04/03/2026
જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ આજનો દિવસ કેવો છે ?? સોના કરતાં પણ મોંઘો છે કેમ કે આજે તો આપણા પ્રાણાધાર સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ નો પ્રાગટ્ય દિવસ છે આજના દિવસે ફાગણ વદ એકમ એટલે ફુલદોલોત્સવ (ધૂલેટી)... આજે ગુરૂગાદી આનંદ આશ્રમ વનથલ ખાતે પૂજ્ય સદગુરુદેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ નો ૧૦૭ મો પાવન જન્મોત્સવ ઉજવાયો ... આપણી પરંપરા અનુસાર સદગુરૂ દેવ ની નગરયાત્રા ના દર્શન...આજના આ મંગલમય મહોત્સવ ના પરમ ભાગ્યશાળી યજમાન પ્રભુદાસભાઈ સીતાપરા ના સમસ્ત પરિવાર સહિત ગુરુકુળ પરિવાર, નંદ સંતો તથા તમામ શિષ્યવૃંદ દ્વારા શ્રી ગુરૂગાદી એ રાજોપચાર પૂજન - અર્ચન , આરતી અને પહેરામણી કરવામા આવી સાથે ભાવપૂર્વક રાજભોગ ધરાવવામાં આવ્યાં.......તે અનન્ય દર્શન ની ઝાંખી...આપ પણ કરજો ને આગલ લોકો ને પણ શેર કરજો જેથી દર્શન કરી શકે સૌ