Ram Krushna Hari 🌷🌷🌷(Group)
https://www.facebook.com/groups/ramkrushnahari
Ram Krushna Hari (Page)
https://www.facebook.com/sahajanand09/
Ekshreehari (Page)
https://www.facebook.com/SwaminarayanTradition
haridas_dharm (Religious Act)
https://www.instagram.com/haridas_dharm/
વિશેષ નોંધ:..પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! ભગવાનના જે અવતાર છે, તે સર્વે સરખા જ છે કે તેમા
ં અધિક-ન્યૂન ભાવ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા ને પછી પૂર્વાપર વિચારીને જોયું, ત્યારે તેમાંથી અમને એમ સમજાયું છે જે, મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહાદિક જે ભગવાનના અવતાર છે, તે સર્વે અવતારના અવતારી તે શ્રીકૃષ્ણભગવાન છે; પણ બીજા અવતારની પેઠે શ્રીકૃષ્ણભગવાન તે અવતાર નથી, તે તો અવતારી જ છે. એવા જે શ્રીકૃષ્ણભગવાન તે આપણા ઈષ્ટદેવ છે. અને તે શ્રીકૃષ્ણભગવાનના ચરિત્રશ્રીમદ્ભાગવતપુરાણના દશમ સ્કંધને વિષે સંપૂર્ણ કહ્યા છે; માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિષે અમે દશમ સ્કંધને અતિશય પ્રમાણ કર્યો છે. અને બીજા જે સર્વે અવતાર તે પણ શ્રીકૃષ્ણભગવાનના જ છે. માટે એ અવતાર ને એ અવતારના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તે સર્વેને આપણે માનવા, પણ વિશેષે કરીને તો શ્રીકૃષ્ણભગવાન ને તેના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તેને જ માનવા.”
-શ્રી સ્વામિનારાયણ ભગવાન (વચનામૃત ગઢડા મધ્ય ૬૪ અંશત:)
આથી Page નો હેતું માત્ર અને માત્ર શ્રીહરિના મૂળ સિદ્ધાંતો "ક્ષર-અક્ષર થકી પર એવાં શ્રી પુરુષોત્તમ નારાયણના એકત્વપણાનો અને સર્વકર્તા, સર્વનિયંતાપણાનો" હોઈ અહીં ભગવાન શ્રીહરિના શાસ્ત્ર સંમત અવતારો અને તેમનાં ભક્તોનાં શાસ્ત્ર સંમત ચરિત્ર કથાનકો જ રજુ કરવામાં આવશે. શ્રીહરિ અંતર્ધાન થયાં બાદ રચાયેલાં સંપ્રદાયના કોઈ પણ પુસ્તકોના ચરિત્રો(ખોટા ઉભા કરેલાં મૂળ સિદ્ધાંત વિપરિત દાવાઓ) અહીં રજુ કરવામાં આવશે નહીં..
હાં.. ભગવદ પ્રેમ સભર પ્રાર્થના કે ભાવ કે કવિતાઓ જરુર આવી શકે, જ્યાં પંડિતોની અવળી ઉપજાવી કાઢેલી વાતોનો ભય રહેતો નથી.
ભગવાન બુદ્ધ એ પણ અવતાર જ છે શ્રીહરિના પરંતુ તે અવતારકાર્ય જે તે સમયને આધીન અને તે સમય સંજોગોને અનુરુપ વિશિષ્ટ લીલામાત્ર હોઈ તે અવતાર સંબંધી કોઈ પણ કથાનકો અહીં રજુ કરવામાં આવશે નહીં જેથી કરીને નિરાકાર ઉપાસના (અતિશય કઠિન માર્ગ- ગીતાજી અનુસાર) તરફ જતી ભક્તિને અટકાવી શ્રીહરિના મત અનુસાર સદૈવ સાકાર મૂર્તિની ઉપાસના જળવાઈ રહે અને મહાઆનંદ સરળતાથી પ્રાપ્ત કરી શકાય..!!
અમારાં અતિશય વ્હાલાં પંચદેવ સદાય જગતનું મંગળ કરવામાં સહાય કરો એવી આપના અબોધ બાળની પ્રાર્થના..!!