Madhupura Ambaji

Madhupura Ambaji Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Madhupura Ambaji, Hindu temple, shree ambaji Temple, Juna Madhupura, shahibaug Road, Ahmedabad/04, Ahmedabad.

03/10/2025

તા: ૬/૧૦/૨૦૨૫ ના રોજ શરદ પૂર્ણિમા ના પર્વે શ્રી માધુપુરા અંબાજી મંદિર ખાતે સૂકામેવા ના માનભોગ અન્નકુટ દર્શન નું આયોજન છે. માઈ ભક્તો ને આ અન્નકુટ દર્શન નો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ છે...!!!

લિ. પૂજારી શ્રીના જય અંબે ... 🙏🏻🙏🏻🙏🏻

यत् स्यात् सर्वत्र सर्वदा ।।એટલું જ જાણવા યોગ્ય છે કે જે તત્વ સર્વત્ર તેમજ સર્વદા વિદ્યારૂપે, લક્ષ્મીરૂપે, શક્તિરૂપે સાક...
25/12/2024

यत् स्यात् सर्वत्र सर्वदा ।।

એટલું જ જાણવા યોગ્ય છે કે જે તત્વ સર્વત્ર તેમજ સર્વદા વિદ્યારૂપે, લક્ષ્મીરૂપે, શક્તિરૂપે સાક્ષીરૂપે વિદ્યમાન છે તે જ માં જગદંબા...

https://youtu.be/mqQCIe0cgVw?si=28Ng1rDxzi2hExAi

मूर्खेण सह संयोगो विषादपि सुदुर्जर।विज्ञेन सह संयोगः सुधारससमः स्मृतः।।१:६:५।। #श्रीमद्देवीभागवतઅજ્ઞાની નો સંગ વિષ કરતાં...
18/12/2024

मूर्खेण सह संयोगो विषादपि सुदुर्जर।
विज्ञेन सह संयोगः सुधारससमः स्मृतः।।१:६:५।।
#श्रीमद्देवीभागवत

અજ્ઞાની નો સંગ વિષ કરતાં પણ વધારે ઘાતક છે, આત્મોન્નતિ તેમજ વર્તમાન સુધારણા હેતુ હંમેશા જ્ઞાની વ્યક્તિનો સંગ હિતંકર છે. જ્ઞાની વ્યક્તિના સંગ થી આત્મસુધાર સંભવ છે, જેના માધ્યમથી જીવનમાં ઘટિત થનારી પ્રત્યેક ઘટના પરોક્ષ અથવા અપરોક્ષ રૂપથી કલ્યાણકારી જ છે તેવા સદ્જ્ઞાન ની પ્રાપ્તિ થાય છે, અને સાચું માનજો સંઘર્ષ કાળમાં જ આપણી સામર્થ્ય શક્તિ ઉજાગર થાય છે તેમજ જીવન ઉન્નતિ-શ્રેષ્ઠતા નો માર્ગ મોકળો બને છે. એટલે જ શાંત તેમજ‌ સ્થિર ભાવથી જગદંબા ના વિધાન પ્રતિ સમર્પિત રહીએ...!!!

https://youtu.be/4NNNWf9uE0o?si=a8Wui9ncLr4d3tHT

"આજ ના દર્શન". તા.18/12/2024.
(શ્રી શક્તિપીઠ.) શ્રી અંબાજી મંદિર,
જુના માધુપુરા,અમદાવાદ.
માગશર વદ ત્રીજ/સંકષ્ટ ચતુર્થી.
સર્વે ને અંબે અંબે...🙏🏻

https://youtu.be/rOWKQinvIb8?si=cFddlAoKGCCTGICd

https://youtu.be/4NNNWf9uE0o?si=FyslQlJCALYwDNuI

“प्रज्ञानं ब्रह्म।।” જ્ઞાન અચેતન અવસ્થામાં હોય છે, તેનામાં ન તો સ્વયંની ચેતના હોય છે ન સ્વયંની સક્રિયતા, તેને ચેતન થવા મ...
16/12/2024

“प्रज्ञानं ब्रह्म।।”

જ્ઞાન અચેતન અવસ્થામાં હોય છે, તેનામાં ન તો સ્વયંની ચેતના હોય છે ન સ્વયંની સક્રિયતા, તેને ચેતન થવા માટે બુદ્ધિની આવશ્યકતા હોય છે તેમજ સક્રિય થવા માટે બુદ્ધિના સંયોગ ની. પરંતુ જ્ઞાનનાં સદુપયોગ તેમજ સક્રિયતા હેતુ વિવેકની આવશ્યકતા રહેશે જ, કેવળ વિવેક જ ઉચિત-અનુચિત માં અંતર કરશે, જ્યારે પ્રજ્ઞા બુદ્ધિને સ્થિર કરશે. પુસ્તકમાં બંધ પડેલું જ્ઞાન મૃત જ રહેશે, જ્યાં સુધી તેને બુદ્ધિ તેમજ વિવેકનું સામર્થ્ય, સહયોગ તેમજ સક્રિયતા ન મળે...!!!



https://instagram.com/shastriniravbhatt

https://www.facebook.com/shastriniravbhatt

"આજ ના દર્શન". તા.16/12/2024.
(શ્રી શક્તિપીઠ.) શ્રી અંબાજી મંદિર,
જુના માધુપુરા,અમદાવાદ.
માગશર વદ એકમ.
સર્વે ને અંબે અંબે...🙏🏻

”उदये सविता रक्तो रक्त:श्चास्तमये तथा।सम्पत्तौ च विपत्तौ च महतामेकरूपता॥”સૂર્યોદય સમયે તેમજ સૂર્યાસ્ત સમયે સૂર્યનારાયણ સ...
15/12/2024

”उदये सविता रक्तो रक्त:श्चास्तमये तथा।
सम्पत्तौ च विपत्तौ च महतामेकरूपता॥”

સૂર્યોદય સમયે તેમજ સૂર્યાસ્ત સમયે સૂર્યનારાયણ સમાન રંગના જ દેખાય છે, સમસ્યાઓ છે તો‌ તેમનું સમાધાન પણ‌ છે. પ્રત્યેક સમસ્યા સગર્ભા હોય છે તેમજ તે તેનાં જ ગર્ભમાં સમાધાન લઈને રહે છે, બસ થોડું ધૈર્ય રાખીએ. આપણે સમસ્યા માટે ફરીયાદ તો બહુ જ કરીએ છીએ, પરંતુ સમાધાનની સ્વિકૃતિ માટે તૈયાર નથી હોતા. શું સમાધાન ની તીવ્ર તરસ‌ છે, આપણી અંદર? શું આપણે સમાધાન ના ઇચ્છુક છીએ? તો સાચું માનજો, સમસ્યા જ સમાધાન આપશે.સમસ્યા પર ચિંતન કરો, ચિંતા ન કરો. થોડા ખુલ્લા મનથી, થોડા ધૈર્યથી, થોડા સમર્પણથી, થોડોક ત્યાગ કરવા માટે પણ‌ તૈયાર રહેવાની આવશ્યકતા છે. કેવળ ભાગ્યના સહારે બેસી રહેશો તો તે ઉપાય નથી. જગદંબાએ બુદ્ધિ તેમજ હ્રદયમાં ભાવ ભરેલાં છે, તેનો સદ્ઉપયોગ કરીએ. જો તમે સત્યનાં માર્ગ પર છો તો જગદંબા પણ સહાય કરશે જ...!!!



https://instagram.com/shastriniravbhatt

https://www.facebook.com/shastriniravbhatt

"આજ ના દર્શન". તા.15/12/2024.
(શ્રી શક્તિપીઠ.) શ્રી અંબાજી મંદિર,
જુના માધુપુરા,અમદાવાદ.
માગશર સુદ પૂનમ.
સર્વે ને અંબે અંબે...🙏🏻

જીવનમાં ઘટિત થનારી પ્રત્યેક ઘટના પરોક્ષ અથવા અપરોક્ષ રૂપથી કલ્યાણકારી જ છે. જીવનનાં સંઘર્ષ કાળમાં જ આપણાં આત્મસામર્થ્ય ઉ...
14/12/2024

જીવનમાં ઘટિત થનારી પ્રત્યેક ઘટના પરોક્ષ અથવા અપરોક્ષ રૂપથી કલ્યાણકારી જ છે. જીવનનાં સંઘર્ષ કાળમાં જ આપણાં આત્મસામર્થ્ય ઉજાગર થાય છે, જે આપણા ઉન્નતિના માર્ગ મોકળા કરે છે. પ્રત્યેક પરિસ્થિતિમાં સાહજિક તેમજ સહજ રહીએ, કારણકે પરમાત્માનાં વિધાન સર્વથા હિતકર તેમજ ઉન્નતિકારક છે. મનુષ્યનું વિધાન તો દેશ, કાળ, સમય તેમજ પરિસ્થિતિઓ પ્રમાણે બદલાતું રહેશે. પરંતુ, પરમસત્તા નું વિધાન સર્વદા એક જેવું જ કલ્યાણકારી છે. જેવું કર્મ-બીજ, તેવું જ ફળ; આ તેનું નિશ્ચલ વિધાન છે.એટલે જ પરમાત્માનાં સર્વે વિધાન પ્રતિ સમર્પિત રહીએ...!!!



https://instagram.com/shastriniravbhatt

https://www.facebook.com/shastriniravbhatt

"આજ ના દર્શન". તા.14/12/2024.
(શ્રી શક્તિપીઠ.) શ્રી અંબાજી મંદિર,
જુના માધુપુરા,અમદાવાદ.
માગશર સુદ ચૌદસ.
સર્વે ને અંબે અંબે...🙏🏻

સનાતન શાસ્ત્રોમાં ઋષિ-મુનિઓ દ્વારા એક મૂળ મંત્ર આપ્યો છે, તે છે  - "नेति नेति ..." (अर्थात्, न इति न इति ...)। પ્રકૃતિના...
13/12/2024

સનાતન શાસ્ત્રોમાં ઋષિ-મુનિઓ દ્વારા એક મૂળ મંત્ર આપ્યો છે, તે છે - "नेति नेति ..." (अर्थात्, न इति न इति ...)। પ્રકૃતિના નિયમ થી, જ્યારે મનુષ્ય જીવે છે, ત્યાં સુધી તે સુખી સંપન્ન રહે છે, પરંતુ જ્યારે મનુષ્ય અતિક્રમણ કરવાની કોશિશ કરે ત્યારે પ્રકૃતિના વિધ્વંસકારી તેમજ વિઘટનકારી સ્વરૂપનો સામનો કરવો જ પડે છે. પ્રકૃતિનો જેટલો અનુભવ કરાય, તેટલાં જ તેનાં વિસ્તાર સ્વરૂપનો અનુભવ મળે છે. સનાતન હિન્દુ ભક્ષક નથી, પ્રકૃતિના રક્ષક છે. પ્રકૃતિ ઈશ્વર-બ્રહ્મ છે. સનાતન, શાશ્વત તેમજ નિરંતર છે. હું ‘સનાતની' છું નો અર્થ છે - “હું પ્રકૃતિનો પૂજારી છું ”. સનાતન એવી સંસ્કૃતિ છે, જે સર્વે મનુષ્ય એ પોતાના અનુકરણમાં લાવવી જ પડશે...!!!



https://instagram.com/shastriniravbhatt

https://www.facebook.com/shastriniravbhatt

"આજ ના દર્શન". તા.13/12/2024.
(શ્રી શક્તિપીઠ.) શ્રી અંબાજી મંદિર,
જુના માધુપુરા,અમદાવાદ.
માગશર સુદ તેરસ.
સર્વે ને અંબે અંબે...🙏🏻

મહાભારતમાં શ્રીકૃષ્ણ સારથી છે. આશ્ચર્ય લાગે છે ભગવાન શ્રીકૃષ્ણને સારથી બનેલા જોઈને, અર્થ એટલો જ છે કે જ્યારે ચૈતન્ય થઈ જ...
03/12/2024

મહાભારતમાં શ્રીકૃષ્ણ સારથી છે. આશ્ચર્ય લાગે છે ભગવાન શ્રીકૃષ્ણને સારથી બનેલા જોઈને, અર્થ એટલો જ છે કે જ્યારે ચૈતન્ય થઈ જાય સારથી, આપણામાં જે શ્રેષ્ઠતમ છે જ્યારે એનાં હાથમાં લગામ આવી જાય. અર્જુન કાંઈ જ નથી પણ રથમાં બિરાજમાન છે. શ્રીકૃષ્ણ સર્વસ્વ છે પરંતુ સારથી બનેલા છે, પરંતુ પ્રતીક ઘણું જ મધુર છે, સમજવા જેવું છે. પ્રતીક એજ છે કે આપણી અંદર જે અજ્ઞાનતા, અહં, ક્રોધ જેવા ભાવ છે તેને ક્યારેય સારથી ન બનવા દેતા, પરંતુ જે ચૈતન્યતા છે તેને જ સારથી બનાવજો. આપણી પરિસ્થિતિ વિપરીત છે, અર્જુન સારથી બની બેઠા છે અને શ્રીકૃષ્ણ રથમાં બિરાજમાન છે...!!!



https://instagram.com/shastriniravbhatt

https://www.facebook.com/shastriniravbhatt

https://youtu.be/4NNNWf9uE0o?si=2tCe2vnFFNe4lybO

"આજ ના દર્શન". તા.03/12/2024.
(શ્રી શક્તિપીઠ.) શ્રી અંબાજી મંદિર,
જુના માધુપુરા,અમદાવાદ.
માગશર સુદ બીજ.
સર્વે ને અંબે અંબે...🙏🏻

https://youtu.be/4NNNWf9uE0o?si=2tCe2vnFFNe4lybO
01/12/2024

https://youtu.be/4NNNWf9uE0o?si=2tCe2vnFFNe4lybO

શ્રી કપડવંજ દશા પોરવાડ મિત્ર મંડળ, મહિલા મંડળ તેમજ પંચ દ્વારા આયોજીત તેમજ પ્રેરિત શ્રીમદ્ ભાગવત કથા.કથા સ્થળ:- શ્ર.....

https://youtu.be/rOWKQinvIb8?si=RSZkEEmrc7JO0EuY
17/11/2024

https://youtu.be/rOWKQinvIb8?si=RSZkEEmrc7JO0EuY

શ્રી કપડવંજ દશા પોરવાડ મિત્ર મંડળ, મહિલા મંડળ તેમજ પંચ દ્વારા આયોજીત તેમજ પ્રેરિત એક દિવસીય શ્રીમદ્ ભાગવત કથા પાર....

Address

Shree Ambaji Temple, Juna Madhupura, Shahibaug Road, Ahmedabad/04
Ahmedabad
380004

Telephone

+919898941413

Website

Alerts

Be the first to know and let us send you an email when Madhupura Ambaji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Madhupura Ambaji:

Share

Category