14/02/2026
🌼 જય ઉમિયા માતાજી 🌼
ઉમિયા માતાજીના છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે ભવ્ય ભજન સંધ્યા
“ભક્તિનો મહાસંગમ… ઉમિયા માતાજીના આશીર્વાદ સાથે એક પાવન ભજન સંધ્યા” 🙏🏻
અતિ આનંદ અને ભક્તિભાવ સાથે જણાવવાનું કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ કડવા પાટીદાર પરિવાર એટલે કે ઉમિયા પરિવાર દ્વારા, ઉમિયા માતાજીના છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે એક ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
📅 તારીખ: ૧૯ ફેબ્રુઆરી, ગુરુવાર
🕣 સમય: રાત્રે ૮:૩૦ વાગ્યે
📍 સ્થળ: ઉમિયા માતાજીનું પટાંગણ, ઉમિયા મંદિર, હિંમતનગર
🎤 ગાયક:
• શ્રી બ્રિજેશભાઈ પટેલ
• શ્રી હિતેશભાઈ પટેલ
આ પાવન પ્રસંગે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ કડવા પાટીદાર મિત્રો અને ભક્તજનોને સહ પરિવાર હાજરી આપી, ઉમિયા માતાજીના આશીર્વાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે.
🙏 આવો, ભક્તિ અને શ્રદ્ધાનો આ પાવન મહોત્સવ ભવ્ય બનાવીએ. 🙏