22/04/2026
તા. 19 એપ્રિલ 2026, રવિવારે શાંતિ નગર આંતલીયા ખાતે અંબામાતા મંદિરની સાલગીરી નિમિતે 9 કુંડિય ગાયત્રી મહાયજ્ઞનો ભવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમ ગાયત્રી જ્ઞાન મંદિર બીગરી દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો.
આ પવિત્ર પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર, યજ્ઞવિધિ અને આધ્યાત્મિક વાતાવરણથી સમગ્ર સ્થળ પાવન બની ગયું, જેમાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને ધાર્મિક લાભ મેળવ્યો.