03/06/2022
25 મેં ના દિવસે સાંજે 5:30 વાગ્યાની આસપાસ, સાબરમતી પાસે થી પસાર થઇ રહેલી 154 સંખ્યાથી ભરેલી ઘેટાં બકરા ની ટ્રક વિશે માહિતી મળતા હું (નિસર્ગ શાહ) ત્યા પહોંચી ગયો હતો.
ત્યારબાદ આપણા માનનીય ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ને મેં ટેલીફોનીક વાત કરી ને જાણ કરતા તેઓએ ત્વરિત એક્શન લીધા અને જેના લીધે આખી ગાડી ને પોલીસ ની સંપૂર્ણ કાર્યવાહી પતાવી ને સાબરમતી પોલીસ ના કાફલા સાથે ગાડી ને મધ્યરાત્રીએ 1:30 વાગ્યે પેથાપુર ની પાંજરાપોળ માં પહોંચાડવામાં આવી છે.
આ ઉમદા કાર્ય માં જીવદયા પ્રેમી ટીમ જેમ કે સૌરીન શાહ, યતીન શાહ, મુકેશ શાહ, ભાવિક શાહ, પરિન શાહ, બ્રિજેશ શાહ, કશીશ ભાઈ, જૈમીન ભાઈ, જૈનમ શાહ, પીના શાહ, પ્રિતેશ શાહ, રાકેશ ત્રિવેદી, રાહુલ શાહ, અંબાલાલ ચૌહાણ, દર્શન શાહ, જિમી શાહ વગેરે...અને ઉપરાંત સાબરમતી પોલીસ સ્ટેશન ના પીઆઇ શ્રી આર એસ ઠાકર સાહેબ અને એમના સ્ટાફ નો સહયોગ પણ પ્રશંસા ને પાત્ર છે.