Vatsalyadham

Vatsalyadham Vatsalyadham has become a home for 850 children who have hope, vision, and mission for living.

12/12/2025

માતા-પિતાનો આશીર્વાદ જ જીવનની સૌથી મોટી સંપત્તિ
યાદ રાખજો, લગ્ન કે જીવનની વ્યસ્તતા કોઈ પણ સંતાનની જવાબદારી ઘટાડતી નથી. જેઓ આજે માતા-પિતાની કદર નથી કરતા, તેમણે ભવિષ્યમાં સંબંધોની કિંમત સમજવા માટે કઠિન અનુભવોમાંથી પસાર થવું પડે છે.
આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે, જેમ દીકરી આપણા ઘરે આવે છે, તેમ પત્ની સ્વરૂપે કોઈની લાડકી આપણા પરિવારનો હિસ્સો બને છે.
તેને સમજણ, માન અને સંવેદના આપવી એ પણ આપણી પરમ ફરજ છે.
— શ્રી વસંતભાઈ હરિભાઈ ગજેરા
નિર્ધારોની સેવા એ જ પ્રભુ સેવા......................................................................
વાત્સલ્યધામ, દીનબંધુ હોસ્પિટલ, કામરેજ ખોલવડ, 92272 22402
( Vasant Gajera, Vatsalyadham, Gajera trust, NGO, Motivational, Orphanage )

18/11/2025

વાત્સલ્યધામનું ધ્યેય : શિક્ષણ અને સંસ્કાર દ્વારા આત્મ-ઘડતરનો સાચો પાયો
વાત્સલ્યધામ માત્ર એક આશ્રયસ્થાન નથી, તે રાષ્ટ્રનિર્માણનો એક પાયો છે. આ દેશનું ભવિષ્ય અમારા બાળકોના હાથમાં છે, અને તેમનું યોગ્ય ઘડતર કરવું એ આપણી સૌની સૌથી મોટી ફરજ છે.
હું હંમેશા એક જ વાતમાં વિશ્વાસ રાખું છું કે સેવાને માત્ર એક સ્થળ સુધી સીમિત ન રાખવી જોઈએ. તેથી જ, આ સંકલ્પને આગળ વધારવા માટે અમે અમરેલી ખાતે નવા 'વાત્સલ્ય ધામ'નું નિર્માણ કરી રહ્યા છીએ, અને ભવિષ્યમાં આવા અનેક કેન્દ્રો શરૂ કરવાની અમારી યોજના છે.
આપણે જ્યાં સુધી બાળકોને જ્ઞાન, સંસ્કાર અને આત્મવિશ્વાસ નહીં આપીએ, ત્યાં સુધી દેશનો સાચો વિકાસ શક્ય નથી. આ જ મારા જીવનનું અને ગજેરા ટ્રસ્ટનું ધ્યેય છે.
— શ્રી વસંતભાઈ હરિભાઈ ગજેરા
નિર્ધારોની સેવા એ જ પ્રભુ સેવા......................................................................
વાત્સલ્યધામ, દીનબંધુ હોસ્પિટલ, કામરેજ ખોલવડ, 92272 22402
Vasant Gajera
Vatsalyadham
Gajera trust
NGO, Motivational
Orphanage

18/11/2025

પ્રયત્ત્નો અને સંકલ્પ જ દરેક સફળતાનો સાચો આધાર
જ્યારે ફૂટબૉલને ઠોકર વાગે છે, ત્યારે તે વધારે જોશથી આગળ વધે છે. તેવી જ રીતે, જીવનમાં જ્યારે મુશ્કેલીઓ કે નિષ્ફળતાની ઠોકર વાગે, ત્યારે નિરાશ થવાને બદલે તમારે તેમાંથી શીખીને વધુ મજબૂત અને સારો વ્યક્તિ બનવાનું છે.
તમે બધા અહીં એક ટીમની જેમ રહો છો, એકબીજાને મદદ કરો છો અને એકબીજાને સહકાર આપો છો. આ જ એકતા, શીખવાની ધગશ અને આત્મવિશ્વાસ તમને જીવનના મેદાનમાં જીત અપાવશે.
હસતા રહો, રમતા રહો અને આગળ વધતા રહો!
— શ્રી વસંતભાઈ હરિભાઈ ગજેરા
નિર્ધારોની સેવા એ જ પ્રભુ સેવા......................................................................
વાત્સલ્યધામ, દીનબંધુ હોસ્પિટલ, કામરેજ ખોલવડ, 92272 22402
( Vasant Gajera, Vatsalyadham, Gajera trust, NGO, Motivational, Orphanage )

04/11/2025

ચંપાબાના આશીર્વાદથી શરૂ થયેલો સેવા માર્ગ — વાત્સલ્યનો સાકાર સ્વરૂપ
ચંપાબાનું સ્વપ્ન માત્ર નિરાધાર બાળકોને આશ્રય આપવાનું નહોતું, પરંતુ સંસ્કાર, શિક્ષણ અને આત્મનિર્ભર જીવન આપવાનું હતું.
તેમના આશીર્વાદથી શરૂ થયેલો આ સેવા-માર્ગ આજે અનેક બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું કારણ બન્યો છે.
તેમની દૃઢ ઈચ્છાશક્તિ અને માનવસેવાના માર્ગે ચાલતાં અમે ગૌરવ અનુભવીએ છીએ.
તેમની સ્મૃતિમાં આજનો દરેક સકારાત્મક પ્રયાસ — એ જ અમારા માટે સૌથી મોટો સંકલ્પ છે
— શ્રી વસંતભાઈ હરિભાઈ ગજેરા
નિર્ધારોની સેવા એ જ પ્રભુ સેવા......................................................................
વાત્સલ્યધામ, દીનબંધુ હોસ્પિટલ, કામરેજ ખોલવડ, 92272 22402
Vasant Gajera
Vatsalyadham
Gajera trust
NGO, Motivational
Orphanage

વાત્સલ્યધામમાં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ જીવનના સંસ્કારો સુધી વિસ્તરે છે.અહીંના શિક્ષકો માત્ર શીખવત...
04/11/2025

વાત્સલ્યધામમાં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ જીવનના સંસ્કારો સુધી વિસ્તરે છે.
અહીંના શિક્ષકો માત્ર શીખવતા નથી, પરંતુ દરેક બાળકના ભવિષ્યને ઘડે છે — ધીરજથી, પ્રેમથી અને જવાબદારીની ભાવનાથી.
દરેક શીખ / બોધ / તત્વજ્ઞાન, દરેક માર્ગદર્શન એ બાળકના આત્મવિશ્વાસ તરફનું એક નવું પગલું છે
કારણ કે વાત્સલ્યધામમાં શિક્ષણનો ધ્યેય માત્ર આશરો કે જ્ઞાન આપવાનો નથી — પરંતુ જીવન જીવવાની દિશા આપવાનો છે.
— શ્રી વસંતભાઈ હરિભાઈ ગજેરા
નિર્ધારોની સેવા એ જ પ્રભુ સેવા......................................................................
વાત્સલ્યધામ, દીનબંધુ હોસ્પિટલ, કામરેજ ખોલવડ, 92272 22402
Vasant Gajera
Vatsalyadham
Gajera trust
NGO, Motivational
Orphanage

04/11/2025

કાર્યમાં શ્રેષ્ઠતા - પ્રગતિનો સાચો માર્ગ: જીવનમાં શ્રેષ્ઠ બનવાનો સંકલ્પ
કોઈ કામ, મોટું કે નાનું — જો મનથી કરાય તો તે ઉપાસના બની જાય છે. જીવનમાં શ્રેષ્ઠ બનવું એટલે બીજાથી સ્પર્ધા કરવી નહીં, પણ પોતાના કૌશલ્યને સતત સુધારવાની લાગણી રાખવી. વાત્સલ્યધામના બાળકોમાં આ જ ભાવના વિકસે — કે જ્યાં “કામ” માત્ર જવાબદારી નહીં, પરંતુ વિકાસનો માર્ગ બને.
— શ્રી વસંતભાઈ હરિભાઈ ગજેરા
નિર્ધારોની સેવા એ જ પ્રભુ સેવા......................................................................
વાત્સલ્યધામ, દીનબંધુ હોસ્પિટલ, કામરેજ ખોલવડ, 92272 22402
Vasant Gajera
Vatsalyadham
Gajera trust
NGO, Motivational
Orphanage

09/10/2025

વાત્સલ્યધામની દીકરીઓ: રમતગમતમાં સંઘર્ષ અને જીતનો સંદેશ
વાત્સલ્યધામના રગ્બી ટીમના ખેલાડીઓની પ્રગતિ જોઈને ખૂબ જ ગર્વ થાય છે. આ બાળકો માત્ર મેદાન પર જ નહિ, પરંતુ જીવનના મેદાનમાં પણ નવા પડકારો સ્વીકારવા માટે તૈયાર થઈ રહ્યા છે.
તેમની મહેનત, શિસ્ત અને એકતા જીવનના સૌથી મોટા પાઠ શીખવી રહી છે. હંમેશા યાદ રાખો કે હાર-જીત તો રમતનો ભાગ છે. તમે પૂરા જોશ અને ઉત્સાહથી રમતને માણો અને તમારી ક્ષમતાથી પણ વધુ સારું પ્રદર્શન કરો.
આ બાળકોની રમત અને ઉત્સાહ અમારા માટે પ્રેરણાસ્ત્રોત છે.
— શ્રી વસંતભાઈ હરિભાઈ ગજેરા
નિર્ધારોની સેવા એ જ પ્રભુ સેવા......................................................................
વાત્સલ્યધામ, દીનબંધુ હોસ્પિટલ, કામરેજ ખોલવડ, 92272 22402
Vasant Gajera
Vatsalyadham
Gajera trust
NGO, Motivational
Orphanage

09/10/2025

વાત્સલ્યથી આત્મવિશ્વાસ સુધીની સફર: વાત્સલ્યધામના બાળકનો પ્રેરણાત્મક સફર
જ્યારે ૨૦૧૬માં વિવેક વાત્સલ્યધામમાં આવ્યો ત્યારે તે એકલો હતો, અચાનક જીવનના અનિશ્ચિત માર્ગો પર ભટકતો બાળક.
પરંતુ આજે, એ જ વિવેક આત્મવિશ્વાસથી ભરેલો યુવાન છે — કારણ કે તેને અહીં પરિવાર મળ્યો છે.
શિક્ષકોનું માર્ગદર્શન, મિત્રોનો સાથ અને વાત્સલ્યધામની ઉર્જાએ તેને નવા સ્વરૂપમાં ઘડ્યો છે.
તેના શબ્દોમાં સાંભળવામાં આવે છે એ સત્ય — કે સંસ્કાર, પ્રેમ અને પ્રેરણાથી જ બાળકનું ભવિષ્ય રચાય છે.
આજ વિવેક જેવા બાળકોના જીવનમાં પરિવર્તન જોઈને મન ગર્વથી ભરાઈ જાય છે.
આ જ તો ચંપાબાના સ્વપ્નનું સાચું સાકાર રૂપ છે
— શ્રી વસંતભાઈ હરિભાઈ ગજેરા
નિઃશુલ્ક - વ્યવસ્થાસભર - આધુનિક સેવા
શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી આપ સૌને સ્વસ્થ જીવનની શુભકામના પાઠવે છે.
Vasant Gajera
Vatsalyadham
Gajera trust
NGO, Motivational
Orphanage

09/10/2025

પરિશ્રમ, આત્માવિશ્વાસ અને આત્મનિર્ભરતા: જીવનનો સાચો માર્ગ
આપણે સૌએ હંમેશા યાદ રાખવું જોઈએ કે જીવનમાં ક્યારેય કોઈના પર આધાર રાખવાને બદલે સ્વાવલંબી અને આત્મનિર્ભર બનવું એ જ સાચો માર્ગ છે.
સખત મહેનત અને લગનથી તમારા જીવનની દરેક ક્ષણનો સદુપયોગ કરો. પોતાની શક્તિને ઓળખીને, અભ્યાસ કે રમત-ગમતમાં ઉત્તમ પ્રદર્શન કરવા માટે સતત પ્રયત્નશીલ રહો.
અને જ્યારે તમે સફળ અને સક્ષમ બનો, ત્યારે સમાજ અને દેશ પ્રત્યેની તમારી ફરજ ક્યારેય ભૂલશો નહીં. તમારી મહેનતથી જે કંઈ પ્રાપ્ત કરો, તેમાંથી જરૂરિયાતમંદોને મદદ કરો, કારણ કે સમાજને પાછું આપવું એ જ સાચો સંતોષ છે.
— શ્રી વસંતભાઈ હરિભાઈ ગજેરા
નિર્ધારોની સેવા એ જ પ્રભુ સેવા......................................................................
વાત્સલ્યધામ, દીનબંધુ હોસ્પિટલ, કામરેજ ખોલવડ, 92272 22402
Vasant Gajera
Vatsalyadham
Gajera trust
NGO, Motivational
Orphanage

Address

Near Dinbandhu Hospital
Kamrej
394190

Alerts

Be the first to know and let us send you an email when Vatsalyadham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share