History of Bukhari Saiyed - Kachchh-Gujarat

History of Bukhari Saiyed - Kachchh-Gujarat Information related to the history of Bukhari Saiyed families in Kutch will be placed on our page. So that people may truly recognize these holy families.

-: સૈયદ હાજીહાશિમશાહ (ર.અ.)એ એક જ સમયે બે ગામોમાં નમાજ પઢાવી:-શુક્રવારનો દિવસ હતો. અબડાસાના ગોલાય અને હોથિયાય ગામનાં લોક...
15/07/2024

-: સૈયદ હાજીહાશિમશાહ (ર.અ.)એ એક જ સમયે બે ગામોમાં નમાજ પઢાવી:-

શુક્રવારનો દિવસ હતો. અબડાસાના ગોલાય અને હોથિયાય ગામનાં લોકો જુમ્મા નમાજની તૈયારી કરી રહ્યા હતા. બન્ને ગામોની અંદર તે દિવસે એક કરામત પ્રગટ થઈ. થયું એવું કે તે દિવસે બાવા હાજીહાશિમશાહ (ર.અ.) બન્ને ગામોમાં હાજર હતા.

બન્ને ગામના લોકોએ જ્યારે બાવાને જોયા તો તેઓને જુમ્મા નમાજ પઢાવવાની વિનંતી કરી. બાવાએ બન્ને જગ્યાએ હામી ભરી.

હવે બન્ને ગામોની અંદર જુમ્મા નમાજ શરૂ થઈ. બાવા ખુત્બો પઢયા. જમાત ઊભી થઈ. બાવાએ નમાજ પઢાવી. બન્ને જગ્યાએ સૂરએ યાસીન પઢી. ઠીક અઢી વાગ્યા ત્યારે બન્ને ગામોમાં નમાજ પૂરી થઈ.

બીજા દિવસે જ્યારે બન્ને ગામનાં લોકોની કયાંક મુલાકાત થઈ હશે ત્યાં વાત વાતમાં જુમ્મા નમાજની વાત નીકળી ત્યાં તો વિવાદ ઊભો થઈ ગયો. ગોલાય ગામના લોકો કહે કે બાવાએ અમારે ત્યાં નમાજ પઢાવી છે તો હોથીયાયના લોકો કહે કે અમારે ત્યાં પઢાવી છે.
એક કહે કે અમારે ત્યાં સૂરએ યાસીન પઢી છે તો બીજા કહે કે અમારે ત્યાં પણ એ જ સુરત પઢી છે. બન્ને જગ્યાએ અઢી વાગે નમાજ પૂરી થઈ એ વાત પણ બન્ને ગામનાં લોકોએ કબૂલી.

હવે કોઈનાં સમજમાં જ નહોતું આવતું કે આવું કેવી રીતે બની શકે ? અજબ વાત હતી કે એક વ્યક્તિ એક સાથે બે બે ગામોની અંદર નમાજ પઢાવી આવે !

આખર લોકો હોથિયાય ગામના હાજી ઉમર જત પાસે ગયા. તેઓ નેક તબિયત અને દીનની સારી સમજ ધરાવતા હતા. પૂરી હકીકત જ્યારે તેમને સંભળાવવામાં આવી ત્યારે તેઓએ લોકોને સમજાવતા કહ્યું કે ખુદા પોતાના નેક અવલિયાને એવી શક્તિઓ આપે છે કે તેઓ એક જ સમયે અલગ અલગ જગ્યાએ પહોંચી શકતા હોય છે. બાવા હાજીહાશિમશાહ (ર.અ.) પણ એવા જ કામિલ અવલિયા માંથી છે. આ આપની એક કરામત હતી.

આ વાતના સાક્ષી અને તે દિવસે બાવા પાછળ હોથીયાય ગામમાં નમાજ પઢનાર મુહમ્મદ મૂસા જત આજે પણ હયાત છે. અમે આ વાત તેમનાથી રૂબરૂમાં સાંભળેલ છે.

08/03/2022

કચ્છની ધરતીને પોતાના ફૈઝથી પાવન કરનાર આલે રસૂલ, સૈયદ - સાદાતનાં કુટુંબોની વિગતો નીચે મુજબ છે.

: આરીખાણા (કચ્છ):
સૈયદ નવાઝશાહ બિન સૈફુદ્દીન (રહમતુલ્લા અલયહ):
આપની વંશાવલી પાંચમી પેઢીએ ઉચ્ચ શરીફ (પંજાબ- પાકિસ્તાન)નાં મશહૂર બુઝુર્ગ સૈયદ જલાલુદ્દીન સુર્ખ-પોશ (રહમતુલ્લાહ અલયહ)ને જઈ મળે છે.

આપ સૌપ્રથમ ઉચ્ચ શરીફથી સિંધ પ્રાંતના બદીન શહેર અને ત્યારબાદ બદીનથી કચ્છનાં આરીખાણા ગામે આવી ત્યાં સ્થાયી થયા.

આપનાં બે પુત્રો હતા. (૧) હાશિમશાહ અને (૨) હુસૈનશાહ.

હાશિમશાહ અને હુસૈનશાહની મઝારો ગુજરાતનાં સુરત શહેરમાં આવેલ છે.

હુસૈનશાહનાં વંશજો આજે ગુજરાતનાં સુરત શહેરમાં આવેલા છે.

હાશિમશાહનાં ત્રણ પુત્રો હતા. (૧)અબ્દુલ વહાબ (૨) મોહમ્મદશાહ અને (૩) પીરશાહ.

મોહમ્મદશાહ અને પીરશાહનાં વંશજો સિંઘ - પાકિસ્તાનમાં આવેલા છે.

અબ્દુલ વહાબ નાં બે પુત્રો હતા. (૧) મુહમ્મદ જમાલશાહ અને (૨) મીર મુહમ્મદશાહ.

મુહમ્મદ જમાલશાહ (રહમતુલ્લાહ અલયહ) ની મઝાર કચ્છના અબડાસા તાલુકાના કમંઢ ગામે ઉતર દિશામાં આવેલી છે. એમના ભાઈ મીર મુહમ્મદશાહનાં વંશજો આરીખાણામાં ભીભામાં પરીવાર તરીકે ઓળખાય છે.

નવાઝશાહનાં વંશજોમાંથી ઘણા અવલિયા થયા છે જેની વિગતો નીચે મુજબ છે.

સૈયદા ભીભામાં (રહ.) જેઓ કચ્છનાં મશહૂર વલિય્યા થઈ ગયા છે. આપની મઝાર કચ્છનાં અબડાસા તાલુકાના આરીખાણા ગામની પૂર્વ દિશામાં આવેલ કબ્રસ્તાનમાં આવેલ છે. આ કબ્રસ્તાન ભીભામાં કબ્રસ્તાન તરીકે ઓળખાય છે.

સૈયદ ગુલામછા (રહ.) જેઓ સૂફીસાંઈ (કોરાશરીફ)નાં મુર્શિદ થાય. તેમની મઝાર આરીખાણાનાં ભીભામાં કબ્રસ્તાનમાં આવેલ છે.

સૈયદ ઇનાયતશાહ ઉર્ફે અનાતશાહ (રહ.) તેમની મઝાર આરીખાણાનાં ભીભામાં કબ્રસ્તાનમાં આવેલ છે.

સૈયદ તકીશા ઉર્ફે મસ્ત બાવા (રહ.) તેમની મઝાર આરીખાણાનાં ભીભામાં કબ્રસ્તાનમાં આવેલ છે.

સૈયદ હાશિમશાહ (રહ.) તેમની મઝાર અબડાસાના નલીયા ગામની ઉત્તર-પશ્વિમ દિશામાં આવેલ પીર પાગારા કબ્રસ્તાનમાં આવેલ છે.

સૈયદ હુસૈન શાહ (રહ.) તેમની મઝાર અબડાસાના થુમડી ગામની ઉત્તર-પશ્વિમ દિશામાં આવેલ છે.

સૈયદ બાદશાહ મિયાં (રહ.) તેમની મઝાર અબડાસાના મોટી બેર ગામે નદી કિનારે આવેલ છે.

સૈયદ અલીશા (રહ.) તેમની મઝાર કચ્છના શહેર માંડવીનાં દરિયા કાંઠે આવેલ છે.

સૈયદ તકિશા (રહ.) તેમની મઝાર પાકિસ્તાનનાં કરાચીના મોયડા કબ્રસ્તાનમાં આવેલ છે.

સૈયદ જલાલશાહ (રહ.) તેમની મઝાર કચ્છનાં કોઠારા ગામનાં બરકતશાહ કબ્રસ્તાનમાં આવેલ છે.

કોઠારા ગામના સૈયદ અબ્દુલ કાદિરશાહ ઉર્ફે જાવેદ હુસૈન બાવાની વંશાવલી ચૌદમી પેઢીએ નવાઝશાહથી મળે છે.

સૈયદ હાજી હાશિમશાહ (રહ.)ની કરામત:વાત છે નલિયાની નજીક આવેલા ગામ મોકરશીવાંઢની. વર્ષ હતો ૧૯૮૯.એક દિવસ તે ગામનાં મોકરશી હાજી...
25/08/2021

સૈયદ હાજી હાશિમશાહ (રહ.)ની કરામત:

વાત છે નલિયાની નજીક આવેલા ગામ મોકરશીવાંઢની. વર્ષ હતો ૧૯૮૯.

એક દિવસ તે ગામનાં મોકરશી હાજીકાસમ કુંવરજીનાં પત્ની આસિબાઈની તબિયત અચાનક બગડવા લાગી. પરિવારનાં સભ્યો ભેગા થઈ ગયા.

ગામડામાં તબીબી સારવારની કોઈ સુવિધા ન હોવાથી નલિયામાંથી તે સમયનાં ડૉ.ભરતભાઈને અને બીજા અન્ય ડૉકટરને બોલાવી લાવ્યા.

સાંજનાં પાંચેક વાગ્યા હશે. ડૉક્ટરે નાડી તપાસી ધબકારા ચેક કર્યા. પરંતુ કોઈ હલચલ ન જણાઈ. આથી ડૉક્ટરે આસિબાઈને મૃત ઘોષિત કરી.

આસિબાઈ મૃત્યુ પામ્યા છે તેની જાણ કુટુંબ અને ગામનાં લોકોને થતા તેઓ હાજીકાસમનાં ઘરે આવવા લાગ્યા. કેટલાક લોકો કફન-દફનની તૈયારી કરવા લાગ્યા.

બીજી તરફ હાજીકાસમનાં પત્ની મૃત્યુ પામ્યા છે તેની જાણ નલિયાના જુવાનસિંહ અને મામદશેઠ મેમણને થતા તેઓ પણ હાજીકાસમને સાંત્વના આપવા ગામે દોડી આવ્યા અને અમારા જેવું કોઈ પણ જાતનું કામકાજ હોય તો કહેજો એવું આશ્વાસન આપી તેઓ પાછા ફર્યા.

આ બાજુ ઘરમાં તો માતમ છવાઈ ગયો હતો. ગામનાં લોકો પણ આ દુઃખની ઘડીમાં હાજીકાસમને સાંત્વના આપવા તેમના ઘરે પહોંચી આવ્યા હતા.

બીજી તરફ ખુદાને તો આજે તેના એક નેક બંદાની શાન દેખાડવી હતી. આથી સાંજનાં સમયે અચાનક ત્યાં સૈયદ હાજીહાશિમશાહ આવી પહોંચ્યા.

લોકોને આપ આવ્યા છે તેની જાણ થતા આપનાં હાથ ચૂમી બધી હકીકત જણાવી અને કહ્યું કે હવે કફન-દફનની તૈયારી કરીએ છીએ.

આપ જ્યારે આ સાંભળ્યું તો આપે તેમને કહ્યું, "થુડી઼ વાટ નેર્યૉ ન, થુડી઼ વાટ નેર્યૉ ન (થોડી રાહ જુઓ ને, થોડી રાહ જુઓ ને).

ગામનાં લોકો આપની કરામતોથી વકિફ હતા તેમજ હાજીકાસમનો પરિવાર પણ આપની અકીદત વાળો હતો. આથી એવું નક્કી થયું કે હાજીહાશિમશાહ કહ્યા મુજબ ત્રણ વાગ્યા સુધી રાહ જોવામાં આવે.

આ વાતની જાણ થતાં આસપાસનાં લોકો હાજીકાસમનાં ઘરે ભેગા થવા લાગ્યા. સૌ કોઈને આજે ખુદાની કુદરતનો નજારો જોવો હતો.

સમય વીતવા લાગ્યો. દસ વાગ્યા. બાર વાગ્યા. પરંતુ આસિબાઇનાં શરીરમાં કોઈ હલચલ જણાઈ નહિં. ઘરનાં લોકો વારે ઘડીએ આંખની પાંપણો ખોલીને ચેક કરતા હતા પરંતુ મૃત શરીરમાં જીવનની હજી સુધી કોઈ અસર જણાઈ ન હતી. પરંતુ ઘરનાં લોકોને હજી પણ હાજીહાશિમશાહની વાત પર વિશ્વાસ હતો.

સમય વીતતો ગયો. એક વાગ્યો. બે વાગ્યા અને જ્યારે ત્રણ વાગ્યા કે અચાનક આસિબાઇએ આંખો ખોલી અને હાથનો ટેકો દેતા ઉભા થઈ ગયા અને પૂછવા લાગ્યા કે આપણા ઘરે આટલા લોકો કેમ ભેગા થયા છે?

આ દ્રશ્ય જોતા દરેકની આંખો ફાટી ગઈ. સૌ કોઈ અવાચક બની ગયા. મૃત લોકો જીવતા થાય છે તે તો માત્ર લોકોએ સંભાળ્યું હતું પણ આજે તો સૌ એ આજે પોતાની આંખોથી આ દ્રશ્ય જોયું હતું.

સૌ કોઇના મોઢા પર આસિબાઇ જીવતા થઈ ગયા છે એવી જ ચર્ચા હતી. આ વાત વાયુ વેગે તે વિસ્તારમાં ફેલાઈ ગઈ. જેને જેને જાણ થઈ તે આ કુદરતનાં કરિશ્માને જોવા આવવા લાગ્યા.

નલિયાના જુવાનસિંહ અને મામદશેઠ મેમણને જાણ થતાં તેઓ પણ આશ્ચર્ય પામ્યા અને ફરી પાછા મોકરશીવાંઢ પહોંચી આવ્યા. આ કરામત જોઈ તેઓ પણ વાહ વાહ પોકારી ઉઠ્યા.

આમ સૈયદ હાશિમશાહ (રહ.)ની કરામતથી આસિબાઈને નવું જીવન મળ્યું અને લોકોને ખુદાના નેક બંદા અવલિયાની તાકતનો નજારો જોવા મળ્યો.

સૈયદ હાશિમશાહ (રહ.) સૂફી દરવેશ, હંમેશા વજદની હાલતમાં રહેનારા અને સાહિબ-એ-કરામત અવલિયામાંથી હતા.

આપ આરીખાણાનાં ભીભામાં પરિવાર માંથી છે. આપની વંશાવલી સોળમી પેઢીએ મશહૂર બુઝુર્ગ સૈયદ જલાલુદ્દીન સુર્ખ પોશ (રહ.)થી મળે છે. સૈયદ જલાલુદ્દીન સુર્ખ પોશ (રહ.) એ પણ નાનપણમાં એક મુર્દા ને જીવિત કર્યો હતો.

સૈયદ હાશિમશાહ (રહ.)ની મઝાર નલિયામાં આવેલ છે.

આજે પણ આ ઘટનાનાં સાક્ષીઓ હયાત છે તેમજ ડો. ભરતભાઈ પણ હયાત છે અને હાલે ગાંધીધામમાં રહે છે.

25/08/2021

સૈયદ હાજી હાશિમશાહ (રહ.)ની કરામત:

વાત છે નલિયાની નજીક આવેલા ગામ મોકરશીવાંઢની. વર્ષ હતો ૧૯૮૯.

એક દિવસ તે ગામનાં મોકરશી હાજીકાસમ કુંવરજીનાં પત્ની આસિબાઈની તબિયત અચાનક બગડવા લાગી. પરિવારનાં સભ્યો ભેગા થઈ ગયા.

ગામડામાં તબીબી સારવારની કોઈ સુવિધા ન હોવાથી નલિયામાંથી તે સમયનાં ડૉ.ભરતભાઈને અને બીજા અન્ય ડૉકટરને બોલાવી લાવ્યા.

સાંજનાં પાંચેક વાગ્યા હશે. ડૉક્ટરે નાડી તપાસી ધબકારા ચેક કર્યા. પરંતુ કોઈ હલચલ ન જણાઈ. આથી ડૉક્ટરે આસિબાઈને મૃત ઘોષિત કરી.

આસિબાઈ મૃત્યુ પામ્યા છે તેની જાણ કુટુંબ અને ગામનાં લોકોને થતા તેઓ હાજીકાસમનાં ઘરે આવવા લાગ્યા. કેટલાક લોકો કફન-દફનની તૈયારી કરવા લાગ્યા.

બીજી તરફ હાજીકાસમનાં પત્ની મૃત્યુ પામ્યા છે તેની જાણ નલિયાના જુવાનસિંહ અને મામદશેઠ મેમણને થતા તેઓ પણ હાજીકાસમને સાંત્વના આપવા ગામે દોડી આવ્યા અને અમારા જેવું કોઈ પણ જાતનું કામકાજ હોય તો કહેજો એવું આશ્વાસન આપી તેઓ પાછા ફર્યા.

આ બાજુ ઘરમાં તો માતમ છવાઈ ગયો હતો. ગામનાં લોકો પણ આ દુઃખની ઘડીમાં હાજીકાસમને સાંત્વના આપવા તેમના ઘરે પહોંચી આવ્યા હતા.

બીજી તરફ ખુદાને તો આજે તેના એક નેક બંદાની શાન દેખાડવી હતી. આથી સાંજનાં સમયે અચાનક ત્યાં સૈયદ હાજીહાશિમશાહ આવી પહોંચ્યા.

લોકોને આપ આવ્યા છે તેની જાણ થતા આપનાં હાથ ચૂમી બધી હકીકત જણાવી અને કહ્યું કે હવે કફન-દફનની તૈયારી કરીએ છીએ.

આપ જ્યારે આ સાંભળ્યું તો આપે તેમને કહ્યું, "થુડી઼ વાટ નેર્યૉ ન, થુડી઼ વાટ નેર્યૉ ન (થોડી રાહ જુઓ ને, થોડી રાહ જુઓ ને).

ગામનાં લોકો આપની કરામતોથી વકિફ હતા તેમજ હાજીકાસમનો પરિવાર પણ આપની અકીદત વાળો હતો. આથી એવું નક્કી થયું કે હાજીહાશિમશાહ કહ્યા મુજબ ત્રણ વાગ્યા સુધી રાહ જોવામાં આવે.

આ વાતની જાણ થતાં આસપાસનાં લોકો હાજીકાસમનાં ઘરે ભેગા થવા લાગ્યા. સૌ કોઈને આજે ખુદાની કુદરતનો નજારો જોવો હતો.

સમય વીતવા લાગ્યો. દસ વાગ્યા. બાર વાગ્યા. પરંતુ આસિબાઇનાં શરીરમાં કોઈ હલચલ જણાઈ નહિં. ઘરનાં લોકો વારે ઘડીએ આંખની પાંપણો ખોલીને ચેક કરતા હતા પરંતુ મૃત શરીરમાં જીવનની હજી સુધી કોઈ અસર જણાઈ ન હતી. પરંતુ ઘરનાં લોકોને હજી પણ હાજીહાશિમશાહની વાત પર વિશ્વાસ હતો.

સમય વીતતો ગયો. એક વાગ્યો. બે વાગ્યા અને જ્યારે ત્રણ વાગ્યા કે અચાનક આસિબાઇએ આંખો ખોલી અને હાથનો ટેકો દેતા ઉભા થઈ ગયા અને પૂછવા લાગ્યા કે આપણા ઘરે આટલા લોકો કેમ ભેગા થયા છે?

આ દ્રશ્ય જોતા દરેકની આંખો ફાટી ગઈ. સૌ કોઈ અવાચક બની ગયા. મૃત લોકો જીવતા થાય છે તે તો માત્ર લોકોએ સંભાળ્યું હતું પણ આજે તો સૌ એ આજે પોતાની આંખોથી આ દ્રશ્ય જોયું હતું.

સૌ કોઇના મોઢા પર આસિબાઇ જીવતા થઈ ગયા છે એવી જ ચર્ચા હતી. આ વાત વાયુ વેગે તે વિસ્તારમાં ફેલાઈ ગઈ. જેને જેને જાણ થઈ તે આ કુદરતનાં કરિશ્માને જોવા આવવા લાગ્યા.

નલિયાના જુવાનસિંહ અને મામદશેઠ મેમણને જાણ થતાં તેઓ પણ આશ્ચર્ય પામ્યા અને ફરી પાછા મોકરશીવાંઢ પહોંચી આવ્યા. આ કરામત જોઈ તેઓ પણ વાહ વાહ પોકારી ઉઠ્યા.

આમ સૈયદ હાશિમશાહ (રહ.)ની કરામતથી આસિબાઈને નવું જીવન મળ્યું અને લોકોને ખુદાના નેક બંદા અવલિયાની તાકતનો નજારો જોવા મળ્યો.

સૈયદ હાશિમશાહ (રહ.) સૂફી દરવેશ, હંમેશા વજદની હાલતમાં રહેનારા અને સાહિબ-એ-કરામત અવલિયામાંથી હતા.

આપ આરીખાણાનાં ભીભામાં પરિવાર માંથી છે. આપની વંશાવલી સોળમી પેઢીએ મશહૂર બુઝુર્ગ સૈયદ જલાલુદ્દીન સુર્ખ પોશ (રહ.)થી મળે છે. સૈયદ જલાલુદ્દીન સુર્ખ પોશ (રહ.) એ પણ નાનપણમાં એક મુર્દા ને જીવિત કર્યો હતો.

સૈયદ હાશિમશાહ (રહ.)ની મઝાર નલિયામાં આવેલ છે.

આજે પણ આ ઘટનાનાં સાક્ષીઓ હયાત છે તેમજ ડો. ભરતભાઈ પણ હયાત છે અને હાલે ગાંધીધામમાં રહે છે.

25/08/2021

સૈયદ હાજી હાશિમશાહ (રહ.)ની કરામત:

વાત છે નલિયાની નજીક આવેલા ગામ મોકરશીવાંઢની. વર્ષ હતો ૧૯૮૯.

એક દિવસ તે ગામનાં મોકરશી હાજીકાસમ કુંવરજીનાં પત્ની આસિબાઈની તબિયત અચાનક બગડવા લાગી. પરિવારનાં સભ્યો ભેગા થઈ ગયા.

ગામડામાં તબીબી સારવારની કોઈ સુવિધા ન હોવાથી નલિયામાંથી તે સમયનાં ડૉ.ભરતભાઈને અને બીજા અન્ય ડૉકટરને બોલાવી લાવ્યા.

સાંજનાં પાંચેક વાગ્યા હશે. ડૉક્ટરે નાડી તપાસી ધબકારા ચેક કર્યા. પરંતુ કોઈ હલચલ ન જણાઈ. આથી ડૉક્ટરે આસિબાઈને મૃત ઘોષિત કરી.

આસિબાઈ મૃત્યુ પામ્યા છે તેની જાણ કુટુંબ અને ગામનાં લોકોને થતા તેઓ હાજીકાસમનાં ઘરે આવવા લાગ્યા. કેટલાક લોકો કફન-દફનની તૈયારી કરવા લાગ્યા.

બીજી તરફ હાજીકાસમનાં પત્ની મૃત્યુ પામ્યા છે તેની જાણ નલિયાના જુવાનસિંહ અને મામદશેઠ મેમણને થતા તેઓ પણ હાજીકાસમને સાંત્વના આપવા ગામે દોડી આવ્યા અને અમારા જેવું કોઈ પણ જાતનું કામકાજ હોય તો કહેજો એવું આશ્વાસન આપી તેઓ પાછા ફર્યા.

આ બાજુ ઘરમાં તો માતમ છવાઈ ગયો હતો. ગામનાં લોકો પણ આ દુઃખની ઘડીમાં હાજીકાસમને સાંત્વના આપવા તેમના ઘરે પહોંચી આવ્યા હતા.

બીજી તરફ ખુદાને તો આજે તેના એક નેક બંદાની શાન દેખાડવી હતી. આથી સાંજનાં સમયે અચાનક ત્યાં સૈયદ હાજીહાશિમશાહ આવી પહોંચ્યા.

લોકોને આપ આવ્યા છે તેની જાણ થતા આપનાં હાથ ચૂમી બધી હકીકત જણાવી અને કહ્યું કે હવે કફન-દફનની તૈયારી કરીએ છીએ.

આપ જ્યારે આ સાંભળ્યું તો આપે તેમને કહ્યું, "થુડી઼ વાટ નેર્યૉ ન, થુડી઼ વાટ નેર્યૉ ન (થોડી રાહ જુઓ ને, થોડી રાહ જુઓ ને).

ગામનાં લોકો આપની કરામતોથી વકિફ હતા તેમજ હાજીકાસમનો પરિવાર પણ આપની અકીદત વાળો હતો. આથી એવું નક્કી થયું કે હાજીહાશિમશાહ કહ્યા મુજબ ત્રણ વાગ્યા સુધી રાહ જોવામાં આવે.

આ વાતની જાણ થતાં આસપાસનાં લોકો હાજીકાસમનાં ઘરે ભેગા થવા લાગ્યા. સૌ કોઈને આજે ખુદાની કુદરતનો નજારો જોવો હતો.

સમય વીતવા લાગ્યો. દસ વાગ્યા. બાર વાગ્યા. પરંતુ આસિબાઇનાં શરીરમાં કોઈ હલચલ જણાઈ નહિં. ઘરનાં લોકો વારે ઘડીએ આંખની પાંપણો ખોલીને ચેક કરતા હતા પરંતુ મૃત શરીરમાં જીવનની હજી સુધી કોઈ અસર જણાઈ ન હતી. પરંતુ ઘરનાં લોકોને હજી પણ હાજીહાશિમશાહની વાત પર વિશ્વાસ હતો.

સમય વીતતો ગયો. એક વાગ્યો. બે વાગ્યા અને જ્યારે ત્રણ વાગ્યા કે અચાનક આસિબાઇએ આંખો ખોલી અને હાથનો ટેકો દેતા ઉભા થઈ ગયા અને પૂછવા લાગ્યા કે આપણા ઘરે આટલા લોકો કેમ ભેગા થયા છે?

આ દ્રશ્ય જોતા દરેકની આંખો ફાટી ગઈ. સૌ કોઈ અવાચક બની ગયા. મૃત લોકો જીવતા થાય છે તે તો માત્ર લોકોએ સંભાળ્યું હતું પણ આજે તો સૌ એ આજે પોતાની આંખોથી આ દ્રશ્ય જોયું હતું.

સૌ કોઇના મોઢા પર આસિબાઇ જીવતા થઈ ગયા છે એવી જ ચર્ચા હતી. આ વાત વાયુ વેગે તે વિસ્તારમાં ફેલાઈ ગઈ. જેને જેને જાણ થઈ તે આ કુદરતનાં કરિશ્માને જોવા આવવા લાગ્યા.

નલિયાના જુવાનસિંહ અને મામદશેઠ મેમણને જાણ થતાં તેઓ પણ આશ્ચર્ય પામ્યા અને ફરી પાછા મોકરશીવાંઢ પહોંચી આવ્યા. આ કરામત જોઈ તેઓ પણ વાહ વાહ પોકારી ઉઠ્યા.

આમ સૈયદ હાશિમશાહ (રહ.)ની કરામતથી આસિબાઈને નવું જીવન મળ્યું અને લોકોને ખુદાના નેક બંદા અવલિયાની તાકતનો નજારો જોવા મળ્યો.

સૈયદ હાશિમશાહ (રહ.) સૂફી દરવેશ, હંમેશા વજદની હાલતમાં રહેનારા અને સાહિબ-એ-કરામત અવલિયામાંથી હતા.

આપ આરીખાણાનાં ભીભામાં પરિવાર માંથી છે. આપની વંશાવલી સોળમી પેઢીએ મશહૂર બુઝુર્ગ સૈયદ જલાલુદ્દીન સુર્ખ પોશ (રહ.)થી મળે છે. સૈયદ જલાલુદ્દીન સુર્ખ પોશ (રહ.) એ પણ નાનપણમાં એક મુર્દા ને જીવિત કર્યો હતો.

સૈયદ હાશિમશાહ (રહ.)ની મઝાર નલિયામાં આવેલ છે.

આજે પણ આ ઘટનાનાં સાક્ષીઓ હયાત છે તેમજ ડો. ભરતભાઈ પણ હયાત છે અને હાલે ગાંધીધામમાં રહે છે.

બાયઠ(કચ્છ)નાં સૈયદ સાદાત ખાનદાનનો ઇતિહાસ:ગુજરાતમાં ઇસ્લામના નૂરથી દિલોને મુનવ્વર-પ્રજ્વલિત કરવામાં મખદૂમ જહાનિયાં જહાંગશ...
10/08/2021

બાયઠ(કચ્છ)નાં સૈયદ સાદાત ખાનદાનનો ઇતિહાસ:

ગુજરાતમાં ઇસ્લામના નૂરથી દિલોને મુનવ્વર-પ્રજ્વલિત કરવામાં મખદૂમ જહાનિયાં જહાંગશ્ત (રહ.)નાં વંશજો નો ફાળો મહત્વનો રહ્યો છે. તેમના વંશમાંથી પાકિસ્તાનનાં સિંઘ પ્રાંતમાં આવેલા શાહપુર માં સૈયદ કમાલુદ્દીન (રહ.) થઈ ગયેલ છે.

સૈયદ કમાલુદ્દીન (રહ.)નાં બે પુત્રો હતા. (૧) હામિદશાહ ઉર્ફે અબુલ હસન અને (૨) ફરીદ ઉર્ફે અબ્દુલ્લાહ.

આ બન્ને ભાઈઓ પાકિસ્તાનનાં સિંધ પ્રાંતનાં શાહપુરથી કચ્છનાં માંડવી તાલુકામાં આવેલ બાયઠ ગામે પધાર્યા.

આ બન્ને ભાઈઓની મઝારો બાયઠ ગામમાં આવેલ છે.

સૈયદ ફરીદ ઉર્ફે અબ્દુલ્લાહનાં પુત્ર થયા સૈફુદ્દીન ઉર્ફે ગાલિબશાહ.

સૈયદ સૈફુદ્દીન ઉર્ફે ગાલિબશાહનાં પુત્ર થયા મુસ્તફા.

સૈયદ મુસ્તફાનાં પુત્ર થયા હિશ્શામુદ્દીન.

સૈયદ હિશ્શામુદ્દીનનાં પુત્ર થયા હબીબશાહ.

સૈયદ હબીબશાહનાં પુત્ર થયા અબ્દુલકરીમશા.

સૈયદ અબ્દુલકરીમશાહનાં વંશજો બાયઠમાં રહે છે.

સૈયદ કમાલુદ્દીનનાં બીજા પુત્ર હામિદશાહ ઉર્ફે અબુલ હસનનાં પુત્ર થયા હુસૈનશાહ.

સૈયદ હુસૈનશાહનાં બે પુત્ર થયા (૧) મલૂકશાહ અને (૨) મુહમ્મદશાહ.

સૈયદ મલૂકશાહ બાયઠથી માંડવી તાલુકાનાં મસ્કા ગામે તશરીફ લઈ ગયા અને ત્યાં જ સ્થાયી થયા.

સૈયદ હુસૈનશાહ નાં બીજા પુત્ર મુહમ્મદશાહનાં પુત્ર થયા કાસિમશાહ.

સૈયદ કાસિમશાહ બાયઠથી ભુજ તાલુકાનાં ભારાપર ગામે તશરીફ લઈ ગયા.

આ ખાનદાનનાં વંશજો આજે બાયઠ, સિરવા અને કોઠારા ગામમાં રહે છે તો કેટલાક પાકિસ્તાનમાં પણ સ્થાઈ થયા છે.

આ ખાનદાનમાંથી કેટલાક મશહૂર અવલિયા થઈ ગયેલ છે જેની વિગત નીચે મુજબ છે.

હઝરત તાહિર મુહમ્મદ ઉર્ફે તારપીર (રહ.) - આપની મઝાર દેઢિયા અને બાયઠ ગામની વચ્ચે રોડની ડાબી બાજુએ આવેલ છે.

હઝરત જમીલશાહ ઉર્ફે જમાલશાહ (રહ.) - આપની મઝાર બાયઠ ગામ ખાતે આવેલ છે.

આજે પણ હજારો લોકો આ અવલિયા એ કિરામ પાસેથી ફૈઝયાબ થઈ રહ્યા છે.

નલીયા (કચ્છ)નાં સૈયદ સાદાત પરીવારનો ઇતિહાસ:નબી એ પાક (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) નો ફૈઝ દુનિયાનાં ખૂણે ખૂણે એમની આલ(વંશજો...
09/08/2021

નલીયા (કચ્છ)નાં સૈયદ સાદાત પરીવારનો ઇતિહાસ:

નબી એ પાક (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) નો ફૈઝ દુનિયાનાં ખૂણે ખૂણે એમની આલ(વંશજો)નાં માધ્યમથી પહોંચ્યો છે.

એવો જ એક ખાનદાન આપનાં લાડલા, પિરાને પીર, હુઝૂર ગૌસુલ આઝમ દસ્ત-ગીર (રહ.)નાં વંશજો માંથી કચ્છના અબડાસા તાલુકાના નલીયા ગામે પણ આવેલ છે.

આ ખાનદાનના આગમનથી લઈને આજ સુધી લોકો તેમના દ્વારા ફૈઝયાબ થઈ રહ્યા છે. આ ખાનદાનની વિગતો નીચે મુજબ છે.

:સૈયદ મુહમ્મદ શફીઅ બિન રફીઉદ્દીન (રહ.):

આપનું પૂરું નામ મુહમ્મદ શફીઅ બિન રફીઉદ્દીન (રહ.) છે. પણ અહીંના લોકો શફી મુહમ્મદ (રહ.)નાં નામથી ઓળખે છે.

હઝરત મુહમ્મદ શફીઅ (રહ.)ની વંશાવલી ૨૦મી પેઢીએ હુઝૂર ગૌસુલ આઝમ (રહ.) થી જઈ મળે છે. આપ હુઝૂર ગૌસુલ આઝમ (રહ.)નાં પુત્ર અબ્દુલ વહાબ (રહ.) અને તેમના પુત્ર સૈફુદ્દીન (રહ.)નાં વંશમાંથી છે.

આપ અહમદાબાદ (અમદાવાદ)થી કચ્છના અબડાસા તાલુકાના નલીયા ગામે આવીને વસ્યા અને અહીં જ સ્થાયી થયા.

આપની મઝાર નલીયાનાં મશહૂર પીર પાગારા કબ્રસ્તાનમાં આવેલ છે. આજે એ કબ્રસ્તાન પીર શફી મુહમ્મદ કબ્રસ્તાન તરીકે ઓળખાય છે.

પીર સૈયદ શફીઅ મુહમ્મદ (રહ.)નાં ત્રણ પુત્રો હતા. (૧) યાસીનશાહ (૨) શાહ અબૂ તુરાબ અને (૩) મુસ્તફાશાહ.

પીર સૈયદ યાસીનશાહ (રહ.)ની મઝાર કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલીયાનાં પીર પાગારા કબ્રસ્તાનમાં આવેલ છે. આપના વંશજો નલીયામાં રહે છે.

શાહ અબૂ તુરાબ (રહ.)ની મઝાર કચ્છના ઐતિહાસિક ગામ લખપતમાં આવેલ છે. આપના વંશજો લખપત ગામમાં વસેલા છે.

પીર સૈયદ મુસ્તફાશાહ (રહ.)નાં વંશજો તેરામાં રહે છે.

નલીયાનાં પીર સૈયદ તકીશાહ, પીર સૈયદ હાજી બાવા, પીર સૈયદ અહમદશાહ બાવા, પીર સૈયદ બાદશાહમિયાં, પીર સૈયદ હૈદરશાહ બાવા હઝરત પીર સૈયદ શફીઅ મુહમ્મદ (રહ.)નાં પુત્ર પીર સૈયદ યાસીનશાહ (રહ.)નાં વંશજો માંથી છે.

નલીયાનાં પીર સૈયદ તકીશા દ્વારા દારુલ ઉલૂમ ફૈઝાને ગુલશને મુસ્તફા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નું સંચાલન કરવામાં આવે છે. આ ટ્રસ્ટ ઘણા ધાર્મિક અને સામાજિક કાર્યો સાથે જોડાયેલ છે.

હઝરત પીર સૈયદ શફીઅ મુહમ્મદ (રહ.)નાં વંશજોમાંથી ઘણા અવલિયા થયા છે. કેટલીક મઝારો કચ્છમાં મશહૂર છે. તો કેટલીક વિદેશમાં પણ આવેલી છે.

આફ્રિકાનાં મોરિશિયસમાં આપનાં વંશમાંથી થઈ ગયેલ અવલિયા હઝરત જમાલશાહ (રહ.)ની મઝાર આવેલ છે. આજે પણ લાખો લોકો તેમના ફૈઝથી ફૈઝયાબ થઈ રહ્યા છે.

આજે પણ હઝરત જમાલશાહ (રહ.)નાં નામથી ઘણા ધાર્મિક અને સામાજિક કાર્યો થઈ રહ્યા છે જેની વિગત નીચે મુજબ છે.

પીર જમાલશાહ ચેરિટેબલ ટ્રસ્ટ, મોરિશિયસ - આ ટ્રસ્ટનું સંચાલન ત્યાંના મેમણ સમાજ દ્વારા કરવામાં આવે છે.

આ ટ્રસ્ટ દ્વારા કચ્છના ભુજ શહેરનાં યુસુફશાહ ભાવનશાહ માર્ગ, અમન નગર વિસ્તારમાં એક હોસ્પિટલ પણ કાર્યરત છે.

આપનાં નામથી નલીયામાં મેમણ મસ્જિદની બાજુમાં નાના બાળકો માટેનો મદરસો પણ ચાલી રહ્યો છે.

Address

Kothara

Website

Alerts

Be the first to know and let us send you an email when History of Bukhari Saiyed - Kachchh-Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share