30/06/2022
અષાઢી બીજ'નું મહાપર્વ - "ભગવાન જગન્નાથજીની પાવનકારી રથયાત્રા"
અષાઢી બીજ'નું મહાપર્વ - "ભગવાન જગન્નાથજીની પાવનકારી રથયાત્રા"
દેશની શાન સમજાવતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે જગન્નાથ મંદિરમાં વિશેષ તૈયારીની શરૂઆત જોર-શોરથી થઈ ચુકી છે જેમાં મંદિરમાં વિશેષ પ્રસાદથી લઈને મંદિર અને રથનાં રંગ-રોગાન, સમારકામ જેવાં કામથી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રથયાત્રા નિમિત્તે હાલમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને મોટાભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે.
ભગવાન જગન્નાથની આ રથયાત્રા વિશે કેટલીક રસપ્રદ વાતો જે ખરેખર જાણવા જેવી છે
જગન્નાથની નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનુ નામ નંદીઘોષ છે. કહેવાય છે કે આ રથ ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે, આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે. ભાઈ બળભદ્રને મળેલ રથ તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનુ નામ તાલ ધ્વજ છે અને સુભદ્રાના રથનુ નામ પદ્માધ્વજ છે.
રથયાત્રામાં સૌ પહેલા આગળ મોટાભાઈ બલરામ, વચ્ચે બહેન સુભદ્ર અને છેલ્લે શ્રી કૃષ્ણના રથની સવારી નીકળે છે.
દરવર્ષે પરંપરાગત રીતે નીકળતી આ રથયાત્રાના ત્રણેય રથ દર વર્ષે પૂરા નવેસરથી તૈયાર કરવામાં આવે છે.
આ રથયાત્રાને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે જે નવ દિવસ સુધી ચાલે છે. રથયાત્રા અષાઢ સુધ બીજથી શરૂ થઈને દશમ સુધી ચાલે છે. મુખ્ય મંદિરથી શરૂ થઈ આ યાત્રા કોઈચોક્કસ મંદિરમાં પુરી થાય છે. અહી જગન્નાથ સાત દિવસ વિશ્રામ કરીને દસમના દિવસે પરત ફરે છે.
આ રથયાત્રા કોમી એકતાનુ પ્રતિક પણ છે. રથયાત્રા શરૂ થતા પહેલા મુસ્લીમ સમાજના અગ્રણીઓ મંદિરના મહંતને ભેટ આપી રથયાત્રાની શુભેચ્છા પાઠવે છે.
આપણા મંદિરો ભવ્યતા અને દિવ્યતાથી શોભતા હોય છે. સંજોગની વાત છે કે ભગવાન જગન્નાથના મંદિરમાં આ બંનેનો અનોખો સમન્વય થયો છે. આમ પ્રાચીન એવું આ મંદિર આજે આપણી ઓળખ બન્યું છે.
ધર્મના વિશાળ વડલા તરીકે દીપી રહેલા આ મંદિરમાં ધાર્મિકતાની સાથેસાથે સામાજિક પ્રવૃતિઓ પણ વિકસી રહી છે.
નીજ મંદિરમાંથી અષાઢી બીજે નીકળતી આ રથયાત્રામાં જોડાઇ શ્રધ્ધાળુઓ પોતાની જાતને ધન્ય માને છે. આ દિવસે સમગ્ર શહેર જય રણછોડ...માખણ ચોર સહિતના નાદથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં રંગાઇ જાય છે......
ભાવિક ભક્તો્ની ભાળ લેવા ભગવાન જગન્નાયથજીની પાવનકારી રથયાત્રા
અષાઢસુદ બીજએ ‘અષાઢી બીજ'નું મહાપર્વ છે...આ પર્વની રંગેચંગે ઉજવણી કરવા લાખો ભાવિકોમા અનેરો થનગનાટ જણાય છે. રાજયમા અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રા સહિત આશરે ૧૩૨થી વધુ સ્થાળેથી રંગેચંગે રથયાત્રા નીકળશે. અનેરૂ અને અદકેરૂ મહાત્મય ધરાવતી આ રથયાત્રાની ઉજવણીમા ગુજરાતના ભાવિકો ઘેલા બન્યા છે. ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્રણમાં ભાવનગર અને રાજકોટ... મધ્યગુજરાતમાં વિરમગામ અને વડોદરા તો દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત ૧૩૨ જેટલા સ્થકળોએથી ભગવાન જગન્ના્થજીની રથયાત્રા નીકળે છે.
રથયાત્રાઓ પૈકી અમદાવાદમાથી નીકળતી રથયાત્રાનો દબદબો તો કાંઈક અદ્ભૂત જ હોય છે.
આવી અદ્ભૂત નઝારો ધરાવતી અમદાવાદની રથયાત્રાના ઈતિહાસમાં ડોકીયુ કરીએ તો...કહેવાય છે કે, ઈ.સ. ૧૮૭૮મા સૌ પ્રથમવાર મહંતશ્રી નરસિંહદાસજીને સ્વસપ્નરમાં આવી ભગવાને કહ્યુ કે, ‘જગન્ના્થ પુરીમા દર અષાઢી બીજે અમારી ભવ્યા રથયાત્રા નીકળે છે તેમ અહીં (અમદાવાદ)માં રથયાત્રા કેમ નથી કાઢતા...?
‘ભાવિકો રોજ અહીં દર્શન કરવા આવે છે પરંતુ અમારે અમદાવાદનગરીમાં ફરી નગરજનોને આશિર્વાદ આપવા એમની સંભાળ લેવા રથમાં બેસીને નીકળવુ છે.
તેમજ અપંગો, રોગીઓ, અશક્તોક, વૃદ્ધો તથા નાના બાળકોને અમારા દર્શનનો લ્હાનવો ઘરે બેઠા આપવો છે. આ અષાઢી બીજે તેનો પ્રબંધ કરો.
બસ ત્યાબરથી અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ થયાનું મનાય છે. સમય આગળ ધપતો ગયો અને ભાવિકોમાં શ્રદ્ધા વધતી ગઇ. રથયાત્રા શરૂ થયાને વર્ષો થઇ વીતી ગયા, પરંતુ શ્રદ્ધાનું ઘોડાપુર વધતુ જ ગયું છે.
આજે આ રથયાત્રા અમદાવાદની એક ઓળખ બની રહી છે. ગુજરાતના ગામડાઓથી લઈ ઓરિસ્સા ના જગન્ના્થ પુરી સહિત દેશના અનેક શહેરોમાં ભગવાન જગન્ના્થજીની રથયાત્રા નીકળે છે.
આ રથમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા તથા ભાઈ બલભદ્રની મૂર્તિઓ મુકી યાત્રા કરાય છે. રથયાત્રા માટેના જે કોઈ ક્રિયાકાંડો છે એ ઈ.સ. ૧૧૭૫ થી ૧૨૦૨ દરમ્યામન થઈ ગયેલા જગન્નાથને રાજ્ય્ના કુળદેવતા તરીકે જાહેર કરવામાં અનંત વર્મન ચૌડગંગા નામના રાજાના પૌત્ર અનંતભીમના વખતમાં નક્કી થયા હોવા જોઈએ. એમ પોરાણિક માન્યઅતા અનુસાર મનાય છે.
અન્ય યાત્રાઓની સરખામણીમાં આ રથયાત્રા અનન્ય મહાત્મય ધરાવે છે કેમ કે આ એક માત્ર યાત્રા એવી છે જેમા સ્વ્યં જગતનો નાથ સામે ચાલીને પોતાના ભાવિક ભક્તો્ના સમુદાયને ઉમળકાભેર મળવા વાજતેગાજતે નગરના રસ્તે નીકળી પડે છે.
જ્યાગરે સામે ચાતક નજરે રાહ જોઈ રહેલા હજારો લાખો ભાવિકો ભગવાનને ‘જય રણછોડ... અને જય જગન્નાથજી'ના નારા સાથે વધાવી લે છે. અષાઢી બીજના શુભ દિને બ્રહ્મમુહુર્તમાં જ સવારે ૪ વાગ્યે મંદિરમાં મંગલા આરતી બાદ ખીચડીનો મહાભોગ ધરાવવામાં આવે છે.
તેમજ પ્રજાની વિશેષ વિધિ બાદ ભકતજનો સવારે ૬ વાગ્યેભ ભગવાન જગન્નાથજી અને બલરામજી તેમજ બેન સુભદ્રાજીના રથમા પરંપરા અનુસાર પૂજા કરી બિરાજમાન કરાય છે.
ત્યારબાદ રાજ્યરના મુખ્યઆમંત્રી સવારે ૭ વાગ્યે પરંપરા અનુસાર પહિંદ વિધી એટલે કે માર્ગ સફાઈ વિધિથી રથનો સન્મુખ રસ્તો સુવર્ણ ઉપકરણથી સાફ કરી રથ પ્રયાણની અંતિમવિધિ પૂર્ણ કરાય છે.
ત્યા.રબાદ જય રણછોડ... જય માખણચોરના જયકારા સાથે વિશેષ દોરડાના સહારે ખાસ કોમ દ્વારા ખેંચાતા આ ત્રણેય રથ ભવ્ય મંદિર દ્વારથી પટાંગણની બહાર લવાય છે. અહીં લાખો ભાવિકો તેને વધાવી હોંશે હોંશે આ રથયાત્રામાં જોડાય છે.
બસ આ ભવ્ય રથયાત્રા પ્રારંભ થાય છે. આ અદ્ભૂત નજારાને જોવા તો કદાચ ખૂદ ભગવાન જગન્નાથજી પણ તરસતા હશે...
સમગ્ર દેશ બનશે જન્ના્થજીમય..જય રણછોડ..જય માખણચોર....