30/08/2025
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્યકક્ષાના વન મહોત્સવ પ્રસંગે ખેડા જિલ્લાની મુલાકાત દરમિયાન મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને આવેલ પૌરાણીક શ્રી ગળતેશ્વર મહાદેવના ભક્તિભાવપૂર્વક દર્શન-પૂજન કર્યા હતા તથા રાજ્યની પ્રગતિ અને નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.