Kalupur Swaminarayan Mandir

Kalupur Swaminarayan Mandir Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kalupur Swaminarayan Mandir, Religious Center, Swaminarayan Mandir Road, Ahmedabad.

શ્રીજી મહારાજ કહે છે જે આપણા સત્સંગમાં બાઈ,ભાઈ પરમહંસ એ સર્વેને અમારી ઉપર હેત છે,તો મોટેરી બે ત્રણ બાઈઓ છે,તે બરોબર બીજી...
14/10/2016

શ્રીજી મહારાજ કહે છે જે આપણા સત્સંગમાં બાઈ,ભાઈ પરમહંસ એ સર્વેને અમારી ઉપર હેત છે,તો મોટેરી બે ત્રણ બાઈઓ છે,તે બરોબર બીજી સર્વે બાઈઓ વર્તમાન પાળે છે.
કેમ જે,મનમાં એમ જાને છે જે'જો અમે ખબરદાર થઈને
વર્તમાન નહીં પાળીએ, તો મહારાજનું હેત અમારી ઉપર નહીં રહે
ને કુરાજી થશે.તથા પરમહંસમાં પણ એમ છે તથા બીજા જે
સત્સંગી તથા બ્રહ્મચારી તથા પાળા એ સર્વેમાં પણ એમ છે;તથા
દેશદેશના હરિભક્ત બાઈ ભાઈ છેટે રહયા છે,તે પણ વર્તમાનમાં
ખબડદાર વર્તે છે;ને એમ જાને છે જે'જો આપણ સારી પેઠે નહીં
વર્તીએ તો મહારાજ કુરાજી થાશે.માટે અમારે વિષે હેતે કરીને
બંધાણા થકા સર્વે ધર્મમાં દ્રઢપણે વર્તે છે.પણ વૈરાગ્ય તો કોઈકને
થોડો હશે,ને કોઈકને ઝાઝો હશે,તેની કોઈ મેળ છે નહીં.અને અમે
પંચાળામાં મોરે માંદા થયા હતા,ને તેમાંથી જો કાંઈક થયું હોત, તો જેમ હમણે સર્વેની વૃત્તિઓ છે,તેવી ન રહેત. ત્યારે તો જે તીવ્ર વૈરાગ્ય વાલાહોય,તે ધર્મમાં રહે;તથા જે સત્સંગનો યોગ
રાખે,ને ભગવાનને અંતર્યામી જાણીને પોત પોતાના નિયમ કહ્યા
છે,તે પ્રમાણે વર્તે તો ધર્મમાં રહે.અને એ વિના બીજાનું તો કાંઈ
ઠીક રહે નહીં.(ગ.અં.૨૯)

શ્રીજી મહારાજ કહે છે જે અમને અહંકાર ન ગમે;તે અહંકારભક્તિપણાનો હોય,ત્યાગપણાનો હોય,વૈરાગ્યપણાનો હોય,બ્રહ્મપણાનો હોય,સમજણનો...
13/10/2016

શ્રીજી મહારાજ કહે છે જે અમને અહંકાર ન ગમે;તે અહંકાર
ભક્તિપણાનો હોય,ત્યાગપણાનો હોય,વૈરાગ્યપણાનો હોય,બ્રહ્મપણાનો હોય,સમજણનોહોય, વ્રતમાનપાળ્યાનો હોય
એ રીતનો જે જે અહંકાર તે અમને ન ગમે
અને દંભ ન ગમે;તે દંભ તે શું?તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય,ભક્તિ ને ધર્મ તે થોડા હોય ને બીજા આગળ
પોતાની મોટ્યપ વધાર્યા સારું ઉપરથી તો તેને બહુ જણાવે તે ન ગમે
અને પોતાને ને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે
તથા જે નિયમ ધાર્યો હોય,તે નિયમને ઘડીક મૂકી દે ને વળી
ઘડીકમાં પાળે,એવી રીતે જે શિથિલ વર્તતો હોય તે ન ગમે
અને ભગવાનનો મહિમા તો ઝાઝો સમજે;ને પોતાને અતિશય તુચ્છપણે સમજે;પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ
પોતાને ન માને તે ન ગમે(ગ.અં.૨૬)

Jay shree swaminarayan ધર્મરક્ષક ધર્મમાર્તંડ ચુડામણી ૧૦૦૮ પરમ પુજ્ય  આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ ને જન્મદિવસ ની...
11/10/2016

Jay shree swaminarayan
ધર્મરક્ષક ધર્મમાર્તંડ ચુડામણી ૧૦૦૮ પરમ પુજ્ય આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ.............
happý ßirthday
Jai Swaminarayan
Many many happy returns day to our 1008 shree Acharya Mahrajshee
રહેજો મારી આંખલડી આગે...
નીરખી તમને નાથજી, મારી ભુખલડી ભાંગે...
રસિક સલૂણા રાજને, હું તો રીઝી છું રાગે;
જોઈ જોઈ તમને જાદવા, નિત પ્રીતલડી જાગે... રહેજો૦

ઉત્તર વિભાગ અમદાવાદ શ્રીનરનારાયણદેશ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. આચાર્ય ૧૦૦૮ શ્રીકોશ્લેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીને તેમનાં ૪૪માં જન્મદિન નિમિતે ખુબ ખુબ શુભકામનાઓ...

અમદાવાદવાસી શ્રીનરનારાયણદેવ, વડતાલવાસી શ્રીલક્ષ્મીનારાયણદેવ, શ્રીહરિકૃષ્ણમહારાજ આપને શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયનું પોષણ કરવાની શક્તિ, બળ પૂરું પાડે એવી અભ્યર્થના..

મરે એક આશરા તેરા રે,                 ધર્મકુંવર મહારાજ રાજ;મેં ચાકર તેરે ચરણ કમલકા,                 તેં પરમેશ્વર મેરા રે....
10/10/2016

મરે એક આશરા તેરા રે,
ધર્મકુંવર મહારાજ રાજ;
મેં ચાકર તેરે ચરણ કમલકા,
તેં પરમેશ્વર મેરા રે...ધર્મ
તેરે ચરણ શરણ બિન સ્વામી,
કાહુ સુખ નાહી હેરા રે;
સવર્ગ મૃત્યુ પાતાળ દશોદિશ,
સબહિ કાળને ઘેરા રે...ધર્મ
ત્રિભુવન ભ્રમત ભ્રમત પચીહાર્યો,
પાયો મેં દુઃખ ઘણેરા રે;
અચળ નિકેત એક નહીં પાયો,
તુમ બિન ધર્મ કિશોરા રે...ધર્મ
અમરપતિ નર નાગ અસુર સુર,
સબ માયાકે ચેરા રે;
પ્રેમાનંદ જાની સબ દુઃખમય,
કિયો ચરણ તેરે ડેરા રે...ધર્મ

પોતાનાં દિવ્ય લીલાચરિત્રો વડે જે વ્રજવાસીઓને-ભક્તજનોનાસદા આનંદ ઉપજાવે છે.નંદ પ્રમુખ ભક્તજનોને જે પોતાના દિવ્ય ધામનું દર્...
09/10/2016

પોતાનાં દિવ્ય લીલાચરિત્રો વડે જે વ્રજવાસીઓને-ભક્તજનોના
સદા આનંદ ઉપજાવે છે.નંદ પ્રમુખ ભક્તજનોને જે પોતાના દિવ્ય ધામનું દર્શન કરાવે છે.અને પોતાના આશ્રયે આવેલા જીવ
પ્રાણીમાત્રના સર્વ પ્રકારના શોકનો જે નાશ કરે છે,એવા શ્રી લક્ષ્મીજી તથા રાધિકાજી જેવા ભક્તજનોથી સદા સેવાયેલા
ભગવાન શ્રી સ્વામિનારાયણને હું સહૃદય પ્રણામ કરું છું.

વિશ્વમાં સૌ કોઈ સાથે શત્રુતા સેવીને,સર્વને નમાવનારા કામદેવનોપણ ગર્વ જર્મની હરિ લીધેલો છે.અસર સંસારમાં રચ્યાપચ્યારહેલા જી...
08/10/2016

વિશ્વમાં સૌ કોઈ સાથે શત્રુતા સેવીને,સર્વને નમાવનારા કામદેવનો
પણ ગર્વ જર્મની હરિ લીધેલો છે.અસર સંસારમાં રચ્યાપચ્યા
રહેલા જીવો માટે જે એકમાત્ર તરણોપાય આશ્રય અને સારરૂપ
છે;અને સદૈવ સતના માર્ગે ચાલનારા સત્પુરુષોને જે હંમેશાં
પરમસુખ આપનારા છે,એવા શ્રી લક્ષ્મીજી તથા રાધિકાજી જેવા
ભક્તજનોથી સદા સેવાયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણને હું
સહૃદય પ્રણામ કરું છું.

વૃંદાવન એટલે એ નામનું સ્થળ વિશેષ,તેમજ ભક્તજનોનો દિવ્ય સમૂહ,તેમાં ભક્તજનોના હૃદયમાં,જે અતિ પ્રેમથી વસી રહેલા છે.પોતાના શર...
07/10/2016

વૃંદાવન એટલે એ નામનું સ્થળ વિશેષ,તેમજ ભક્તજનોનો
દિવ્ય સમૂહ,તેમાં ભક્તજનોના હૃદયમાં,જે અતિ પ્રેમથી વસી
રહેલા છે.પોતાના શરણે આવેલા આશ્રિતજનોનું હરેક પ્રકારની
આપતિમાંથી જે હમેશાં રક્ષણ કરી રહ્યા છે.ગાયો,ગોપ અને ગોપીને,તેમજ ઇન્દ્રિયો અને મનને વશ કરીને,પરમાત્માના સ્વરૂપમાં રાચનારા ભકતાત્માઓને જે અલૌકિક આનંદ ઉપજાવે
છે,એવા શ્રી લક્ષ્મીજી તથા રાધિકાજી જેવા ભક્તજનોથી સદા
સેવાયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણને હું સહૃદય પ્રણામ કરું છું.

ભક્તજનોને પ્રિય એવો રાસ જે ખેલી રહયા છે,રાસ રમવામાં શ્રેષ્ઠ એવા ભક્તજનોને આનંદ આપવા માટે રાસની ઉત્કૃષ્ઠરમત,જે સવિશેષ રમી...
06/10/2016

ભક્તજનોને પ્રિય એવો રાસ જે ખેલી રહયા છે,રાસ રમવામાં શ્રેષ્ઠ એવા ભક્તજનોને આનંદ આપવા માટે રાસની ઉત્કૃષ્ઠ
રમત,જે સવિશેષ રમી રહ્યા છે.અને જેમના ખભા ઉપર કુંકુમના
ચિહ્નોવાળું વસ્ત્ર શોભી રહ્યું છે,એવા શ્રી લક્ષ્મીજી તથા રાધિકાજી જેવા ભક્તજનોથી સદા સેવાયેલા ભગવાન શ્રી
સ્વામિનારાયણને હું સહૃદય પ્રણામ કરું છું.

અધર્મ અને અધર્મના સર્ગોથી હેરાનપરેશાન થયેલા સાધુજનોનુંજે હંમેશા રક્ષણ કરે છે.ભાગવદ્ધર્મ સાથે વેરવૃત્તિ ધરાવનારાઆસુરીજનોન...
04/10/2016

અધર્મ અને અધર્મના સર્ગોથી હેરાનપરેશાન થયેલા સાધુજનોનું
જે હંમેશા રક્ષણ કરે છે.ભાગવદ્ધર્મ સાથે વેરવૃત્તિ ધરાવનારા
આસુરીજનોના સમૂહ માટે જે કાળરૂપ છે;અને જેમણે વિવિધ
પુષ્પોની માળાઓ કંઠમાં ધારણ કરેલી છે અને જે વ્રજરાજના
પુત્ર છે:વ્રજ શબ્દનો અર્થ ધર્મપરાયણ ભક્તોનો સમૂહ પણ
થાય છે;એવા જનોમાં જે શ્રેષ્ઠ છે,એટલે ધર્મ સાક્ષાત,તેમના
પુત્ર છે,એવો અર્થ પણ થાય છે;એવા શ્રી લક્ષ્મીજી તથા રાધિકાજી જેવા ભક્તજનોથી સદા સેવાયેલા ભગવાન
શ્રી સ્વામિનારાયણને હું સહૃદય પ્રણામ કરું છું.

જેમણે શુદ્ધ સુવર્ણના રંગ જેવું ઉજ્જવળ પીળું વસ્ત્ર પીતાંબરધારણ કરેલું છે.અને જેમણે અનેકાનેક આસુરીજનોનો નાશ કોઈપણ પ્રકારન...
03/10/2016

જેમણે શુદ્ધ સુવર્ણના રંગ જેવું ઉજ્જવળ પીળું વસ્ત્ર પીતાંબર
ધારણ કરેલું છે.અને જેમણે અનેકાનેક આસુરીજનોનો નાશ કોઈ
પણ પ્રકારનાં શસ્ત્રો ધારણ કર્યા સિવાય કરેલો છે-આજે પણ કરે છે;અને આસુરીજનોનાં જાતજાતનાં શસ્ત્રો અને અસ્રોને જેમણે નિષફ્ળ બનાવેલાં છે,એવા શ્રી લક્ષ્મીજી તથા રાધિકાજી જેવા
ભક્તજનોથી સદા સેવાયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણને હું
સહૃદય પ્રણામ કરું છું.

શિરપર પાઘમાં ધારણ કરેલા તોરાઓમાં ગૂંથેલા વિવિધ પુષ્પોનીસુગંધીરજથી સુગંધિત થયેલી બંસરીને એક હાથમાં પકડીને,તેને ઓઠ ઉપર મૂક...
01/10/2016

શિરપર પાઘમાં ધારણ કરેલા તોરાઓમાં ગૂંથેલા વિવિધ પુષ્પોની
સુગંધીરજથી સુગંધિત થયેલી બંસરીને એક હાથમાં પકડીને,
તેને ઓઠ ઉપર મૂકીને,બીજા હાથની આંગળીઓ વડે,જે મધુર
સ્વરો રેલાવી રહયા છે અને જેમની ચાલ ગજ જેવી છે,એવા
શ્રી લક્ષ્મીજી તથા રાધિકાજી જેવા ભક્તજનોથી સદા સેવાયેલા
ભગવાન શ્રી સ્વામિનારાયણને હું સહૃદય પ્રણામ કરું છું

Address

Swaminarayan Mandir Road
Ahmedabad
380001

Alerts

Be the first to know and let us send you an email when Kalupur Swaminarayan Mandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Kalupur Swaminarayan Mandir:

Share