Dr.Krunal Joshi

Dr.Krunal Joshi Devotional Philosopher, Spiritual Guru, Kathakar. M.A In Puran-Dharma Shashtra Goldmedalist, PHD,

23/08/2026

ભગવાન શિવને આશુતોષ કેમ કહેવામાં આવે છે? | Ashutosh Mahadev | Shravan Special | Dr. Krunal Joshi

ભક્ત સંકટના સમયે સાચા હૃદયથી મહાદેવનું સ્મરણ કરે તો શિવજી તેના દુઃખ દૂર કરે છે. તેથી તેમને ‘આશુતોષ’ કહેવામાં આવે છે.

ભગવાન શિવનું ‘આશુતોષ’ સ્વરૂપ આપણને સંદેશ આપે છે કે, જીવનમાં કોઈ પણ સંકટ આવે, ત્યારે ભગવાન શિવના શરણે જવું જોઈએ. શ્રદ્ધા અને ભક્તિથી સ્મરણ કરીએ તો આશુતોષ મહાદેવ આપણા દુ:ખ જરૂરથી દૂર કરે છે.

21/08/2026

ભગવાન શિવને નીલકંઠ કેમ કહેવાય છે? | Nilkanth Mahadev | Shravan Special | Dr. Krunal Joshi

સમુદ્રમંથન દરમિયાન જ્યારે કાલકૂટ વિષ પ્રગટ થયું, ત્યારે દેવતાઓ બ્રહ્માંડની રક્ષા માટે ભગવાન શિવની શરણમાં ગયા. અને શિવજીએ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે તે વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું, જેના કારણે તેમનો કંઠ નીલ વર્ણનો થયો. તેથી ભગવાન શિવને ‘નીલકંઠ’ કહેવામાં આવે છે.

આ પ્રસંગ આપણને શીખવે છે કે, જીવનમાં સન્માન મળે ત્યારે વધારે ખુશ ન થવું અને અપમાન થાય ત્યારે દુઃખી ન થવું. જે વ્યક્તિ સન્માન અને અપમાન બંને સરળતાથી સ્વીકારી શકે, તે જ સાચા અર્થમાં શિવભક્ત કહેવાય.

19/08/2026

શિવ એટલે? | Lord Shiv | Om Namah Shivay | Sharavan Special | Dr. Krunal Joshi

'શિવ’ શબ્દનો અર્થ કલ્યાણ અને સૌના હિતની ભાવના સાથે જોડાયેલો છે. ભગવાન શિવ આપણને જીવનમાં બીજાનું ભલું કરવાની અને સૌના કલ્યાણની ભાવના રાખવાની પ્રેરણા આપે છે.

શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિ અને ઉપાસનાનું વિશેષ મહત્વ છે. કોઈનું ભલું કરવું, બીજાના હિતનો વિચાર કરવો અને સૌના કલ્યાણની ભાવના રાખવી એ જ સાચી શિવભક્તિ છે.

16/08/2026

ભગવાનનું ધ્યાન કેવી રીતે કરવું? | Spiritual Meditation Techniques | Dr. Krunal Joshi

ધ્યાનના બે મુખ્ય પ્રકાર છે. સ્થૂળ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન. જેમાં સ્થૂળ ધ્યાન એટલે પ્રાણીમાત્રમાં પરમાત્માના દર્શન કરવા. અને દરેક જીવમાં ભગવાનના દર્શન કરવા. જ્યારે સૂક્ષ્મ ધ્યાન એટલે પોતાના હૃદયમંદિરમાં બિરાજમાન ભગવાનનું ધ્યાન કરવું.

શ્રીમદ્દ ભાગવત આપણને સમજાવે છે કે, પરમાત્મા સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપે વ્યાપ્ત છે. સગુણ સ્વરૂપને આંખોમાં અને નિર્ગુણ સ્વરૂપને હૃદયમાં ધારણ કરીને જીવનમાં ભક્તિ, પ્રેમ અને પરમાત્માની અનુભૂતિ કરી શકાય.

14/08/2026

ભગવાનના વિરાટ સ્વરૂપનું રહસ્ય! | Lord Narayan | Spiritual Knowledge | Dr. Krunal Joshi

ભગવાન નારાયણના સ્વરૂપમાં સમગ્ર સૃષ્ટિ સમાયેલી છે. આધ્યાત્મિક ભૂગોળ અનુસાર ધરતીની નીચે આવેલા સાત પાતાળ ભગવાનના કમરથી ચરણ સુધીના અંગો છે, જ્યારે ઉપરના વિવિધ લોક તેમના હાથથી મસ્તક સુધીના અંગો તરીકે વર્ણવાય છે. પર્વતો ભગવાનની નાડીઓ અને વૃક્ષો તેમના રોમ સમાન છે.

આ સમગ્ર વિરાટ સ્વરૂપ આપણને સમજાવે છે કે, સૃષ્ટિમાં રહેલું દરેક તત્ત્વ ભગવાન સાથે જોડાયેલું હોવાથી સૃષ્ટિના કણે કણમાં ભગવાનના દર્શન કરી શકાય.

12/08/2026

મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ શા માટે જરૂરી છે? | Shrimad Bhagwat | Spiritual Wisdom | Dr. Krunal Joshi

શ્રીમદ્ ભાગવતમાં શુકદેવજી મહારાજ સમજાવે છે કે, જીવનની અંતિમ ઘડીએ મનને ભગવાનમાં સ્થિર કરવું જોઈએ. કારણ કે, ભગવાનના નામનું સ્મરણ, ભગવાનની લીલા-ચરિત્રનું શ્રવણ તથા કીર્તન માણસના મનને ભક્તિ અને મોક્ષ માર્ગ તરફ દોરી જાય છે.

પ્રાચીન સમય અનુસાર યોગ દ્વારા પ્રાણોનો દેહત્યાગ કરવો એક વિશિષ્ટ સાધના છે, પરંતુ દરેક વ્યક્તિ માટે આ યોગિક પ્રક્રિયા સરળ નથી. આથી ભગવાનના લીલા-ચરિત્રોનું શ્રવણ, મનન અને ધ્યાન કરવું ભક્તિમાર્ગ અને મોક્ષ માર્ગનો સરળ ઉપાય છે.

10/08/2026

પૂજા પહેલાં શુદ્ધિકરણ શા માટે જરૂરી છે? | Puja Ritual | Spiritual Knowledge | Dr. Krunal Joshi

પૂજા પહેલાં શુદ્ધિકરણ દ્વારા શરીર અને મનને શુદ્ધ કરવાનો ભાવ રાખવામાં આવે છે. કારણ કે, પ્રાણાયામ અને શુદ્ધિકરણ જેવી વિધિઓ મનને શાંત અને એકાગ્ર બનાવે છે, જેથી આપણે ભગવાનની પૂજા ભક્તિભાવથી કરી શકીએ.

શાસ્ત્રોમાં આંતરિક શુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ એમ બે પ્રકારની શુદ્ધિનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાનનું સ્મરણ અને શુદ્ધિકરણ કરવાથી મનના ખરાબ વિચારો દૂર થાય છે. તેમજ જીવનમાં સકારાત્મક ભાવનાઓનો વિકાસ થાય છે.

08/08/2026

માણસે મૃત્યુને સુધારવા માટે શું કરવું? | Moksha Marg | Spiritual Wisdom | Dr. Krunal Joshi

પહેલાંના સમયમાં લોકો મૃત્યુને સુધારવા માટે પવિત્ર તીર્થક્ષેત્ર કાશીમાં જતા. પરંતુ, આજે દરેક વ્યક્તિ માટે તીર્થક્ષેત્રમાં જવું શક્ય નથી. જો જઈ શકો તો ખૂબ સારું. પરંતુ, જો ન જઈ શકો તો પોતાના સારા સ્વભાવ અને સારા કર્મોથી પોતાના ઘરને જ તીર્થ બનાવી શકાય.

મૃત્યુ સુધારવા ઘરમાં ભગવાનનું મંદિર બનાવો, નિયમિત ભગવાનનું સ્મરણ કરો, સારા વિચારો રાખો અને ભક્તિનું પવિત્ર વાતાવરણ બનાવો. કારણ કે, જ્યાં ભગવાનનું સ્મરણ, સદાચાર, ભક્તિ અને શાંતિ હોય છે, ત્યાં આપણું ઘર પણ એક પવિત્ર તીર્થ બની જાય છે.

06/08/2026

ભગવાનના દર્શન ક્યારે થાય? | Spiritual Wisdom | Bhakti | Dr. Krunal Joshi

ભગવાનના દર્શન કરવા માટે મનની શુદ્ધતા, શ્રદ્ધા અને અંતરની આંખની જરૂર હોય છે. સાચી ભક્તિથી જ ભગવાનનો અનુભવ થઈ શકે છે.

સનાતન ધર્મના શાસ્ત્રો રામાયણ અને શ્રીમદ્દ ભગવદ્ ગીતા અનુસાર ભગવાન આપણા હૃદયમાં જ વસે છે. તેથી જ્યારે મન શાંત અને જીવન ભક્તિમય હોય, ત્યારે જ આપણને ભગવાનના સાચા દર્શન થાય છે.

04/08/2026

માનવ જીવન વ્યર્થ ન જાય તે માટે શું કરવું? | Life Changing Speech | Dr. Krunal Joshi

માનવ જીવનની ત્રણ અવસ્થાઓ હોય છે. બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. જેમાં દરેક અવસ્થાનું અલગ મહત્વ હોય છે. પરંતુ જો બાળપણ રમવામાં, યુવાની માત્ર ભરણપોષણ અને ભોગવિલાસમાં તથા વૃદ્ધાવસ્થા ચિંતા અને પસ્તાવામાં પસાર થઈ જાય, તો જીવનનો અમૂલ્ય સમય વ્યર્થ બની જાય છે.

જીવનની દરેક અવસ્થાનો સદુપયોગ કરવો જોઈએ. જેમાં બાળપણમાં સારા સંસ્કારો, યુવાનીમાં ધર્મ અને કર્તવ્યનું પાલન તથા વૃદ્ધાવસ્થામાં ભગવાનનું સ્મરણ અને ભજન કરવાથી જ માનવ જીવન સફળ અને કલ્યાણમય બને છે.

Address

C/501 Nirman Homes Vandematram Cross Road OPP. Canera Bank, Gota Icon Sarcal Amedabad
Ahmedabad
382481

Alerts

Be the first to know and let us send you an email when Dr.Krunal Joshi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Dr.Krunal Joshi:

Shortcuts

Share