11/02/2024
રણમાં ખીલ્યું કમળ
🌸ચિત્રલેખા🌸
🌸કેતન મિસ્ત્રી (મુંબઈ)🌸
અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ ૧૪ ફેબ્રુઆરી ને વસંત પંચમીના શુભ દિવસે નરેન્દ્ર મોદી અબુ ધાબીમાં બીએપીએસ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. અનેક દૃષ્ટિએ ઐતિહાસિક એવા આ મંદિરસર્જનની વણકથી વાતો.
કેતન મિસ્ત્રી (મુંબઈ)
જરા કલ્પના કરોઃ મધ્ય પૂર્વના દેશમાં એક હિંદુ મંદિર સર્જાય છે, જે માટે મુસ્લિમ રાજા જમીન દાનમાં આપે, જ્યાં લીડ : આર્કિટેક્ટ ખ્રિસ્તી હોય, ફાઉન્ડેશન ડિઝાઈનર બુદ્ધિસ્ટ હોય, પ્રોજેક્ટ ડિઝાઈનર શીખ હોય, કન્સ્ટ્રક્શન કંપની પારસીમાલિકીની, પ્રોજેક્ટના ચૅરમૅન જૈન પરંપરામાંથી આવતા હોય અને... ચીફ કન્સલ્ટન્ટ તો એવા, જે ધર્મમાં જ માનતા ન હોય! દુનિયાભરની ૬૦,૦૦૦થી વધુ નાની-મોટી વ્યક્તિએ જેની ઈંટ મૂકી હોય. એક એવું મંદિર, જેને વિશ્વસમસ્ત વધાવી લે, એનો ઉત્સવ ઊજવે.
વૈશ્વિક સંવાદિતાનું આવું બેનમૂન ઉદાહરણ એટલે અબુ ધાબીમાં સર્જાયેલું બીએપીએસ હિંદુ મંદિર ૧૪ ફેબ્રુઆરી ને વસંત પંચમીના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મંદિરનું ઉદ્ઘાટન થશે.
વડા પ્રધાનના બે દિવસના અબુ ધાબીપ્રવાસ દરમિયાન ૧૩ ફેબ્રુઆરીની સમી સાંજે * ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટૉડયમમાં યોજાનારા આહુલાન મોદી (નમરસ્તે મોદી) કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પચાસ હજારથી વધુ ભારતીયોએ રજિસ્ટ્રેશન કરાવ્યાં છે. બીજા દિવસે એટલે કે ૧૪ ફેબ્રુઆરી ને વસંત પંચમીના શુભ દિવસે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક વડા મહંત સ્વામી તથા અન્ય સદ્ગુરુ સાધુસંતોની ઉપસ્થિતિમાં બીએપીએસ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. માત્ર સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) જ નહીં, પરંતુ ભારત અને દુનિયાના અન્ય દેશોમાં વસતા શ્રદ્ધાળુઓ આ ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહેશે. ભારત બહાર વસતા ભારતીયોમાં યુએઈ ચોથા ક્રમાંકે આવે છે: યુએઈમાં ૩૮ લાખથી વધુ ભારતીયો વસે છે.
૧૯૯૭માં પ્રમુખ સ્વામીએ શારજાહના રણમાં મંદિરસર્જનના કરેલા સંકલ્પથી લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં હિંદુ સ્થાપત્યશૈલીના ધર્મસ્થળને શાસક શેખની મંજૂરી... આમ રચાયો ઈતિહાસ.
વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની યુએઈની આ સાતમી મુલાકાત હશે. હજી ૨૦૨૩ના ડિસેમ્બરમાં પર્યાવરણ જાળવણીને લગતી વૈશ્વિક પરિપદમાં હાજરી આપવા એ એક દિવસ માટે દુબઈ ગયેલા. બીજી બાજુ. ૨૦૨૪ના પ્રારંભમાં યુએઈ પ્રેસિડન્ટ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપી.
હિંદુ મંદિર તરફ પાછા ફરીએ તો, અશક્ય લાગતું આ કાર્ય કેવી રીતે શક્ય બન્યું?
આ સવાલનો જવાબ આપતાં બીએપીએસના સાધુ બ્રહ્મવિહારી દાસજી મંદિરનો ટૂંકો, પણ રસપ્રદ ઈતિહાસ વર્ણવતાં ચિત્રલેખાને કહે છે: