26/07/2025
વર્તમાન ફલસ્તીનની પરિસ્થિતિ જોઈને બગદાદની કરુણ યાદો તાજી થાય છે. ઇઝરાયલ જાણે આધુનિક યુગનો મોંગોલ છે, જેણે ફલસ્તીન જેવી પવિત્ર ભૂમિની પવિત્રતા જ ભ્રષ્ટ નથી કરી, પરંતુ માસૂમ બાળકો અને મહિલાઓના લોહીથી તેમની ધરતીને લાલ કરી નાખી છે. ઘાયલો અને વિકલાંગો પર,વૃદ્ધો પર દયા નહીં. કેદીઓ, પત્રકારો સાથે પણ માનવીય વ્યવહાર નહીં. હોસ્પિટલો, ઘરો અને બજારોને પણ છોડવામાં નથી આવ્યા. શાળાઓને સુરક્ષિત રાખવામાં આવી નથી.
ફિકસ્તીનમાં શહીદ થનાર લોકોમાં 70 ટકા બાળકો અને મહિલાઓ છે. વીજળી નથી, પાણી નથી, ઇંધણ નથી, ખોરાક નથી; ઊલટું ભૂખમરો એક હથિયાર બની ગયો છે.
# શું આ યુદ્ધ છે?? ના આ નર સંહાર છે.
ઇઝરાયલને ત્રીજી સહસ્રાબ્દી (મિલેનિયમ)ની સૌથી ખુંખાર જાતિનો પુરસ્કાર મળવો જોઈએ.
ભારત ઐતિહાસિક રીતે હંમેશા પીડિતોના પક્ષમાં ઊભું રહ્યું છે; હવે એ વારસાને ફરી મજબૂત કરવાનો સમય છે।
આઓ આપણે આપણી નૈતિક અને સાંસ્કૃતિક પરંપરાનું પાલન કરીએ.
કયો ધર્મ આ નરસંહારને યોગ્ય ઠેરવે છે? શું તમારી અંતરાત્મા આ અત્યાચારોનો બચાવ કરી શકે છે?
ચોક્કસ નહીં…તો પછી આ મૌન શા માટે? કાયમી યુદ્ધવિરામ માટે એક મજબૂત અવાજ શા માટે નથી ઉઠતો? તમે જ્યાં છો, ત્યાંથી કંઈક પ્રયાસ કરો.