેવા ઉત્તમ છે એવું મારું માનવું છે...જય ગુરુદેવ.

જય સંત શ્રી હીરસાગરબાપા.... જયહો.સર્વે સત્સંગી જનોને મારાં જય ગુરુદેવ.ભજન:પોપટ પુરાણો પાંજરે એને ઉડવાનું મન થાયમળે માલમી...
20/12/2023

જય સંત શ્રી હીરસાગરબાપા.... જયહો.
સર્વે સત્સંગી જનોને મારાં જય ગુરુદેવ.
ભજન:
પોપટ પુરાણો પાંજરે એને ઉડવાનું મન થાય
મળે માલમી સદગુરુ તો પોપટ મુક્ત થાય.... ટેક.

ઉદર માં પ્રાણ પૂરે એને પરમાત્મા કહેવાય
માતા પિતા જન્મ દેહ દાતા કહેવાય

જગત નાં બંધાય રંગ રોગાન માણી લે
માંયલો થાકે એ પહેલાં સદગુરુનુ શરણં લે... ટેક.

સદગુરુ પાસે પંચરંગી આત્માઓ આવે
સદગુરુ એવાં મળે તો એકજ રંગ માં લાવે

આ દેહનો મોહ છોડાવે છે સદગુરુ દાતા
ગુરુની સાન સમજી લેય એ શિષ્યની પૂર્ણતા ... ટેક.

જીવનમાં બધાં સાધક એ સર્વે નર નારી જાણે
સદગુરુ કૃપા ભળે તો સર્વે નર નારી સ્વને જાણે

અન્યને નાણવાનો મોહ એ માર્ગ હારવાનો
ખુદ ને જાણે માણે એ"નરેન્દ્ર" જગત જીતવાનો... ટેક.
**********
નરેન્દ્ર સાહેબ ગુરુ શ્રી દેવજી બાપા નાં ચરણોમાં કોટી કોટી વંદન સહ અર્પણ.... જય ગુરુદેવ.

જય સંત શ્રી હીરસાગરબાપા..... જયહો.સુંદરતા:સુંદરતા માણસને ગમે છે અને સ્વભાવિક છે પરંતુ સુંદરતા સાથે સમજણ વિનમ્રતા,શિસ્ત શ...
18/12/2023

જય સંત શ્રી હીરસાગરબાપા..... જયહો.
સુંદરતા:
સુંદરતા માણસને ગમે છે અને સ્વભાવિક છે પરંતુ સુંદરતા સાથે સમજણ વિનમ્રતા,શિસ્ત શિક્ષણ, નિસ્વાર્થ અને નિરાભિમાની સાથે સહજતા માં સુંદરતા પચાવવાની જે નર નારી માં શક્તિ હોય એ માનવ વંદનીય ગણાય અથવા વંદનીય થાય છે.
એ સુંદરતા જાળવવા અને વધુ શણગારવાની જરૂર રહેતી નથી, આ પ્રકૃતિ એમનું રક્ષણ અને વિકાસ કરે છે એમની ભીતરીય શક્તિ ખૂબ વિકાસ થાય છે અને નિખાલસતા, શુધ્ધ હ્રદય નો ઓજસ એમનાં ચહેરા પર ફેલાઈ છે આ બધું ત્યારે શક્ય બને છે કે સુંદર વ્યક્તિ આત્માથી શુધ્ધ રહે છે.
સુંદરતા તો જન્મ જાત પણ મળે છે એમાં નવું નથી માતા પિતાની સુંદરતા બાળક માં ઉતરે છે પણ ગુણ ઉંમર વધતી જાય તેમ ગુણો વધારતા રહેવું પડે છે અને એની આખી પ્રતિભા એવી વિકાસ થાય છે કે એમની સામે બુરી નજરથી જોવા વાળા, ઈર્ષા કરવાં વાળા પણ એ રૂપની ભવ્યતા અને આંતરીક સુંદરતાથી બચતાં નથી અને કામી ઈર્ષાખોર ખરાં હ્રદયથી જે તે વ્યક્તિથી અભિભૂત થાય છે અને એમની રૂપની ઘેલશા છોડે છે અને એમનાં શરણં માં આવે છે,આપણી લોક કથાઓ અને સત્ય ઘટના આધારીત છે, જે આપણે જાણતાં હોય છે.
આધ્યાત્મિક જગતમાં ઘણા જતિઓ સતિઓ અને સામાજિક જગતમાં ઘણા સજ્જનો અને સન્નારીઓ સુંદર હતાં અને છે જેને આપણે આપણી મર્યાદા માં જાણતાં હોય છે.
આજે સુંદરતા અને સધ્ધરતાનો જે વાયરો સમાજ માં ફુંકાયો છે એ પ્રાપ્ત કરવા જે અખતરા થાય છે એ સુંદરતા સધ્ધરતા ટુંકા ગાળાની સાબિત થાય છે અને ત્યારબાદ માનવ નિરાશાની ગર્તામાં ધકેલાઈ જાય છે, અને એ સમાજ માં નાં કરવાં નાં કાર્યો કરી બેસે છે માનવ સમાજ માં અનિષ્ટ દુષણો વધારે છે.કુદરતનુ સર્જન બધું સુંદર છે બસ એને સમજવું માણવું એ બુધ્ધિજીવી માણસનાં હાથની વાત છે અને એ દરેક માણસ માં સમજ પડેલી છે.ફકત ઉજાગર કરો ઘણાં એવાં વ્યક્તિઓ છે જે જગતભરમાં એનાં ચહેરા સુંદર નથી હોતાં પણ એમનાં પરમાર્થી કાર્યો સુંદર હોય છે અને એ માનવતા નાં પૂજારી હોય છે અને માનવતાનાં સર્જક અને રક્ષકો હોય છે જેને આપણે વંદન કરીએ છે, અને એ આપણા પ્રેરણા દાંતા રહ્યાં હોય છે.આપણી નજીક માં જેની શિતળતા નાં છાંયડે આપણે છે, એવાં ઘણાં સંતો, સદગૃહસ્થો છે આપણી નજીક નાં સંત શ્રી ઉગારામબાપા વિશે આપ સહુ જાણકાર છો એટલે બહારની સુંદરતા કરતાં ભીતરની સુંદરતા ઘણી મહત્વની છે માટે કોઈ સ્ત્રી પુરુષે પોતાનાં દેખાવ માટે માનસિક સંકુચિતતા કે લઘુતાગ્રંથિ રાખવાની જરૂર નથી, ભીતર આત્માને શણગારો બાંહ્ય સુંદરતા એની આપો આપ ખીલે છે એ કુદરતનું તેજ એનાં દેહમાં વસે છે.
********************
નરેન્દ્ર સાહેબ ગુરુ શ્રી દેવજી બાપા નાં ચરણોમાં કોટી કોટી વંદન સહ અર્પણ.

18/12/2023

આસ્તિક અને નાસ્તિક નેં સરખું ઓક્સિજન પૂરો પાડે એ વૃક્ષ, નવી પેઢી નેં કોઈ ઉત્તમ ભેટ દેવાં માંગતા હોવ તો વૃક્ષો વાવો અને જતન કરો.
જય ગુરુદેવ.... નરેન્દ્ર સાહેબ.

Address

Machhiwad Yogeshwar Mandir Road
Magarwara
396220

Website

Alerts

Be the first to know and let us send you an email when Sant Hirsager Bapa Sanidhya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sant Hirsager Bapa Sanidhya:

Share