29/09/2023
🙏શ્રી રામજી મંદિર 🙏
🌹પંડિતજી ની પોળ 🌹
🌹સારંગપુર 🌹અમદાવાદ🌹
🌹🌹🌹રામરોટી અન્નક્ષેત્ર🌹🌹🌹
🙏દરીદ્રનારાયણને જમાડીને અન્નદાનનો પુણ્ય પ્રાપ્ત કરો🙏
🌹કઠોળ 🌺અનાજ 🌺ઘી તેલ 🌺ખાંડ 🌺ગોળ 🌺કરિયાણું 🌺વગેરેની સેવા સ્વીકારવામાં આવે છે🌺
🌹પિતૃઓના મોક્ષાર્થે શ્રાધ્ધ પક્ષમાં દરીદ્રનારાયણને જમાડીને અને ગૌ સેવા કરી પિતૃઓની તૃપ્તિનો આનંદ મેળવો🌹
🙏🙏1 દરીદ્રનારાયણને જમાડવાની સેવા 50 રૂપિયા🙏🙏
🌺🌺દરીદ્રનારાયણને જમાડવાની આખા દિવસની સેવા 2,501 રૂપિયા 🌺🌺
🌹🌹ગૌસેવા🌹🌹
🌺ગાય માતાના ઘાસચારાની એક દિવસની સેવા 301 રૂપિયા🌺
🙏🙏જય સીયારામ🙏🙏
🌹ભાદરવા મહિનાની પૂર્ણિમાથી પિતૃ પક્ષની શરૂઆત થાય છે 🌹
🌹તમને જણાવી દઈએ કે પિતૃ પક્ષ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ સુધી ચાલે છે 🌹
🌹પિતૃ પક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે 🌹
🌹પિતૃ પક્ષમાં પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે 🌹
🌹આ દરમિયાન પૂર્વજો સંબંધિત કામ કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને પૂર્વજોને મોક્ષ મળે છે🌹
🌹વ્યક્તિના મૃત્યુની તિથિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવે છે
🌹જો તમને તમારા પિતૃની તિથીઅંગે જાણકારી ન હોય તો તમે 🌹
🌹નોમના દિવસે સૌભાગ્યવતી નું શ્રાદ્ધ🌹
🌹 બારસના દિવસે સન્યાસી નું શ્રાદ્ધ🌹
🌹 ચૌદસના દિવસે અસ્ત્ર શસ્ત્ર કે આપઘાતથી મૃત્યુ પામનાર નુ શ્રાદ્ધ🌹
🌹તેમ છતાં કોઈ તિથિ યાદ ન હોય તો અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકો છો આ દિવસને સર્વ પિતૃ શ્રાદ્ધ યોગ માનવામાં આવે છે🌹
🌹શ્રાધ્ધ પક્ષમાં દરીદ્રનારાયણને🌹 દૂધપાક🌹 માલપૂવા🌹 પૂરી 🌹કઢી🌹 ભાત🌹 શાક🌹 રોટલી અથવા પૂરી🌹 જમાડવામાં આવે છે 🌹🌹કોઈ સેવકની ઈચ્છા અનુસાર ફરસાણ પણ જમાડવામાં આવે છે 🌹 ફરસાણ નો સર્વે ખર્ચ સેવકને આધીન રહેશે🌹