06/03/2026
🔥 ગૌરવવંતો ઇતિહાસ અને રોમ-રોમમાં શૌર્ય પ્રગટાવતી અમર ગાથા વર્ણવતી ભવ્ય નાટિકા! 🔥
"જ્યાં તેજપાલની તલવાર ચમકતી હતી, ત્યાં અનુપમાની બુદ્ધિ રાજનીતિના પાયા રચતી હતી."
⚔️"આબુના આરસમાં જે કંડારાયેલું છે, એ માત્ર શિલ્પ નથી... એ દેવી અનુપમાનું અતૂટ સમર્પણ છે!" 🏛️
યુગપ્રધાન આચાર્યસમ પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના દિવ્ય સ્વપ્ન "નારી તું નારાયણી" ને સાકાર કરવા થનગની રહેલા તપોવન વિદ્યા વિહાર ના શુભારંભ પ્રસંગે, શ્રી ઉત્સવ એકેડેમી, રાજકોટ દ્વારા પ્રસ્તુત ગુજરાતના સુવર્ણ ઇતિહાસનું એક અપ્રતિમ પાત્ર આપણી સમક્ષ જીવંત થશે...
🌸 “દેવી અનુપમા” 🌸(એક હૃદયસ્પર્શી ઐતિહાસિક શૌર્યગાથા)
આ માત્ર એક નાટક નથી, પણ એ પ્રત્યેક 'સુશ્રાવિકા'નો અવાજ છે, જે જ્યારે જાગે છે ત્યારે આખા જગતને ઝુકાવવાની તાકાત રાખે છે. રસોડાના ઉંબરાથી આભની ઊંચાઈ સુધીની આ સંઘર્ષમય સફર તમારી આંખોમાં આંસુ અને હૃદયમાં આત્મગૌરવ ભરી દેશે.
📅 કાર્યક્રમની વિગત:
📍 સ્થળ: તપોવન વિદ્યા વિહાર, વાસણા
🗓️ તારીખ: ૭ માર્ચ ૨૦૨૬, શનિવાર
🕖 સમય: સાંજે ૭:૦૦ કલાકે