Shree Swetamber Murtipujak Jain Sangh - Jam Jodhpur

Shree Swetamber Murtipujak Jain Sangh - Jam Jodhpur Shree Swetamber Murtipujak Jain Sangh -Jamjodhpur,Jamnagar,India

trust reg no: a/1602-jamnagar date
(1)

આદીનાથ દાદા વામજ તીર્થ   અમદાવાદથી આશરે 35 કિ.મી. અને કલોલથી 6 કિલોમિટર દૂર વામજ ગામ છે. શેરીશા તીર્થની નજદીક આવેલું આ વ...
26/05/2026

આદીનાથ દાદા વામજ તીર્થ

અમદાવાદથી આશરે 35 કિ.મી. અને કલોલથી 6 કિલોમિટર દૂર વામજ ગામ છે. શેરીશા તીર્થની નજદીક આવેલું આ વામજ તીર્થ શેરીસાના જોડીયા તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. તેથી શેરીસા - વામજ તીર્થ એવો વ્યવહાર પણ થાય છે. આ તીર્થમાં મૂળનાયક પૂ. પરમાત્માશ્રી આદીશ્વર ભગવાન છે. આ પ્રતિમાજી પ્રાચીન છે. ગામમાં ત્રિભોવન કણબીના ઘર પાસેથી ખોદતાં સંવત વિક્રમ 1979ના માગશર વદિ-5ને શનિવારે પ્રતિમાજી નીકળ્યાં હતા. આ પ્રતિમાજી સંપ્રતિ મહારાજાના વખતનું હોવાનું મનાય છે. આ સાથે ચાર કાઉસગ્ગીયા, બે ઇન્દ્રણી દેવીની મૂર્તિ, બે ખંડિત ઇન્દ્રની મૂર્તિ પણ મળી આવી હતી. કહેવાય છેકે પૂર્વે અહીં ભવ્ય જિનાલય હતું. તે જિનાલયની અંદર ભોયરૂ હતું તેનો સંબંધ સેરીશા તીર્થ સાથે હતો, પરંતુ મોગલોના આક્રમણને કારણે આ* *તીર્થનો પણ વિનાશ થયો અને બધુંજ અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું. પૂર્વના જિનાલયના કેટલાંક અંશો જેવાકે પરિકર તથા મૂર્તિના ભાગો વામજના જ એક મંદિરમાં મુકાયેલા હતા.

સંવત 1996(ઇસ્વીસન્ 1940) વામજ ગામામાં શેઠશ્રી ડાહ્યાભાઇ કપુરચંદ ઝવેરીએ નવું દેરાસર નિર્માણ કરાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ આ તીર્થનો વહીવટ પેઢીને સોંપવાંમાં આવ્યો હતો. નૂતન જિનાલયમાં વિક્રમસંવત 2002 (ઇસ્વીસન્ 1946)માં વૈશાખ વદિ 13ને દિવસે સૂરિસમ્રાટ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્યરત્ન મહાન સંયમી આચાર્યભગવંત શ્રી વિજય ઉદયસૂરીશ્વરજી મહારાજસાહેબના હસ્તે પ્રતિષ્ડા કરવામાં આવી હતી. આ તીર્થ સેરીશાથી 10 કિલોમિટર તથા કલોલથી 6 કિલોમિટરના અંતરે આવેલું છે.

વિશેષ નોંધ:- આ તીર્થમાં ધર્મશાળા, ભોજનશાળા વગેરેની સગવડતા નથી. મોટાભાગે યાત્રિકો શેરીસા રોકાઇને અથવા અમદાવાદ જતા આવતા અહીં દર્શનાર્થે આવતા હોય છે.

સરનામું- શેઠ આણંદજી કલ્યાણજી,વામજ-પીન- ૩૮૨૭૨૧ વાયા કલોલ ગુજરાત.

24. तीर्थंकर की प्रथम देशना का विषय -१. भगवान ऋषभ की प्रथम देशना का विषय - उत्तर - ज्ञान, दर्शन, चारित्र, यतिधर्म, श्राव...
26/05/2026

24. तीर्थंकर की प्रथम देशना का विषय -

१. भगवान ऋषभ की प्रथम देशना का विषय -
उत्तर - ज्ञान, दर्शन, चारित्र, यतिधर्म, श्रावक धर्म।

२. अजित प्रभु की प्रथम देशना का विषय -
उत्तर - धर्म ध्यान।

३. सम्भव प्रभु की प्रथम देशना का विषय -
उत्तर - अनित्य भावना।

४. अभिनंदन प्रभु की देशना का विषय -
उत्तर- अशरण भावना।

५. सुमति प्रभु की प्रथम देशना का विषय -
उत्तर - एकत्व भावना।

६. पदम प्रभु की प्रथम देशना का विषय -
उत्तर - संसार भावना।

७. सुपार्श्व प्रभु की प्रथम देशना का विषय -
उत्तर - अन्यत्व भावना।

८. चंद्रप्रभु की प्रथम देशना का विषय -
उत्तर - अशुचि भावना।

९. सुविधि प्रभु की प्रथम देशना का विषय -
उत्तर - आश्रव भावना।

१०. शीतलप्रभु की प्रथम देशना का विषय -
उत्तर - सँवर भावना।

११. श्रेयांस प्रभु की प्रथम देशना का विषय -
उत्तर - निर्जरा भावना।

१२. वासुपूज्य की प्रथम देशना का विषय -
उत्तर- धर्म भावना।

१३. विमल प्रभु की प्रथम देशना का विषय -
उत्तर - बोधि दुर्लभ भावना ।

१४. अनन्तप्रभु की प्रथम देशना का विषय -
उत्तर - नवतत्व का स्वरूप और लोक भावना।

१५. धर्म प्रभु की प्रथम देशना का विषय -
उत्तर - मोक्ष के उपाय, कषायों का स्वरूप।

१६. शान्ति प्रभु की प्रथम देशना का विषय -
उत्तर - इन्द्रियजय के विषय।

१७. कूँथु भगवान की प्रथम देशना का विषय -
उत्तर - मनः शुद्धि।

१८. अर प्रभु की प्रथम देशना का विषय -
उत्तर- राग, द्वेष, मोहजय।

१९. मल्लीप्रभु की प्रथम देशना का विषय -
उत्तर - सामायिक साम्यता।

२०. मुनिसुव्रतप्रभु की प्रथम देशना का विषय -
उत्तर - यति धर्म।

२१. नमि प्रभु की प्रथम देशना का विषय -
उत्तर - श्रावक के करणीय।

२२. नेमि प्रभु की प्रथम देशना का विषय -
उत्तर - चारमहाविग़य, रात्रि भोजन तथा अभक्ष्य त्याग।

२३. पार्श्वप्रभु की प्रथम देशना का विषय -
उत्तर- चारव्रत, साठ अतिचार तथा पंद्रह कर्मों का वर्णन।

२४. भगवान महावीर की प्रथम देशना का विषय -
त्रिपदी -उप्पनेइ वा, विगमेईवा, धुवेइवा ,
यतिधर्म, गृहस्थ धर्म और गणधर वाद।

उप्पनेइवा का क्या अर्थ होता है ?
अर्थात सब उत्पन्न होता है l

विगमेईवा का क्या अर्थ होता है ?
अर्थात नष्ट होता है |

धुवेइवा अर्थात इस संसार की स्थिति निश्चल है l

ऋषभ, चंद्रानन, वारिषेण और वर्धमान ये 4 शाश्वत नाम हैं l

वाराही के श्री शांतिनाथ भगवान                  जब दिवाली खत्म हुई थी और देवदीवाली आने ही वाली थी, तभी भारत-पाकिस्तान सीम...
26/05/2026

वाराही के श्री शांतिनाथ भगवान

जब दिवाली खत्म हुई थी और देवदीवाली आने ही वाली थी, तभी भारत-पाकिस्तान सीमा पर स्थित सादपुर गांव के पास शाम को एक अजीबोगरीब घटना घटी। वि. सं. 2042 कार्तिक सूद-12 ई.स. 24 नवंबर 1985 की शाम थी।

एक किसान तेरह वर्षीय लड़की, हनुमानजी के मंदिर के पीछे खाई में कुछ खोद रही थी। अचानक से आवाज खनकी - टननननन ... छोटी बच्ची हैरान हो गई... यह क्या है? सब लोग वहां जमा हो गए। अंदर एक धातु की मूर्ति थी। ज़ोर लगा कर बाहर निकाला तो अंदर आठ-दस मूर्तियां और थी। ओह, यह क्या है? पानी से साफ किया, लगा यह तो भगवान है!

लड़की के पिता लवार जेठाभाई खिमाभाई ने इसकी जानकारी वाराही जैन संघ को दी। संघ के श्रावक वहां पहुंचे। मिट्टी में लिपटी एक मूर्ति को हनुमान मंदिर के हॉल में रखा गया था। साथ में 1 चौवीसी, आठ छोटी मूर्तियां, तीन धूपदान, आरती-मंगल का दीपक, टूटे हुए नली वाले तीन बर्तन आदि भी रखे गए हैं।

यह सुनकर लोग उभर ने लगे। यह मंदिर के बावाजी ने मन में सोचा की यह मूर्ति सोने की है! दर्शन के लिए आने वाले को बताया - मूर्ति यहां से चली गई। जिस तरह भगवान आए, उसी तरह चले गए! अदश्य!" वाराही के संघ ने बहुत समझाया। बावाजी नहीं माने। फिर हुआ यह कि भगवान के आने के दिन से उनके कुएं का खरा पानी मीठा हो गया था और उन्होंने झूठ बोला तो वह पानी फिर से खारा हो गया। बावाजी ने आगे चलकर संघ को बताया - आपकी मूर्ति फिर से प्रकट हुई है!" सादपुर गाँव के लोग बड़ी श्रद्धा से पूजा करते हैं। वे धूप और दीप जलाते हैं। कोई भी भगवान को श्री संघ को सोपने को तैयार नहीं है। इस बीच, सादपुर के ग्रामीणों ने वाराही के श्रावको को बुलाया और औपचारिक रूप से भगवान को सोप दिया। यह मानो भगवान ने उन्हें यह विचार दिया था। फिर वाराही संघ ने शाही धूमधाम के साथ अपने गाँव में भगवन के साथ प्रवेश किया। संघ गुरुदेव आचार्य विजय रामसूरीश्वरजी महाराज साहेब (डेहलावाले) के पास मार्गदर्शन माँगा। आचार्य महाराज साहिब एक देवांशी व्यक्ति थे। उन्होंने कहा, 'इस भगवान का नाम शांतिनाथ हो।! और यह भगवान पूरी दुनिया में शांति बनाने के लिए आए हैं। इनकी स्थिर प्रतिष्ठा नहीं करना, लेकिन एक चल प्रतिष्ठा करना!' ऐसी प्रेरणा थी पूज्यपाद आचार्यश्री विजय ॐकरसूरीश्वरजी महाराज की प्रेरणा भी ऐसी ही आई। उस दिन से वारही के शांतिनाथ दादा विश्व में शांति की वर्षा कर रहे हैं। पूज्य आचार्य श्री अभयसूरीश्वरजी महाराज और आचार्य श्री विजयरत्नचन्द्र सूरीश्वरजी महाराज (तब मुनि थे) के निश्रा में वि. सं. २०४६ के महा महीने में प्रभुजी की चल प्रतिष्ठा की।
वाराही के शांतिनाथ दादा की सोनलवर्णी मूर्ति को न केवल भारत में बल्कि विदेशों की भूमि भी पवित्र पावन कर आई है। यह कोई मूर्ति नहीं है, यह साक्षात् ऊर्जा का एक कुंड है। इस भगवान की महिमा और प्रभाव भारत के कोने-कोने में फैल गया है। 1200 से अधिक छ-री पालित संघों में भगवान ने निश्र दि है। लेकिन प्रभुजी जहां बिराजते हैं वहा सर्वत्र सुख-शान्ति है और चारों ओर शाता का साम्राज्य स्थापन होता है।

गाँव में - संघों में - परिवारों में या समाज में संघर्ष का माहौल बन जाता हो, लेकिन अगर शांतिनाथ प्रभुजी आ जाएँ तो इसका समाधान अवश्य होगा। इसके अलावा भी कई चमत्कारों से भरे उनके कार्यक्रमों ने लाखों नहीं, बल्कि करोड़ों को अभिभूत कर दिया है।

एक छ-री पालित संघ के संघपति ब्रेनस्ट्रोक से कोमा में चले गए। और वाराही के शांतिनाथ दादा द्वारा प्रक्षाल जल के छिड़काव से वे फिर से स्वस्थ हो गए। इस घटना को अभी 6 महीने भी नहीं हुए हैं। मानो या न मानो, इन भगवान शांतिनाथ की छाया में और निश्रा में, जैनियों ने उदारता से मानव कल्याण, आत्म-कल्याण और विश्व कल्याण के लिए करोड़ों-अरबों की संपत्ति दान की होगी! भक्त के हृदय के सम्राट हैं वाराही के शांतिनाथ दादा! वह जहां भी जाते है, सामैया हो जाता है। स्वागत होता है और हर कोई गाता है -

"સાંનિધ્ય જેનું પામતા સહુ જીવને શાંતિ થતી,
સાંનિધ્ય જેનું પામતા કદી આપદા ન આવતી,
સાનિધ્ય દેજો આપનું ને દોષ સઘળા સંહારો,
વારાહીના શાંતિનાથ પ્રભુ શ્રી સંઘની રક્ષા કરો."

पूज्य आचार्य श्री विजय उदयरत्नसूरिजी महाराज साहिब

જૂની તળેટીઓ તથા જય તળેટીતળેટી એટલે કોઈ પણ પર્વત ઉપર ચઢવાનો પ્રારંભ જ્યાંથી થતો હોય અને વ્યવસ્થિત પગથિયા બનાવેલ હોય કે ઉબ...
26/05/2026

જૂની તળેટીઓ તથા જય તળેટી

તળેટી એટલે કોઈ પણ પર્વત ઉપર ચઢવાનો પ્રારંભ જ્યાંથી થતો હોય અને વ્યવસ્થિત પગથિયા બનાવેલ હોય કે ઉબડ ખાબડ પથરા ગોઠવેલા હોય એ ભૂમિને તળેટી તરીકે ઓળખવામાં આવે છે. કયાંક અને પાજ અથવા પાગ પણ કહેવામાં આવે છે.પાજ એટલે નિશ્ચિત બાંધેલી જગ્યા ! જેમ કે ઘેટી ગામ તરફથી ગિરિરાજ ઉપર ચઢવાના રસ્તાના પ્રારંભને ઘેટી પાગ કહેવામાં આવે છે. આમ તો એ પણ તળેટી જ કહેવાતી હતી.

પૂર્વ કાળમાં પહેલી તળેટી ‘વડનગર’ હતી. પછી બીજી તળેટી વલ્લભીપુર-વળાથી પ્રખ્યાત થઇ. તે પછી સમયના પ્રવાહ સાથે વહેતા તળેટી આદપુરથી પ્રારંભ થઇ, ચોથી તળેટી પાલીતાણાની થઇ, અને પાંચમી તળેટી એટલે હાલમાની ‘જય તલેટી’ જે અત્યારે પ્રચલિત છે. રણસી દેવરાજની ઘર્મશાળાની બાજુમાં એક રૂમ છે, તેમાં દેરી અને આદીશ્વર ભગવાનનાં પગલાં છે તેને પણ જૂની તળેટી કહે છે. વળી કંકુબાઇની ઘર્મશાળા પાસે જૂની વિજય તળેટીનો ઓટલો કહેવાય છે, તેની ઉપર શ્રી આદીશ્વર ભગવાન, શ્રી ગૈાતમસ્વામી અને મણિવિજયજી મહારાજનાં પગલાં છે, તેને પણ જૂની તળેટી કહે છે. આમ તળેટી અંગે જે તે સમયે જુદી જુદી પરંપરાઓ અને માન્યતાઓ અસ્તિત્વમા આવી. વર્તમાનમા છેલ્લા 100-200 વરસથી કે તેથી પણ વધારે સમયથી પાલીતાણામાં શત્રુંજય ગિરિરાજ ઉપર ચઢવાનો માર્ગ જય તળેટીનો નિશ્ચિત અને એક જ જાણીતો થઈ જવાથી તે ભાગ બહુ પ્રખ્યાતિ પામ્યો.સમયે સમયે દર્શનાર્થી યાત્રિકો માટે આરાધના પૂજા પાઠ વગેરે સગવડતા તથા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પેઢી તરફથી એને સુવ્યવસ્થિત બનાવવામાં આવ્યો છે. વરસો પહેલા જયતલાટીનો ઓટલો ખુલ્લો હતો. તેની જમણી બાજુમાં અમદાવાદના નગરશેઠ હેમાભાઇ વખતચંદે આરસની દેરીપૂર્વક મંડપ બંધાવ્યો હતો. જ્યારે ડાબી બાજુએ ઘોલેરાવાળા શેઠ વીરચંદ ભાઇચંદે આરસની દેરીપૂર્વક મંડપ બંધાવ્યો હતો. તળેટીનો મોટો ચોક હવે મંડપ –તોરણ, થાંભલા અને કમાનોથી સુશોભિત થવાના લીધે ખૂબજ ભવ્ય લાગે છે. થોડાક જ પગથીયા ઉપર ચઢીને હોલમાં પ્રવેશતા સામે જ કુલ ૧૧ દેરીઓની સ્થાપના છે. ઓટલા ઉપરની બઘી દેરીઓ જુની અને જીર્ણ થઈ જવાથી વિ.સં. 2034માં આણંદજી કલ્યાણજી પેઢીએ જીર્ણોદ્ધાર કરાવીને સુંદર,શોભાયમાન દેરીઓ ફરી નિર્મિત કરાવીને તેની પુન:પ્રતિષ્ઠા કરાવી.

પ્રત્યેક દેરીમાં ભગવાન ઋષભદેવ તથા અન્ય તીર્થંકરોની ચરણ પાદુકાઓ છે.ધ્વજદંડ તથા એના ઉપર લહેરાતી નાની નાની ધજાઓથી શોભતી (સિદ્ધશિલા) વચલી દેરીનું શિખર મોટું અને કલાત્મક બનાવાવ્યું છે. દેરીઓના આગળના ભાગમાં ગિરિરાજની પાષાણ-શિલાઓનો હિસ્સો પણ ખુલ્લો રખાયેલો છે યાત્રિકો દ્વારા તેની ભક્તિભાવથી પૂજા કરાય છે .વંદાય છે તથા શણગારાય છે. યાત્રાના પ્રારંભમાં અહી સ્તુતિ સ્તવના તથા ચૈત્યવંદન કરવું અતિ મહત્વનું તથા શુભ મનાય છે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શત્રુંજયના સાદને સાંભળીને દોડી આવેલા પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજોને ભાવસભર બનીને દર્શન વંદન કરતા જોવા, યાત્રિક ભાઈ બહેનોને ચોખાના સાથિયા પૂરતા અને શબ્દોના તેલ ને પૂરી સ્વરના દીવડાઓ પેટાવવા પૂર્વક પ્રભુના ગુણ ગાતા જોવા એ મધુરો લહાવો છે. ભાવભરી ભક્તિ-વંદના કરીને પર્વત ઉપર બિરાજમાન દાદા આદિનાથના દર્શન કરવા માટે જય અદિનાથ, જય દાદા, જય શત્રુંજય, જય સિધ્ધગિરિ, જેવા હર્ષોલ્લાસભર્યા ઉદ્દગારો સાથે યાત્રિકો તળેટીથી આરંભ થતા પગથીયે ડગલા મૂકે છે અને આમ આરંભાય છે શાશ્વતગિરિની યાત્રા !

તળેટીની ઉપર ધનવસહીની ટૂંકના નામે પ્રખ્યાત જિનાલય મુર્શિદાબાદના નિવાસી રાય ઘનપતસિંહજી તથા લખપતસિંહજી બાબુ નામના બે ભાઇઓએ એમની માતા મહેતાબકુંવરના શ્રેય નિમિત્તે બંઘાવરાવ્યુ હતું, જેની પ્રતિષ્ઠા વિ.સં ૧૯૫૦માં મહા સુદિ દશમના રોજ કરવામાં આવી હતી.આ દેરાસરમાં દાદા આદીશ્વરજી, પુંડરિક સ્વામીની પ્રતિમા તથા રાયણ પગલા જળમંદિર વગેરેની સ્થાપના થયેલી છે. યાત્રીકો એના દર્શન કરીને આગળ વધે છે. ડૂંગર ઉપર ચઢાવા માટે અક્ષમ લોકો આ ટૂંકની યાત્રા કરીને પણ પોતાનો અહોભાવ વ્યક્ત કરે છે. અને યાત્રા કર્યાનો સંતોષ માને છે.આજુબાજુ અન્ય દેવકુલિકાઓમાં જિન પ્રતિમાઓ તથા જિન પાદુકાઓની સ્થાપના થયેલી છે. ધનવસહીની ટૂંક તથા તળેટીની દેરીઓ વચ્ચે નળિયા કચ્છ નિવાસી ગોવિંદજી જેવત હિરજી ખોના દ્વારા નિર્મિત 15મા તીર્થંકર ધર્મનાથ ભગવાનનું જિનાલય પણ આવેલું છે ઉપર ચઢતા જમણી બાજૂએ પૂજ્ય પન્યાસજી કલ્યાણવિમલજીના ઉપદેશથી નિર્મિત સરસ્વતી ગુફા નામે વિખ્યાત સાધના ભૂમિ પણ અહીં છે,જ્યાં સરસ્વતીમાતાની મનોહારી પ્રતિમા છે.અહી અનેક સાધકો શ્રુતદેવીની ઉપાસના કરતા હોય છે.સમીપમાં નિર્મિત 108 સમવસરણ જૈન મંદિરની વિશાલકાય રચના સૌના હૃદયને ભક્તિભાવથી ભરી દે છે.. આમાં 108 તીર્થોના ચિત્રપટ્ટો, 108 પાર્શ્વનાથની પ્રતિમાઓ તથા અન્ય જૈન કથા પ્રસંગોના 108 ચિત્ર પટ્ટોનું આલેખન કરવામાં આવ્યું છે. સાધુ-સાધવી શ્રાવક-શ્રાવિકારુપ ચતુર્વિધ સંધના 4 અંગોના 27-27 પ્રસંગોના આલેખન યુક્ત 108 ચિત્રપટો બનેલા છે. આ જિનાલયનું નિર્માણ વિ.સં.2024માં કરવામાં આવ્યું છે.

*🎋આરતી અને મંગળદીવો ઉતારવાની સાચી રીત....*➖➖➖➖➖➖➖➖➖આરતી અને મંગળદીવો ઉતારવામાં, ક્યારેક તો જેટલા ઉતારનાર તેટલી અલગ રીત જ...
26/05/2026

*🎋આરતી અને મંગળદીવો ઉતારવાની સાચી રીત....*
➖➖➖➖➖➖➖➖➖
આરતી અને મંગળદીવો ઉતારવામાં, ક્યારેક તો જેટલા ઉતારનાર તેટલી અલગ રીત જોવા મળે. દરેકમાં કંઈક ને કંઈક સામાન્ય ફેરફાર પણ મળે. આની સાચી રીત બાબતે કેટલાક અનુભવી પીઢ વિધિકારકો અને વડીલો પાસેથી જે જાણ્યું છે, તેનો નિષ્કર્ષ નીચે પ્રમાણે છે...

*🌸આરતી-મંગળદીવો પ્રદક્ષિણાક્રમે = સૃષ્ટિક્રમે = clockwise અર્થાત્ ઘડિયાળના કાંટા ફરે તેમ ઉતારવાના હોય છે....*

*🌸તેને નાભિથી નીચે અને નાકથી ઉપર લઈ જવાના હોતા નથી...*

*🌸તેઓને પ્રદક્ષિણાક્રમે ફરતા સાડા ત્રણ વર્તુલ - વલય- આંટા રચાય એ પ્રમાણે આરતી-મંગળદીવો ઉતારવા જોઈએ, તેવો પણ એક મત છે. તે માટે તેઓને ધીરે ધીરે ફેરવવા જોઈએ. ઉપરથી શરૃ કરીને 3 આંટા પૂરા થાય એટલે છેલ્લે નીચે સુધી અડધો આંટો લઈ સાડા ત્રણ આંટા કરાય. સંગીતમય આરતી-મંગળદીવો લાંબો ચાલે તો ઉપર કે નીચે વધુ વાર ફેરવાય, પણ કુલ સાડા ત્રણ આંટા કરાય એવું થઈ શકે. અલબત્ત, સાડા ત્રણ આંટામાં ભાવ ચૂકી ન જવાય, એ એટલું જ મહત્ત્વનું છે અને તેથી સહજ ભાવે જેટલા આંટા થાય તેટલા કરવા, એમ પણ કેટલાકનું કહેવું છે...*

*🌸મંગળદીવામાં કપૂર કરવાની કોઈ જ આવશ્યકતા નથી, એવો પણ મત છે. કપૂરની આરતી માતાજીની હોય. પૂર્વે કપૂરવાળું ઘી દેરાસરમાં રખાતું. બધે તે વપરાતું. એમાંથી અલગથી કપૂર પ્રગટાવવાનું શરૂ થયું હોય એમ બની શકે...*

*✍️मुनि सौम्‍यरत्न विजयजी*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
WhatsApp-8898336677

श्री सुमतिनाथ भगवान की शासन देवी का नाम महालक्ष्मी है ।                    उसी तीर्थ मे उत्पन्न हुयी  महाकाली देवी सुवर्...
26/05/2026

श्री सुमतिनाथ भगवान की शासन देवी का नाम महालक्ष्मी है ।

उसी तीर्थ मे उत्पन्न हुयी महाकाली देवी सुवर्ण वर्ण की, पद्म के वाहनवाळी और चार भुजाओं से युक्त है। उसके दाएँ दोनो हाथों मे वरद और पाश से विभूषित है तथा बाएँ दोनों हाथ मे बिजोरुं और अंकुश है ।

*શાસ્ત્ર કહે છે કે,**જે દેરાસર ને ૧૦૦ વર્ષ થી અધિક સમય થાય તે દેરાસર તીર્થ બની જાય છે (તીર્થ તુલ્ય બની જાય છે)**આજે વાત ...
26/05/2026

*શાસ્ત્ર કહે છે કે,*
*જે દેરાસર ને ૧૦૦ વર્ષ થી અધિક સમય થાય તે દેરાસર તીર્થ બની જાય છે (તીર્થ તુલ્ય બની જાય છે)*
*આજે વાત કરવી છે એવા જ એક તીર્થ ની,*
*રાજનગર (અમદાવાદ) માં*
*જિનશાસન નો સુવર્ણ ઇતિહાસ જ્યાં છુપાયેલો છે, એવા રાજનગર ની પોળ ના અદ્ભુત જિનાલયો માંથી એક જિનાલય ની,*
*શ્રી પીપરડી ની પોળ જૈન દેરાસર..,*
*પ્રાયઃ ૪૫૦ વર્ષ થી અધિક પ્રાચીન દેરાસર,*
*૩ માળ પર એક એક ગભારા થી સુશોભિત એવા આ દેરાસર માં કાળ જતા અત્યારે ૨ ગભારા વિદ્યમાન છે,*
*ઉપર શ્રી સુમતિનાથ દાદા*
*અને નીચે ભોંયરા માં શ્રી શાંતિનાથ દાદા...!*

*વાત કરવી છે શ્રી શાંતિનાથ દાદા ની...!*

*૫૧ ઇંચ ની જાજરમાન પ્રતિમા ને જોતા જ*
*આંખ માં આનંદ ની*
*અને*
*મન માં શાંતિ (સમતા) ની*
*અનુભૂતિ થયા વગર રહતી નથી...!!*
*હાલ માં ,*
*સ્થળાંતર આદિ અનેક કારણોસર પૂજા માટે નિયમિત ૨/૪ ભાગ્યશાળી જ આવે છે,*
*રવિવાર અને પ્રસંગોપાત શ્રાવક શ્રાવિકા પધારે છે...!*

*પરંતુ મુખ્ય વાત એ કરવી છે કે,*
*છેલ્લા ૨૫ થી ૩૦ વર્ષ ની અંદર*
*આ પ્રતિમાજી ને બીજા શ્રી સંઘ માં લઈ જવા માટે ઘણા સૂરિ ભગવંતો એ પ્રયત્નો કર્યા છે,*

*• એક આચાર્ય ભગવંત બપોરે ૨ કલાક માટે દેરાસર માંગલિક કરી ને નીચે ભોંયરા માં દાદા ની સમક્ષ જાપ માં બેઠા,*
*અને ત્યાર બાદ ટ્રસ્ટી ને કહે છે કે દાદા રજા નથી આપતા..,*

*• એક વખત એક સાધુ ભગવંત ની પ્રેરણા થી એક સંઘ માં દાદા ને લઈ જવાની વાત આવી અને વાત આગળ વધે ત્યાં સાધુ ભગવંત ને હાથે ફ્રેકચર આવ્યું વાત મુલત્વી રાખી...*

*• એક વખત મુંબઈ ના શ્રી સંઘ માં દાદા ને લઈ ને જવાની વાત આવી,*
*શ્રી સંઘ માંથી આગેવાનો દાદા ને જોવા માટે નીકળ્યા અને એજ સમયે એક ભાઈ ને એટેક આવ્યો ,*
*મહાત્મા ને વાત કરી ને જણાવ્યું કે ના દાદા નો ઈશારો છે વાત ને મૂકી દીધી...!*

*•બહુ જૂના ભૂતકાળ માં નથી જવું,*
*માત્ર ૨૦ એક વર્ષ પહેલા ની ઘટના છે,*
*સવારે નિત્યક્રમ પ્રમાણે નિત્ય સમયે પૂજારીજી દેરાસર ખોલે છે,*
*નીચે ભોંયરા માં દાદા નો ગભરો ખોલે છે અને ત્યાજ દાદા ની આખી પલાઠી વાસક્ષેપ થી ભરેલી જોવે છે..!*
*આજુ બાજુ માં નીચે જમીન પર કેસર ના છાંટણા પડેલા છે..,*
*અને સંઘ માં સમાચાર જાય છે બધા દર્શન કરવા પધારે છે અને એજ દિવસે અઢાર અભિષેક નું વિધાન કરવામાં આવે છે...!*

*ત્યાં બાજુ માં જ સાધ્વીજી ભગવંત નો ઉપાશ્રય છે અને સાધ્વીજી ભગવંત ના મોઢા માંથી શબ્દો નીકળે છે કે,*
*રાતે ૨.૩/૩ વાગ્યા આસપાસ ઢોલ, નગારા, શરણાઈ ના અવાજ અમે સાંભળ્યા છે...!એટલે કે દેવ દેવી ઓ દાદા ની ભક્તિ કરવા આવે છે...!!*

*અને આજ ની તારીખ માં પણ દાદા ને જોતા જ દિવ્યતાનો અહેસાસ અચૂક થાય છે..!*

*આ તમામ ઘટના ઓ સંઘ ના સભ્યો, આગેવાનો , સ્થિરવાસ માં રહેલ સાધ્વીજી ભગવંત ના મોઢે સાંભળેલ છે..!*

*હજુ પણ કહેવાય છે કે મક્કમ સંકલ્પ સાથે સળંગ ૨૧ બુધવાર જો દાદા ના દર્શન, સેવા પૂજા કરવા માં આવે તો ગમે તેવા કઠિન કે કપરા કાર્યો સહજ પરિપૂર્ણ થાય છે...!!*

*દાદા નો પ્રભાવ અપરંપાર છે,*
*તો દાદા ના અધિષ્ઠાયક દેવ દેવીઓ પણ જાગૃત છે..!!*

26/05/2026

Address

ARIHANT, TIRUPATI SOCIETY
Jamjodhpur
360530

Telephone

+919426998510

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Swetamber Murtipujak Jain Sangh - Jam Jodhpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Swetamber Murtipujak Jain Sangh - Jam Jodhpur:

Share